ETV Bharat / state

ગાંધીધામમાંથી 11 લાખની લૂંટ કરી નાસી છૂટેલાં આરોપીઓની ધરપકડ - ગાંધીધામમાંથી 11 લાખની લૂંટ કરી નાસી છૂટેલાં આરોપીઓ ઝડપાયા

કચ્છઃ જિલ્લાના ગાંધીધામમાંથી મંગળવારે રૂપિયા 11 લાખની લૂંટ કરીને નાસી છુટેલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગાંધીધામની આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવી ફરાર થયેલી ગેંગને પોતાના ગામમાં પગ મુકતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. લૂંટ કરનારમાં 6થી7 યુવકોની ટોળકી સામેલ હતી. જેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીધામમાંથી 11 લાખની લૂંટ કરી નાસી છૂટેલાં આરોપીઓ ઝડપાયા
author img

By

Published : Oct 16, 2019, 2:31 PM IST

આ લૂંટ કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે," બે આરોપી રાધનપુર આંગડીયું કરવું છે તેમ કહી પ્રવેશ્યાં હતાં. આંગડીયા પેઢીના સંચાલક બાબુલાલ મહાદેવભાઈ પ્રજાપતિ પોતે પણ રાધનપુર બાજુના વતની છે. તેઓ બન્નેની ભાષા પણ પારખી ગયા હતાં. પ્રાથમિક વાતચીતમાં બાબુલાલને તેમણે એ પણ જણાવી દીધું કે અમે રાધનપુરના જ છીએ, ત્યારબાદ તેમણે બાબુલાલને છરી મારવા પ્રયાસ કર્યો હતો. બાબુલાલે હાથ આડો કરી દેતાં છરી આંગળીમાં વાગી હતી અને ત્યાર બાદ બીજાએ બાબુલાલના માથાના ભાગે મારતા બેભાન થઈ ગયાં હતાં, ત્યારબાદ તેઓ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગનો થેલો લૂંટી નાસી છૂટ્યાં હતાં.

ગાંધીધામમાંથી 11 લાખની લૂંટ કરી નાસી છૂટેલાં આરોપીઓની ધરપકડ

આ ઘટના બાદ તપાસમાં લાગેલ પોલીસ ટીમોએ ભોગ બનનાર બાબુલાલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયાસ કર્યો, ત્યારે બાબુલાલે આરોપીઓ રાધનપુર બાજુના હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના ચહેરા CCTVમાં સ્પષ્ટ દેખાતા હતાં. પોલીસે રાધનપુરની દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન SOGના ASI રમજુભાઈને CCTVમાં દેખાતો યુવક રાધનપુરનો હિસ્ટ્રીશીટર પંકજ ડોંગરે હોવાની બાતમી મળી હતી.

કચ્છ પોલીસે ગાંધીધામથી રાધનપુર જતા રસ્તે આરોપીઓનું પગેરું દબાવવાનું શરૂ કરતાં ભચાઉ-રાપર રોડ પરથી બિનવારસી થેલો મળી આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, ગેંગ રાધનપુર તરફ જ નાસી ગઇ છે. બીજી તરફ આરોપીઓ રાધનપુર પહોંચ્યા કે રસ્તામાં વૉચમાં રહેલી પોલીસે તેમને દબોચી લીધા હતાં. રાધનપુર પોલીસે પંકજ ડોંગરે, મહેશ રબારી અને કૌશિક પટેલ (ચૌધરી)ને ઝડપી લીધા હતાં. તેમની પૂછપરછમાં ગાંધીધામના મુકેશ દેસાઈનું નામ ખુલતાં પોલીસે અહીંથી તેને પણ દબોચી લીધો હતો, ત્યારબાદ આરોપીઓની તપાસ હાથ ધરતા તેની પાસેથી રાધનપુર પોલીસે 82 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી.

લૂંટના આગલા દિવસે રાધનપુરનો મહેશ રબારી બે સાગરિતો સાથે ગાંધીધામ આવ્યો હતો અને તેણે આ અંગે ફોન કરી મુકેશને જાણ કરી હતી. મહેશના સાગરિતો આંગડીયા પેઢીમાં જઈ લૂંટ કરશે અને તેમને સ્થળ પર મુકેશ રબારી મોટર સાયકલ પર બેસાડી લઈ જશે તેવું આયોજન કર્યું હતું. લૂટ કર્યા બાદ ત્રણેય લોકો મોટર સાયકલ પર બેસી ગાંધીધામ ચુંગી નાકા પહોંચી જશે. આ પ્લાન મુજબ મુકેશ રબારી લૂટ પૂર્વે ઘટનાસ્થળની રેકી કરી બંનેને મોટર સાયકલ પર બેસાડી લઈ આવ્યો હતો. લૂંટ બાદ તેમને ચુંગી નાકા પાસે મુકી આવ્યો હતો, ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને નોકરી પર જતો રહ્યો હતો. આમ, આ ઘટનામાં સામેલ તમામ યુવકોની કડક તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ લૂંટ કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે," બે આરોપી રાધનપુર આંગડીયું કરવું છે તેમ કહી પ્રવેશ્યાં હતાં. આંગડીયા પેઢીના સંચાલક બાબુલાલ મહાદેવભાઈ પ્રજાપતિ પોતે પણ રાધનપુર બાજુના વતની છે. તેઓ બન્નેની ભાષા પણ પારખી ગયા હતાં. પ્રાથમિક વાતચીતમાં બાબુલાલને તેમણે એ પણ જણાવી દીધું કે અમે રાધનપુરના જ છીએ, ત્યારબાદ તેમણે બાબુલાલને છરી મારવા પ્રયાસ કર્યો હતો. બાબુલાલે હાથ આડો કરી દેતાં છરી આંગળીમાં વાગી હતી અને ત્યાર બાદ બીજાએ બાબુલાલના માથાના ભાગે મારતા બેભાન થઈ ગયાં હતાં, ત્યારબાદ તેઓ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગનો થેલો લૂંટી નાસી છૂટ્યાં હતાં.

ગાંધીધામમાંથી 11 લાખની લૂંટ કરી નાસી છૂટેલાં આરોપીઓની ધરપકડ

આ ઘટના બાદ તપાસમાં લાગેલ પોલીસ ટીમોએ ભોગ બનનાર બાબુલાલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયાસ કર્યો, ત્યારે બાબુલાલે આરોપીઓ રાધનપુર બાજુના હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના ચહેરા CCTVમાં સ્પષ્ટ દેખાતા હતાં. પોલીસે રાધનપુરની દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન SOGના ASI રમજુભાઈને CCTVમાં દેખાતો યુવક રાધનપુરનો હિસ્ટ્રીશીટર પંકજ ડોંગરે હોવાની બાતમી મળી હતી.

કચ્છ પોલીસે ગાંધીધામથી રાધનપુર જતા રસ્તે આરોપીઓનું પગેરું દબાવવાનું શરૂ કરતાં ભચાઉ-રાપર રોડ પરથી બિનવારસી થેલો મળી આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, ગેંગ રાધનપુર તરફ જ નાસી ગઇ છે. બીજી તરફ આરોપીઓ રાધનપુર પહોંચ્યા કે રસ્તામાં વૉચમાં રહેલી પોલીસે તેમને દબોચી લીધા હતાં. રાધનપુર પોલીસે પંકજ ડોંગરે, મહેશ રબારી અને કૌશિક પટેલ (ચૌધરી)ને ઝડપી લીધા હતાં. તેમની પૂછપરછમાં ગાંધીધામના મુકેશ દેસાઈનું નામ ખુલતાં પોલીસે અહીંથી તેને પણ દબોચી લીધો હતો, ત્યારબાદ આરોપીઓની તપાસ હાથ ધરતા તેની પાસેથી રાધનપુર પોલીસે 82 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી.

લૂંટના આગલા દિવસે રાધનપુરનો મહેશ રબારી બે સાગરિતો સાથે ગાંધીધામ આવ્યો હતો અને તેણે આ અંગે ફોન કરી મુકેશને જાણ કરી હતી. મહેશના સાગરિતો આંગડીયા પેઢીમાં જઈ લૂંટ કરશે અને તેમને સ્થળ પર મુકેશ રબારી મોટર સાયકલ પર બેસાડી લઈ જશે તેવું આયોજન કર્યું હતું. લૂટ કર્યા બાદ ત્રણેય લોકો મોટર સાયકલ પર બેસી ગાંધીધામ ચુંગી નાકા પહોંચી જશે. આ પ્લાન મુજબ મુકેશ રબારી લૂટ પૂર્વે ઘટનાસ્થળની રેકી કરી બંનેને મોટર સાયકલ પર બેસાડી લઈ આવ્યો હતો. લૂંટ બાદ તેમને ચુંગી નાકા પાસે મુકી આવ્યો હતો, ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને નોકરી પર જતો રહ્યો હતો. આમ, આ ઘટનામાં સામેલ તમામ યુવકોની કડક તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:કાનુન કૈ હાથ બડે લંબે હોતે હૈ. કઈંક આવી જ રીતે કચ્છના ગાંધીધામથી રૂ.ય 11 લાખની લુટ કરીને નાસી છુટેલા આરોપીઓ માટે થયું છે. ગઈકાલે થયેલી લુટનો ભેદ ઉકલીને પોલીસે એક ગેંગને પકડી પાડી છે.    ગાંધીધામની આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવી નાસી ગયેલી  ગેંગ પોતાના ગામમાં પગ મુકતાજ પોલીસ તેના સ્વાગત માટે તૈયારી ઉભી હતી.  લૂંટ કરનાર છથી સાત યુવકોની ટોળકી રાધનપુરની હતી ને ગુનો જાહેર થયાનાં ગણતરીનાં કલાકોમાં પોલીસ પાસે ટોળકીના એક હિસ્ટ્રીશીટરનો ફોટો-કુંડળી આવી ગઈ હતી. લૂંટ કરવા માટે આંગડીયા પેઢીમાં આરોપી પ્રવેશ્યાં ત્યારે તેમણે એમ કહ્યું હતું કે ‘રાધનપુર આંગડીયું કરવું છે.’ બસ આ એક જ વાક્યએ તેમની ઓળખ છતી કરી દીધી હતી અને પોલીસ માટે તપાસ આસાન બની ગઈ હતી. Body:
પોલીસે જણાવ્યું હતું કે  બે આરોપી રાધનપુર આંગડીયું કરવું છે તેમ કહી પ્રવેશ્યાં હતા. આંગડીયા પેઢીના સંચાલક બાબુલાલ મહાદેવભાઈ પ્રજાપતિ પોતે પણ રાધનપુર બાજુના વતની છે. તેઓ બન્નેની  ભાષા પણ પારખી ગયેલાં. પ્રાથમિક વાતચીતમાં બાબુલાલને તેમણે એ પણ જણાવી દીધું કે અમે રાધનપુરના જ છીએ  ત્યારબાદ તેમણે બાબુલાલને છરી મારવા પ્રયાસ કર્યો હતો. બાબુલાલે હાથ આડો કરી દેતાં છરી ટચલી આંગળીમાં વાગી હતી. બીજાએ બાબુલાલના માથામાં મુક્કા મારી-ગળું દબાવી દેતાં બાબુલાલ બેભાન થઈ ગયાં હતા. ત્યારબાદ તેઓ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગનો થેલો લૂંટી નાસી છૂટ્યાં હતા.
આ ઘટના બાદ તપાસમાં જોતરાયેલી પોલીસ ટીમોએ  ભોગ બનનાર બાબુલાલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયાસ કર્યો ત્યારે બાબુલાલે આરોપીઓ રાધનપુર બાજુના હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હતા  પોલીસે રાધનપુરની દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી. દરમિયાન, એસઓજીના એએસઆઈ રમજુભાઈને સીસીટીવીમાં દેખાતો ઊંચો, પાતળો, દાઢીધારી યુવક રાધનપુરનો હિસ્ટ્રીશીટર પંકજ ડોંગરે (ભીલ) હોવાની બાતમી મળી હતી. પોલીસે તુરંત પોકેટ કોપ એપ્લિકેશનમાં પંકજ નામ ટાઈપ કરીને સર્ચ કરી પંકજના બીજા ફોટોગ્રાફ કાઢીને બાબુલાલને બતાડ્યાં હતા. બાબુલાલે પંકજને ઓળખી બતાડતાં પોલીસનું કામ હવે આસાન થઈ ગયું હતું.  તુરંત જ એસપી પરીક્ષિતા રાઠોડે બે પીએસઆઈને રાધનપુર રવાના કર્યાં હતા.  રાધનપુર પોલીસે માર્ગો પર વૉચ ગોઠવી દીધી હતી. દરમિયાન, રાધનપુર પોલીસને પણ બાતમીદારો પાસેથી વધુ માહિતી મળી હતી કે પંકજની સાથે કૌશિક પટેલ (ચૌધરી), મહેશ રબારી અને અન્ય 3 યુવકો સફેદ રંગની અર્ટીકા કાર સાથે આગલા દિવસે જ રાધનપુરથી ગાંધીધામ ગયા હતા.
કચ્છ પોલીસે ગાંધીધામથી રાધનપુર જતા રસ્તે આરોપીઓનું પગેરું દબાવવાનું શરૂ કરતાં ભચાઉ-રાપર રોડ પરથી બીનવારસી થેલો મળી આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ગેંગ રાધનપુર તરફ જ નાઠી છે.  બીજી તરફ, આરોપીઓ રાધનપુર પહોંચ્યા કે રસ્તામાં વૉચમાં રહેલી પોલીસે તેમને દબોચી લીધા હતા.  રાધનપુર પોલીસે પંકજ ડોંગરે, મહેશ રબારી અને કૌશિક પટેલ (ચૌધરી)ને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં ગાંધીધામના મુકેશ દેસાઈનું નામ ખુલતાં પોલીસે અહીંથી તેને દબોચી લીધો હતો. આરોપીઓ પાસેથી રાધનપુર પોલીસે 82 હજારની રોકડ રકમ કબ્જે કરી છે. ગાંધીધામમા એસપીસ પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે તપાસમાં  લૂંટનો માસ્ટરમાઈન્ડ મુકેશ શિવાભાઈ દેસાઈ હોવાનું સામે આવ્યું હતું.  મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુર (ઉણ) ગામનો વતની અને ગાંધીધામમાં મીત રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરતો મુકેશ અવારનવાર બાબુલાલની પેઢીમાં આંગડીયું કરવા જતો હતો. દરમિયાન, એકાદ માસ અગાઉ રાધનપુરનો મહેશ રબારી અને કૌશિક ચૌધરી બેઉ જણ ગાંધીધામ મુકેશને મળવા આવ્યા ત્યારે આ ત્રણેય જણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે પંકજ ડોંગરે અને અન્ય લોકોને સામેલ કર્યાં હતા
લૂંટના આગલા દિવસે રાધનપુરનો મહેશ રબારી બે સાગરિતો સાથે ગાંધીધામ આવી ગયો હતો અને તેણે આ અંગે ફોન કરી મુકેશને જાણ કરી હતી. મહેશના સાગરિતો આંગડીયા પેઢીમાં જઈ લૂંટ કરશે અને તેમને સ્થળ પર મુકેશ રબારી મોટર સાયકલ પર બેસાડી લઈ જશે તેવું આયોજન થયું હતું. લૂંટ કર્યા બાદ ત્રણેય જણાં મોટર સાયકલ પર બેસી ગાંધીધામ ચુંગી નાકા પહોંચી જશે. જ્યાં પહેલાંથી કાર સાથે આરોપીઓ હાજર હશે અને તેઓ તેમાં બેસી ફરાર થઈ જશે. આ પ્લાન મુજબ મુકેશ રબારી લૂંટ પૂર્વે ઘટનાસ્થળની રેકી કરી બંનેને મોટર સાયકલ પર બેસાડી લઈ આવ્યો હતો અને લુંટ બાદ તેમને ચુંગીૂ નાકા પાસે મુકી આવ્યો હતો. ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને નોકરી પર જતો રહયો હતો. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરીને લુંટની રકમ કબ્જે લેવા કાર્યવાહી હાથ ધરી છે. 

બાઈટ નંબર એકપરીક્ષિતા રાઠોડએસપી, ગાંધીધામ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.