ETV Bharat / state

ભુજમાં બનેલા મેજર બ્રીજનું વાણસભાઈ આહિરના હસ્તે લોકાર્પણ - Rakesh kotwal

ભુજઃ ભુજમાં રતનાલ-ધાણેટી-નાડાપા-હબાયના 5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રધાન વાસણભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતાં. અહીં વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, ભુજોડીની સાથે આ માર્ગ પરના ભચાઉ ઓવરબ્રીજનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. ઓવરબ્રીજના લોકાપર્ણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

kutch
author img

By

Published : Jul 15, 2019, 7:23 PM IST

રતનાલ-ધાણેટી-નાડાપા-હબાયના રૂ.5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ કરતાં વાસણભાઈ આહીરે કહ્યું હતું કે, ભુજોડી ઓવરબ્રીજનું કામ હવે તાત્કાલિક પૂર્ણ કરવા માટે કચ્છના ચારેય ધારાસભ્યો દ્વારા નીતિનભાઈ પટેલને મળીને રજૂઆત કરાતાં એ કામ હવે આવનારા આઠ માસમાં ઝડપભેર પૂર્ણ કરાશે. તેમજ લોકાર્પણ કરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જયારે ભચાઉ ઓવરબ્રીજ માટે નાની-મોટી અડચણો, ખેડૂતોના મુદ્દાઓ ઝડપથી પૂર્ણ કરી ઓવરબ્રીજનું કામ પણ ચાલુ થઈ જાય તે દિશામાં કચ્છના લોકપ્રતિનિધિઓ સક્રિય હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂજમાં 5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ
ભૂજમાં 5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કચ્છમાં જ્યાં-જ્યાં નર્મદા કેનાલ કરવાની છે, એ માટે બજેટમાં ચાલુ વર્ષે 809 કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે. તો કચ્છના ખેડૂતોએ સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી છે તેઓને ઝડપથી સબસીડી પણ ચુકવવામાં આવશે. ધાણેટી-નાડાપા રોડના કામ સંદર્ભે સ્થાનિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રના અનુસંધાને નવી ટેકનોલોજી સાથે 8 કી.મી.નાં આ રસ્તાનું આરસીસી કામ હાથ ધરવા અને સરસપર-કુનરીયા માર્ગના જોબ નંબર મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભુજોડી ઓવરબ્રીજનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં એસટી બસ પણ આ જ માર્ગ પર પલટી મારી જતા એક મહિલાનું મોત થયું હતું. હવે ફરી વાર ઓવરબ્રીજનું કામ પુરૂ કરવા સાથે લોકાપર્ણની તારીખ પણ નકકી થઈ હોવાનું જણાવાયું છે ત્યારે ફરી એકવાર કચ્છીજનો વાયદાનો શિકાર થશે કે કામ પુરૂ થશે તે સમય જ કહેશે.


રતનાલ-ધાણેટી-નાડાપા-હબાયના રૂ.5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ કરતાં વાસણભાઈ આહીરે કહ્યું હતું કે, ભુજોડી ઓવરબ્રીજનું કામ હવે તાત્કાલિક પૂર્ણ કરવા માટે કચ્છના ચારેય ધારાસભ્યો દ્વારા નીતિનભાઈ પટેલને મળીને રજૂઆત કરાતાં એ કામ હવે આવનારા આઠ માસમાં ઝડપભેર પૂર્ણ કરાશે. તેમજ લોકાર્પણ કરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જયારે ભચાઉ ઓવરબ્રીજ માટે નાની-મોટી અડચણો, ખેડૂતોના મુદ્દાઓ ઝડપથી પૂર્ણ કરી ઓવરબ્રીજનું કામ પણ ચાલુ થઈ જાય તે દિશામાં કચ્છના લોકપ્રતિનિધિઓ સક્રિય હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂજમાં 5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ
ભૂજમાં 5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કચ્છમાં જ્યાં-જ્યાં નર્મદા કેનાલ કરવાની છે, એ માટે બજેટમાં ચાલુ વર્ષે 809 કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે. તો કચ્છના ખેડૂતોએ સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી છે તેઓને ઝડપથી સબસીડી પણ ચુકવવામાં આવશે. ધાણેટી-નાડાપા રોડના કામ સંદર્ભે સ્થાનિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રના અનુસંધાને નવી ટેકનોલોજી સાથે 8 કી.મી.નાં આ રસ્તાનું આરસીસી કામ હાથ ધરવા અને સરસપર-કુનરીયા માર્ગના જોબ નંબર મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભુજોડી ઓવરબ્રીજનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં એસટી બસ પણ આ જ માર્ગ પર પલટી મારી જતા એક મહિલાનું મોત થયું હતું. હવે ફરી વાર ઓવરબ્રીજનું કામ પુરૂ કરવા સાથે લોકાપર્ણની તારીખ પણ નકકી થઈ હોવાનું જણાવાયું છે ત્યારે ફરી એકવાર કચ્છીજનો વાયદાનો શિકાર થશે કે કામ પુરૂ થશે તે સમય જ કહેશે.


Intro: કચ્છના પાટનગર ભૂજ નજીકે આવેલા ભુજોડી ગામ પાસે રાજયધોરી માર્ગ પર ઓવરબ્રીજના મુદ્દે ફરી એકવાર નાયબ મુખ્યપ્રધાને આઠ માસમાં કામ આટોપી લેવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. 2017ની વિધાનસભા ચુંટણી સમયે ભૂજમાં આવી જ બાંહેધરી અપાઈ હતી હજુ સુધી કામ પુરું થયું નથી. રાજયકક્ષના પ્રધાન વાસણભાઈ આહીરે આ જાહેરતા કરતા જણાવ્યું છે કે ભુજોડીની સાથે આજ માર્ગ પરના ભચાઉ ઓવરબ્રીજનું કામ પણ પુર્ણ કરીને ઓવરબ્રીજના લોકાપર્ણની પણ તારીખ નકકી કરી લેવામાં આવી છે.
Body:
રતનાલ-ધાણેટી-નાડાપા-હબાયના રૂ. પ કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજના લોકાર્પણ કરતાં કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે કહયું હતું કે ભુજોડી ઓવરબ્રીજનું કામ હવે તાત્કાલિક પૂર્ણ કરવા માટે કચ્છના ચારેય ધારાસભ્યો દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને મળીને રજૂઆત કરાતાં એ કામ હવે આવનારા આઠ માસમાં ઝડપભેર પૂર્ણ કરાશે અને લોકાર્પણ કરવા માટેની તારીખ પણ નક્કી કરાઇ ચૂકી છે, જયારે ભચાઉ ઓવરબ્રીજ માટે નાની-મોટી અડચણો, ખેડૂતોના ઇસ્યુ ઝડપથી પૂર્ણ કરી ઓવરબ્રીજનું કામ પણ ચાલુ થઇ જાય એ દિશામાં કચ્છના લોકપ્રતિનિધિઓ સક્રિય છે, એમ ખાતરી સાથેનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કચ્છમાં જયાં-જયાં નર્મદા કેનાલ કરવાની છે, એ માટે બજેટમાં ચાલુ વર્ષે રૂ. ૮૦૯ કરોડની જોગવાઇ કરાઇ છે. ઝડપથી એ કેનાલોના કામો પૂર્ણ થાય એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. કચ્છના ૭૦ જેટલાં ખેડૂતોએ રૂ. ૧૩૬૦૦/-ની ઇનપુટ સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી છે તેઓને ઝડપથી સબસીડી ચૂકવણું કરાશે તેવો પણ નિર્દેશ આપ્યો હતો. વધુમાં ધાણેટી-નાડાપા રોડના કામો સંદર્ભે સ્થાનિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રના અનુસંધાને નવી ટેકનોલોજી સાથે આઠ કી.મી.ના આ રસ્તાનું આરસીસી કામ હાથ ધરવા અને સરસપર-કુનરીયા માર્ગના જોબ નંબર મેળવવાના પ્રયાસો હાથ ધરવાની પણ ધરપત આપી હતી.

ઉલ્લેખનીય છે કે ભુજોડી ઓવરબ્રીજનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહયા છે. તાજેતરમાં એસટી બસ પણ આ જ માર્ગ પર પલટી મારી જતા એક મહિલાનું મોત થયું છે. હવે ફરી વાર ઓવરબ્રીજનું કામ પુરૂ કરવા સાથે લોકાપર્ણની તારીખ પણ નકકી થઈ હોવાનું જણાવાયું છે ત્યારે ફરી એકવાર કચ્છીજનો વાયદાનો શિકાર થશે કે કામ પુરૂ થશે તે સમય પર આધારિત છે.


Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.