ETV Bharat / state

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો - Nadiad

ખેડાઃ જિલ્લાના વડામથક નડિયાદમાં “આંતરરાષ્‍ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદસર વેપાર વિરોધ દિન”(INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICIT TRAFFICKING) ઉજવાયો હતો. જેના ભાગરૂપે જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિઆદ દ્વારા લોકોમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારનાં વિશ્વવ્યાપી દુષણ સામે જનજાગૃતિ લાવીને કાર્યક્રમનું યોજાયો હતો. આ કાર્યક્રમ નડિયાદની  મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ.માં રાખવામાં આવ્યો હતો. જેમાં કાનૂની સેવા મંડળના સભ્યો સહિત સ્થાનિકો મોટી સંખ્યામા હાજર રહ્યાં હતાં.

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી ઉજવાયો, નશીલા પદાર્થોથી રહેવા અને કાનૂની સલાહ લેવા કરાઇ અપીલ
author img

By

Published : Jun 27, 2019, 5:42 AM IST

જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્યાયાલય, નડિઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એલ. ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, "આ વિશ્વમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારની ગુનાહિત કામગીરી ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં નવીન દવાઓ ગરીબ માણસો પર પરીક્ષણ કરવામાં આવે છે. અમુક માદક દ્રવ્‍યો ધરાવતી દવાઓને નશા તરીકે પ્રચલિત કરીને બાળકો તથા યુવાનોને તેના વ્‍યસની બનાવવામાં આવી રહ્યા છે. જેને અટકાવવાના ઉમદા હેતુસર સયંકત રાષ્‍ટ્ર સંઘ દ્વારા તારીખ 25 મી જુનને “આંતરરાષ્‍ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધ દિન” તરીકે જાહેર કરાયો છે. આ દિવસે દુષણ સામે લોકોમાં જનજાગૃતિ લાવવાની કામગીરી વિશ્વકક્ષાએ કરવામાં આવી રહી છે. યુવાનો અને બાળકોએ આપણા દેશનું ભવિષ્‍ય છે. તેઓએ તમાકુ-સિગારેટ કે નશીલી દવાઓના વ્‍યસનોથી દુર રહીને એક ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ."

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો

મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય વિશે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, સામાન્ય વર્ગનાં રૂપિયા એક લાખથી ઓછી આવક ધરાવતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકોને અને ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્‍ટિ જેવી કુદરતી આપત્તિઓનો ભોગ બનેલા લોકો તેમજ જેલમાં રહેલા કેદીઓ આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય તથા જરૂરી કિસ્‍સામાં વકીલ પણ ફાળવવામાં આવે છે. આ સેવા સૌ જરૂરીયાતમંદોને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવા આવી છે.

મદદનીશ સરકારી વકીલ પ્રેમ તિવારીએ જણાવ્‍યું હતું કે, "આ દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારને નેસ્તનાબૂદ કરવા રાજય સરકારનું વહિવટીતંત્ર પણ સઘન કાર્યવાહી કરી રહ્યું છે." આમ નડિયાદના નવપ્રભાત વ્યસન મુકિત કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમમાં વ્‍યસનથી થતાં રોગો-નુકસાનની માહિતી આપીને વ્‍યસન મુક્તિને લગતું પ્રદર્શન અને પ્રવચન પણ કરવામાં આવ્‍યું હતું. જેથી લોકો પોતાના જીવનનું મહત્વ સમજી શકે અને પોતાની જાતને વ્યસનના ખાડામાં પડતાં અટકાવી શકે.

જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્યાયાલય, નડિઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એલ. ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, "આ વિશ્વમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારની ગુનાહિત કામગીરી ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં નવીન દવાઓ ગરીબ માણસો પર પરીક્ષણ કરવામાં આવે છે. અમુક માદક દ્રવ્‍યો ધરાવતી દવાઓને નશા તરીકે પ્રચલિત કરીને બાળકો તથા યુવાનોને તેના વ્‍યસની બનાવવામાં આવી રહ્યા છે. જેને અટકાવવાના ઉમદા હેતુસર સયંકત રાષ્‍ટ્ર સંઘ દ્વારા તારીખ 25 મી જુનને “આંતરરાષ્‍ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધ દિન” તરીકે જાહેર કરાયો છે. આ દિવસે દુષણ સામે લોકોમાં જનજાગૃતિ લાવવાની કામગીરી વિશ્વકક્ષાએ કરવામાં આવી રહી છે. યુવાનો અને બાળકોએ આપણા દેશનું ભવિષ્‍ય છે. તેઓએ તમાકુ-સિગારેટ કે નશીલી દવાઓના વ્‍યસનોથી દુર રહીને એક ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ."

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો

મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય વિશે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, સામાન્ય વર્ગનાં રૂપિયા એક લાખથી ઓછી આવક ધરાવતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકોને અને ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્‍ટિ જેવી કુદરતી આપત્તિઓનો ભોગ બનેલા લોકો તેમજ જેલમાં રહેલા કેદીઓ આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય તથા જરૂરી કિસ્‍સામાં વકીલ પણ ફાળવવામાં આવે છે. આ સેવા સૌ જરૂરીયાતમંદોને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવા આવી છે.

મદદનીશ સરકારી વકીલ પ્રેમ તિવારીએ જણાવ્‍યું હતું કે, "આ દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારને નેસ્તનાબૂદ કરવા રાજય સરકારનું વહિવટીતંત્ર પણ સઘન કાર્યવાહી કરી રહ્યું છે." આમ નડિયાદના નવપ્રભાત વ્યસન મુકિત કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમમાં વ્‍યસનથી થતાં રોગો-નુકસાનની માહિતી આપીને વ્‍યસન મુક્તિને લગતું પ્રદર્શન અને પ્રવચન પણ કરવામાં આવ્‍યું હતું. જેથી લોકો પોતાના જીવનનું મહત્વ સમજી શકે અને પોતાની જાતને વ્યસનના ખાડામાં પડતાં અટકાવી શકે.

R_GJ_KHD_03_26JUNE19_DRUG_DAY_AV_DHARMENDRA_7203754 

 “આંતરરાષ્‍ટ્રિય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદસર વેપાર વિરોધ દિન”(INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICIT TRAFFICKING) ઉજવણીનાં ભાગ રૂપે જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિઆદ દ્વારા લોકોમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારનાં વિશ્ર્વવ્યાપી દુષણ સામે જનજાગૃતિ લાવીને આ દુષણને નાબુદ કરવાના ઉમદા હેતુસર એક કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું  આયોજન નડિઆદ સ્‍થિત મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ.ખાતે કરવામાં આવ્‍યું હતું.
 જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્યાયાલય, નડિઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર એલ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, આ વિશ્ર્વમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારની ગુનાહિત કામગીરી ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે જેમાં નવિન દવાઓના ગરીબ માણસો પર પરીક્ષણ કરવામાં આવે છે તે તથા અમુક માદક દ્રવ્‍યો ધરાવતી દવાઓને નશા તરીકે પ્રચલિત કરીને બાળકો તથા યુવાનોને તેના વ્‍યસની બનાવવામાં આવી રહયા છે, જેને અટકાવવાના ઉમદા હેતુસર સયંકત રાષ્‍ટ્ર સંઘ દ્વારા તા .૨૬ મી જુનને “આંતરરાષ્‍ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધ દિન” તરીકે જાહેર કરેલ છે અને આ દિવસે આ દુષણ સામે લોકોમાં જનજાગૃતિ લાવવાની કામગીરી વિશ્ર્વ કક્ષાએ કરવામાં આવી રહી છે. યુવાનો અને બાળકો એ આપના દેશનું ભવિષ્‍ય છે તેઓએ તમાકુ-સિગારેટટ કે નશીલી દવાઓ એ તમામ પ્રકારનાં વ્‍યસનોથી દુર રહીને એક ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ. વધુમાં તેઓએ મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય વિષે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, સામાન્ય વર્ગનાં રૂ. એક લાખથી ઓછી આવક ધરાવતા વ્‍યકિતઓ તથા બાળકો, મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકો , ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્‍ટિ જેવી કુદરતી આપત્તિઓનો ભોગ બનેલા લોકો અને જેલમાં રહેલા કેદીઓ તમામને આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય તથા જરૂરી કિસ્‍સામાં વકિલ પણ ફાળવી આપવામાં આવે છે, આ સેવા સૌ જરૂરીયાતમંદોને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોટથી લઈને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવા આવી છે. તે વિશેની વિસ્‍તૃત માહિતી અને જાણકારી આપી હતી,  મદદનીશ સરકારી વકિલ પ્રેમ તિવારીએ જણાવ્‍યું હતું કે,આ દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારને નેસ્તનાબૂદ કરવા રાજય સરકારનું વહિવટી તંત્ર પણ સઘન કાર્યવાહસ કરી રહેલ છે. અને આવા કૃત્યો  કરનાર અસામાજિક તત્વો સામે જરૂર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતર આપી હતી તથા નવપ્રભાત વ્યસન મુકિત કેન્રદ દ્વારા આ કાર્યક્રમમાં વ્‍યસનથી થતાં રોગો-નુકસાનની માહિતી તથા વ્‍યસન મુકિતને લગતું પ્રદર્શન અને પ્રવચન પણ કરવામાં આવ્‍યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.