ETV Bharat / state

ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

ખેડાના મુગટપુરા ગામે એક લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જો કે, ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી. આ ટાંકીની જર્જરિત હાલતને લઈને ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.

author img

By

Published : Jun 30, 2020, 10:50 PM IST

ETV BHARAT
ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના મુગટપુરા ગામે એક લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી થઇ છે. આ ટાંકી દ્વારા 5 ગામને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે, પરંતુ આ ટાંકી ગત ઘણા સમયથી જર્જરિત હતી. જેથી આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત પડતી નહોતી. જેથી ગ્રામજનોને જેનો ભય હતો, તે ઘટના બની છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ટાંકી ધરાશાયી થતાં 5 ગામના અંદાજે 3,500 લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે છે.

ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના મુગટપુરા ગામે એક લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી થઇ છે. આ ટાંકી દ્વારા 5 ગામને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે, પરંતુ આ ટાંકી ગત ઘણા સમયથી જર્જરિત હતી. જેથી આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત પડતી નહોતી. જેથી ગ્રામજનોને જેનો ભય હતો, તે ઘટના બની છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ટાંકી ધરાશાયી થતાં 5 ગામના અંદાજે 3,500 લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.