ETV Bharat / state

કચ્છના ડૉક્ટરે યુવાનને મોતના મુખમાંથી બચાવ્યો, પરિવારમાં ખુશીની લહેર

author img

By

Published : Dec 24, 2019, 3:17 AM IST

કચ્છઃ જી. કે. જનરલ હોસ્પિટલના તબીબોના અથાક પ્રયાસો બાદ યુવાનને મોતના મુખમાથી ઉગારી લીધો. એક મહિના પહેલા જંતુનાશક દવા પી લેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લવાયો હતો. આ યુવાન ચાર દિવસ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો. અનેક ગંભીર પરિસ્થિતિ સામે લડી ડૉક્ટરોએ યુવાનને નવુ જીવન આપ્યું.

doctor give new life to Patient in  g k hospital bhuj
doctor give new life to Patient in g k hospital bhuj

તબીબોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેની વધુ એક સાબિતી આપતી ઘટના સામે આવી છે. સારવારમાં ભૂજની જી. કે જનરલ સિવિલ હોસ્પિટલમાં ખેતીવાડી માટે વપરાતી દવા પી જવાથી બેભાન થઈ ગયેલા યુવકને લાવવામાં આવ્યો હતો. આ યુવાન ચાર દિવસ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો. જે બાદ એક મહિનાની વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર આપી દવાનું ઝેર દુર કરી બચાવી લેવામાં આવ્યો હતો.

doctor give new life to Patient in  g k hospital bhuj
ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, ભૂજનાં ડૉક્ટરોએ સાબિત કર્યું

એક તબક્કે આ યુવાનની તબિયત એટલી હદે કથળી ગઈ હતી કે તબિયતમાં સુધાર લાવવો મુશ્કેલ હતો. ઘરના વડીલોએ તેના બચવાની આશા સદંતર છોડી દીધી હતી. જે કારણે તેમને આ યુવાનને હોસ્પિટલેથી ઘરે લઇ જવાની તબીબો પાસે પરવાનગી માગી હતી. જો કે, જી. કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પોતાના પ્રયાસો ચાલુ રાખી મોતને હાથતાળી આપી હતી.

doctor give new life to Patient in  g k hospital bhuj
ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, ભૂજનાં ડૉક્ટરોએ સાબિત કર્યું

જી. કે. જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના ડૉ. દીપક બલદાનીયાનાં જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાના વાવડી ગામના અનિલકુમાર બલવંત બડીવાસે(ઉ.વ.19) ગત મહીને ખેતીમાં વપરાતી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર માટે બેભાન અવસ્થામાં જી. કે.ના ઈમરજ્ન્સીમાં લાવવામાં આવ્યા, ત્યારે તેના મોઢામાં ફીણ અને લોહીનું દબાણ નીચું હતુ. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જે કારણે મગજ સુધી ઓક્સીજન પહોંચતો ન હોવાથી તેની હાલત અંત્યત નાજૂક હતી. આવી પરિસ્થિતિ સામે તબીબોએ મગજસુધી ઓક્સીજન પહોંચાડવા માટે મોઢામાં નળી વડે ઓક્સીજન(એન્ટીયુબેસન) આપવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ ત્રીજા દિવસે આ યુવાન ભાનમાં આવ્યો હતો, પરંતુ દવાને કારણે ફેફસામાં ચેપ લાગવાથી ફેફસાં સામાન્ય રીતે કામ કરી શકતા ન હતા. શ્વાસ લેવાની તકલીફને નિવારવા ડૉક્ટરે તેના ગળામાં કાણું પાડી વેન્ટીલેટર(ટ્રેકયોસ્ટોમી) જોડ્યું હતું, જે બાદ યુવાનની શ્વસન પ્રકિયા સામાન્ય બની હતી. દોઢ મહિના જેટલી જટિલ સારવાર બાદ આ દર્દી ઝેરી દવાની અસરમાંથી મુક્ત થયો હતો. આ દર્દીની સારવાર RMO ડૉ. અવિનાશ તિવારી અને ડૉ. રૂબી પટેલે કરી હતી.

ઈમરજન્સી વિભાગનાં ડૉ. હિંમત કતીરાએ જણાવ્યું હતું કે, જી. કે.માં ગત વર્ષે અકસ્માતે અથવા અગમ્ય કારણોસર ખેતીવાડીની દવા, ફિનાઈલ, ધતુરાના બીજ કે એસીડ પી જવાના 464 કેસો નોંધાયા હતા.

તબીબોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેની વધુ એક સાબિતી આપતી ઘટના સામે આવી છે. સારવારમાં ભૂજની જી. કે જનરલ સિવિલ હોસ્પિટલમાં ખેતીવાડી માટે વપરાતી દવા પી જવાથી બેભાન થઈ ગયેલા યુવકને લાવવામાં આવ્યો હતો. આ યુવાન ચાર દિવસ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો. જે બાદ એક મહિનાની વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર આપી દવાનું ઝેર દુર કરી બચાવી લેવામાં આવ્યો હતો.

doctor give new life to Patient in  g k hospital bhuj
ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, ભૂજનાં ડૉક્ટરોએ સાબિત કર્યું

એક તબક્કે આ યુવાનની તબિયત એટલી હદે કથળી ગઈ હતી કે તબિયતમાં સુધાર લાવવો મુશ્કેલ હતો. ઘરના વડીલોએ તેના બચવાની આશા સદંતર છોડી દીધી હતી. જે કારણે તેમને આ યુવાનને હોસ્પિટલેથી ઘરે લઇ જવાની તબીબો પાસે પરવાનગી માગી હતી. જો કે, જી. કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પોતાના પ્રયાસો ચાલુ રાખી મોતને હાથતાળી આપી હતી.

doctor give new life to Patient in  g k hospital bhuj
ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, ભૂજનાં ડૉક્ટરોએ સાબિત કર્યું

જી. કે. જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના ડૉ. દીપક બલદાનીયાનાં જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાના વાવડી ગામના અનિલકુમાર બલવંત બડીવાસે(ઉ.વ.19) ગત મહીને ખેતીમાં વપરાતી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર માટે બેભાન અવસ્થામાં જી. કે.ના ઈમરજ્ન્સીમાં લાવવામાં આવ્યા, ત્યારે તેના મોઢામાં ફીણ અને લોહીનું દબાણ નીચું હતુ. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જે કારણે મગજ સુધી ઓક્સીજન પહોંચતો ન હોવાથી તેની હાલત અંત્યત નાજૂક હતી. આવી પરિસ્થિતિ સામે તબીબોએ મગજસુધી ઓક્સીજન પહોંચાડવા માટે મોઢામાં નળી વડે ઓક્સીજન(એન્ટીયુબેસન) આપવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ ત્રીજા દિવસે આ યુવાન ભાનમાં આવ્યો હતો, પરંતુ દવાને કારણે ફેફસામાં ચેપ લાગવાથી ફેફસાં સામાન્ય રીતે કામ કરી શકતા ન હતા. શ્વાસ લેવાની તકલીફને નિવારવા ડૉક્ટરે તેના ગળામાં કાણું પાડી વેન્ટીલેટર(ટ્રેકયોસ્ટોમી) જોડ્યું હતું, જે બાદ યુવાનની શ્વસન પ્રકિયા સામાન્ય બની હતી. દોઢ મહિના જેટલી જટિલ સારવાર બાદ આ દર્દી ઝેરી દવાની અસરમાંથી મુક્ત થયો હતો. આ દર્દીની સારવાર RMO ડૉ. અવિનાશ તિવારી અને ડૉ. રૂબી પટેલે કરી હતી.

ઈમરજન્સી વિભાગનાં ડૉ. હિંમત કતીરાએ જણાવ્યું હતું કે, જી. કે.માં ગત વર્ષે અકસ્માતે અથવા અગમ્ય કારણોસર ખેતીવાડીની દવા, ફિનાઈલ, ધતુરાના બીજ કે એસીડ પી જવાના 464 કેસો નોંધાયા હતા.

Intro:Body:તબીબોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેનીવધુ એક સાબિતી આપતી સારવારમાં ભૂજની જી. કે જનરલ સિવિલ હોસ્પિટલમાં   ખેતીવાડી માટે વપરાતી દવા પી લેવાથી બેભાન અવસ્થામાં લાવવામાં આવેલા યુવાનને ચાર દિવસની બેભાન અવસ્થા અને એક મહિનાની વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર બાદ દવાનું ઝેર દુર કરી બચાવી લેવામાં આવ્યો હતો. એક તબક્કે આ યુવાનની તબિયત એટલી હદે હાથમાંથી સરકી ગઈ હતી કે, ઘરના વડીલોએ બચવાની આશા સદંતર છોડી દીધી હતી. અને ઘરે લઇ જવાની તબીબો પાસે પરવાનગી માગી હતી. જો કે, જી.કે. જનરલના તબીબોએ છેલ્લી ઘડીના પ્રયાસો ચાલુ રાખી મોતને હાથતાળી આપી હતી.

જી.કે.જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના ડો. દીપક બલદાનીયાનાં જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના વાવડી ગામના અનિલકુમાર બલવંત બડીવાસે(ઉ.વ.૧૯) ગયા મહીને ખેતીમાં વપરાતી દવા પી જતા બેભાન અવસ્થામાં જી.કે.ની ઈમરજ્ન્સીમાં લાવવામાં આવ્યા ત્યારે મોઢામાં ફીણ અને બી.પી. લો હતુ. શ્વાસની તકલીફને કારણે મગજ સુધી ઓક્સીજન પહોંચતું ન હોવાથી કોઈપણ ક્ષણે કટોકટી સર્જાઈ શકે એમ હતી. આવી પરિસ્થિતિ નિવારવા તબીબોએ મગજ સુધી ઓક્સીજન પહોંચાડવા મોઢામાં નળી વાટે( એન્ટીયુબેસન) ઓક્સીજન આપવાનું શરુ કર્યું. છેવટે ત્રીજા દિવસે એ યુવાન ભાનમાં આવ્યું પરંતુ, દાવાને કારણે ફેફસામાં ચેપ થઇ જવાથી ફેફસાં કામ કરતા નહોતા. વારે ઘડીએ શ્વાસની વિષમ પરિસ્થિતિ સર્જાતી હતી. ત્યારે ગળામાં કાણું કરી
વેન્ટીલેટર જોડી (ટ્રેકયોસ્ટોમી) પુન; શ્વાસ ચાલુ કર્યાં. અંતે વેન્ટીલેટર સહિત દોઢ મહિના જેટલી હોસ્પિટલમાં એ દર્દીને સારવાર આપી ઝેરી દવાની અસરમાંથી મુક્ત કરવા મેડીસીન રેસી. ડો. અવિનાશ તિવારી અને ડો. રૂબી પટેલે સારવાર આપી હતી.
અત્રે નોંધવું જોઈએ કે, જી.કે.માં વીતેલા વર્ષમાં અકસ્માતે અથવા અગમ્ય કારણોસર ખેતીવાડીની દવા, ફિનાઈલ, ધતુરાના બીજ તથા એસીડ પી જવાના ૪૬૪ જેટલા કેસો નોંધાયા હોવાનું ઈમરજંસી વિભાગનાં ડો. હિંમત કતીરાએ જણાવ્યું હતું.
-- Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.