ETV Bharat / state

Kutch News : ભારતમાં પહેલીવાર યુવા માલધારી સંગઠન બનાવવામાં આવ્યું, શું ઉદ્દેશ્ય જૂઓ

author img

By

Published : Jan 27, 2023, 4:53 PM IST

ભારતની આર્થિક વૃદ્ધિમાં પશુપાલન વ્યવસાયનો મહત્વનો ભાગ છે. ભારત પાસે યુવાધનની સાથે પશુધન પણ છે. ત્યારે આ વ્યવસાયને વધારે વિકસાવવા માટે કચ્છ ખાતે યોજાયેલ પાંચ દિવસીય રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠનમાં દેશભરમાંથી પધારેલા યુવા માલધારીઓએ એક સંગઠન બનાવ્યું હતું.(National Youth Maldhari Association in Kutch)

Kutch News : ભારતમાં પહેલીવાર યુવા માલધારી સંગઠન બનાવવામાં આવ્યું
Kutch News : ભારતમાં પહેલીવાર યુવા માલધારી સંગઠન બનાવવામાં આવ્યું
ભારતમાં પહેલીવાર યુવા માલધારી સંગઠન બનાવવામાં આવ્યું

કચ્છ : પશુપાલન એ ભારતમાં ખેતી સમાન મહત્વ ધરાવતું વ્યવસાય છે અને દરેક વ્યવસાયની જેમ પશુપાલનને ટકાવવા તેમાં યુવા પશુપાલકોનું ભાગ લેવું અત્યંત જરૂરી છે, ત્યારે યુવા માલધારીઓને સંગઠિત કરી વધુને વધુ યુવાનો આ વ્યવસાયમાં જોડાય તે હેતુથી દેશમાં પેહેલી વખત યુવા માલધારીઓનું એક સંગઠન બન્યું છે. કચ્છ ખાતે યોજાયેલ પાંચ દિવસીય રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠનમાં દેશભરમાંથી પધારેલા યુવા માલધારીઓએ એક સંગઠન બનાવ્યું હતું. જેની નોંધ કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાએ પણ લીધી હતી.

17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધો અજરખપુર સ્થિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે વાર્ષિક વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસના લિવિંગ લાઇટલી પ્રદર્શનમાં આ વર્ષની થીમ ભારતના માલધારી સમુદાયો રાખવામાં આવી હતી અને તે માટે જ દેશભરના માલધારી સમુદાયના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતના 17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધો હતો. યુવા માલધારીઓને આ સંમેલનમાં જોડવા 40 વર્ષથી નીચેની વયના માલધારીઓને પણ ખાસ આમંત્રિત કરાયા હતા.

દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશન યુવા માલધારીઓએ આ સંમેલન ખાતે દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશન બનાવ્યું હતું અને કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાની હાજરીમાં આ એસોસિયેશનના ગઠનની જાહેરાત કરવામાં આવી હતી. આ એસોસિયેશન થકી માલધારી જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજવળ બનાવવા યુવાનોની ભૂમિકા તેમજ આકાંક્ષાઓ બાબતે કામગીરી કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાને બિરદાવ્યું કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ આ અભિગમને બિરદાવી આ સંગઠનને કેન્દ્રીય મંત્રાલયના સીધા સંપર્કમાં રહેવા સૂચના આપી હતી. જેથી ભવિષ્યમાં યુવા માલધારીઓની સમસ્યાઓ અને તેમની પરિસ્થિતિ બાબતે કેન્દ્રીય મંત્રાલય જરૂરી પગલાં ભરી શકે. તેમજ સરકારની જે યોજનાઓ છે તેના માટે આ હરતા ફરતા માલધારીઓને કંઈ રીતે લાભ આપી શકાય તે માટે કાર્ય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Maldhari Sammelan : કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરી મહત્ત્વની વાત

પશુપાલન સુરક્ષિત થઈ શકશે હિમાચલ પ્રદેશથી આવેલા યુવા માલધારી પવનાકુમારીએ જણાવ્યું હતું કે, હરતું ફરતું પશુપાલન છે એ દેશ અને ધરતીના પર્યાવરણને બચાવવા માટે પણ જરૂરી છે. કારણ કે, હરતા ફરતા પશુપાલનને લીધે પૂરા દેશમાં પશુઓ છે તે ગોબર ફેલાવી રહ્યા છે અને જે જૈવિક ખેતી માટે ઉપયોગી છે. ત્યારે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલા સાથે સંવાદ કર્યો અને પોતાના વિચારો અને સમસ્યાઓ તેમની સમક્ષ મૂકી અને તેઓએ પણ સમસ્યાઓના નિરાકરણ માટે સમર્થન આપ્યું હતું. પશુપાલકો માને છે કે પશુપાલન છે તે માત્ર પશુપાલન વિભાગની જ જવાબદારી છે, પરંતુ એવું નથી પશુપાલન વિભાગની સાથે સાથે વનવિભાગ અને ગૃહ વિભાગ ત્રણેય વિભાગો સાથે મળીને કોઈ સમિતિ રચે અને તેના પરથી હરતું ફરતું પશુપાલન સુરક્ષિત થઈ શકશે.

આ પણ વાંચો : Meeting of Maldhari Samaj with Govt : માલધારીઓના પ્રશ્નોની ચર્ચાઓ, સરકારે આપી ખાતરી

નવી જિજ્ઞાસા, નવી ઉમ્મીદ અને નવી મજબૂતી ઉતરાખંડથી આવેલા યુવા માલધારી મીર હમઝા જણાવ્યું હતું કે, પૂરા ભારતમાં પ્રથમ વખત યુવા માલધારી સંગઠનની રચના કરવામાં આવી છે. એ એક નવી જિજ્ઞાસા, નવી ઉમ્મીદ અને નવી મજબૂતી છે. આ સંગઠનની મદદથી હરતા ફરતા માલધારીઓની સમસ્યાઓ છે તેને યોગ્ય સ્તરે રજૂ કરી શકાશે. ઉપરાંત દેશની આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણને પણ લાભકારક રહેશે. તમામ રાજ્યના યુવા હરતા ફરતા પશુપાલનના માલધારીઓ રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય રજૂઆતો કરી શકશે.

ભારતમાં પહેલીવાર યુવા માલધારી સંગઠન બનાવવામાં આવ્યું

કચ્છ : પશુપાલન એ ભારતમાં ખેતી સમાન મહત્વ ધરાવતું વ્યવસાય છે અને દરેક વ્યવસાયની જેમ પશુપાલનને ટકાવવા તેમાં યુવા પશુપાલકોનું ભાગ લેવું અત્યંત જરૂરી છે, ત્યારે યુવા માલધારીઓને સંગઠિત કરી વધુને વધુ યુવાનો આ વ્યવસાયમાં જોડાય તે હેતુથી દેશમાં પેહેલી વખત યુવા માલધારીઓનું એક સંગઠન બન્યું છે. કચ્છ ખાતે યોજાયેલ પાંચ દિવસીય રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠનમાં દેશભરમાંથી પધારેલા યુવા માલધારીઓએ એક સંગઠન બનાવ્યું હતું. જેની નોંધ કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાએ પણ લીધી હતી.

17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધો અજરખપુર સ્થિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે વાર્ષિક વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસના લિવિંગ લાઇટલી પ્રદર્શનમાં આ વર્ષની થીમ ભારતના માલધારી સમુદાયો રાખવામાં આવી હતી અને તે માટે જ દેશભરના માલધારી સમુદાયના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતના 17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધો હતો. યુવા માલધારીઓને આ સંમેલનમાં જોડવા 40 વર્ષથી નીચેની વયના માલધારીઓને પણ ખાસ આમંત્રિત કરાયા હતા.

દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશન યુવા માલધારીઓએ આ સંમેલન ખાતે દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશન બનાવ્યું હતું અને કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાની હાજરીમાં આ એસોસિયેશનના ગઠનની જાહેરાત કરવામાં આવી હતી. આ એસોસિયેશન થકી માલધારી જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજવળ બનાવવા યુવાનોની ભૂમિકા તેમજ આકાંક્ષાઓ બાબતે કામગીરી કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાને બિરદાવ્યું કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ આ અભિગમને બિરદાવી આ સંગઠનને કેન્દ્રીય મંત્રાલયના સીધા સંપર્કમાં રહેવા સૂચના આપી હતી. જેથી ભવિષ્યમાં યુવા માલધારીઓની સમસ્યાઓ અને તેમની પરિસ્થિતિ બાબતે કેન્દ્રીય મંત્રાલય જરૂરી પગલાં ભરી શકે. તેમજ સરકારની જે યોજનાઓ છે તેના માટે આ હરતા ફરતા માલધારીઓને કંઈ રીતે લાભ આપી શકાય તે માટે કાર્ય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Maldhari Sammelan : કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરી મહત્ત્વની વાત

પશુપાલન સુરક્ષિત થઈ શકશે હિમાચલ પ્રદેશથી આવેલા યુવા માલધારી પવનાકુમારીએ જણાવ્યું હતું કે, હરતું ફરતું પશુપાલન છે એ દેશ અને ધરતીના પર્યાવરણને બચાવવા માટે પણ જરૂરી છે. કારણ કે, હરતા ફરતા પશુપાલનને લીધે પૂરા દેશમાં પશુઓ છે તે ગોબર ફેલાવી રહ્યા છે અને જે જૈવિક ખેતી માટે ઉપયોગી છે. ત્યારે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલા સાથે સંવાદ કર્યો અને પોતાના વિચારો અને સમસ્યાઓ તેમની સમક્ષ મૂકી અને તેઓએ પણ સમસ્યાઓના નિરાકરણ માટે સમર્થન આપ્યું હતું. પશુપાલકો માને છે કે પશુપાલન છે તે માત્ર પશુપાલન વિભાગની જ જવાબદારી છે, પરંતુ એવું નથી પશુપાલન વિભાગની સાથે સાથે વનવિભાગ અને ગૃહ વિભાગ ત્રણેય વિભાગો સાથે મળીને કોઈ સમિતિ રચે અને તેના પરથી હરતું ફરતું પશુપાલન સુરક્ષિત થઈ શકશે.

આ પણ વાંચો : Meeting of Maldhari Samaj with Govt : માલધારીઓના પ્રશ્નોની ચર્ચાઓ, સરકારે આપી ખાતરી

નવી જિજ્ઞાસા, નવી ઉમ્મીદ અને નવી મજબૂતી ઉતરાખંડથી આવેલા યુવા માલધારી મીર હમઝા જણાવ્યું હતું કે, પૂરા ભારતમાં પ્રથમ વખત યુવા માલધારી સંગઠનની રચના કરવામાં આવી છે. એ એક નવી જિજ્ઞાસા, નવી ઉમ્મીદ અને નવી મજબૂતી છે. આ સંગઠનની મદદથી હરતા ફરતા માલધારીઓની સમસ્યાઓ છે તેને યોગ્ય સ્તરે રજૂ કરી શકાશે. ઉપરાંત દેશની આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણને પણ લાભકારક રહેશે. તમામ રાજ્યના યુવા હરતા ફરતા પશુપાલનના માલધારીઓ રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય રજૂઆતો કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.