ખેડા: નડિયાદની નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય વ્યક્તિને કોરોનાના કારણે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર સફળ થતા તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેઓને ગુલાબ આપી તાળીઓથી વધાવી વિદાય આપવામાં આવી હતી.