ETV Bharat / state

નડિયાદમાં રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષની બેઠક મળી

author img

By

Published : Aug 18, 2019, 2:37 AM IST

ખેડા :નડિયાદ સરકીટ હાઉસ ખાતે રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષ મનહરભાઇ ઝાલાએ કલેકટર સુધીર પટેલ,જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર,નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા તથા ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતમાં સફાઇ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી.તેમજ તેનો હકારાત્‍મક ઉકેલ કરવા ચીફ ઓફિસરોને સુચનાઓ આપી હતી.

etv bharat kheda

રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્‍યું કે, દેશના સીમાડાઓની સૈનિકો રક્ષા કરે છે. તેમ સ્‍વચ્‍છતા (સફાઇ) સૈનિકો શહેરને સ્‍વચ્‍છ રાખી શહેરીજનોના આરોગ્‍યનું રક્ષણ કરે છે. સફાઇ માનવીય સંવેદનાઓ સાથે કર્મચારીઓના પ્રશ્‍નોનો ઝડપી અને હકારાત્‍મક ઉકેલ લાવવા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરોને અનુરોધ કર્યો છે.રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ ખેડા જિલ્‍લાના તમામ 10 નગરપાલિકાઓમાં સફાઇ કર્મીઓને પાયાની અને માળખાગત તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્‍યું હતું.

તેમજ સફાઇ કર્મીઓ પાસે માથે મેલુ ઉપાડવા તેમજ હાથથી સફાઇ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. ઝાલાએ સફાઇ કર્મીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવા, તેમના બાળકો ઉચ્‍ચ શિક્ષણ માટેની વ્‍યવસ્‍થા, સફાઇ કર્મચારીના મૃત્‍યુના કિસ્‍સામાં વારસદારને નોકરી, બઢતી, આર.ટી.ઇ હેઠળ સફાઇ કર્મીઓના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા અંગે તકેદારી રાખવા જણાવ્‍યું હતું.નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૦૩ માં મૃત્‍યુ પામેલ સફાઇ કર્મચારીઓને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી સહાય સત્‍વરે ચુકવવા તેમણે ચીફ ઓફિસરને તાકીદ કરી હતી.કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે સફાઇ કર્મીઓના આરોગ્‍યની તપાસ માટે દર ચાર માસે નિદાન સારવાર કેમ્પ કરવામાં આવે છે.

તમામ સફાઇ કર્મચારીઓને આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ આરોગ્‍ય સારવાર માટે કાર્ડ પૂરા પાડવામાં આવ્‍યા છે. સફાઇ કર્મચારીઓના પ્રશ્‍નોનો સમય મર્યાદામાં હકારાત્‍મક ઉકેલ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્‍યું હતું.

નડિયાદમાં રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષની બેઠક મળી
નાયબ નિયામક (અ.જા) વસાવાએ અનુ.જાતિઓ માટેની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી.સફાઇ કર્મચારી એસોસિએશનના પ્રમુખ ભૂપેન્‍દ્રભાઇ સોલંકીએ સફાઇ કર્મચારીઓ વતી સફાઇ કર્મીઓને લઘુતમ વેતન, સફાઇ કર્મીઓને કાયમી કરવા, PF, EPF,કપાત કરવા, સફાઇ કર્મીઓને પ્રમોશન, બાળકો માટે શિક્ષણની વ્‍યવસ્‍થા, શહેરોની હદ વધતા વધુ સફાઇ કર્મીઓની ભરતી કરવા, પ્રગતિનગરના લોકોને હપ્‍તા ભરપાઇ થતા NOC આપવા, આવાસો પુરા પાડવા જેવી રજુઆતો કરી હતી.આ બેઠકમાં અધિકારીઓ સહિત સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્‍યું કે, દેશના સીમાડાઓની સૈનિકો રક્ષા કરે છે. તેમ સ્‍વચ્‍છતા (સફાઇ) સૈનિકો શહેરને સ્‍વચ્‍છ રાખી શહેરીજનોના આરોગ્‍યનું રક્ષણ કરે છે. સફાઇ માનવીય સંવેદનાઓ સાથે કર્મચારીઓના પ્રશ્‍નોનો ઝડપી અને હકારાત્‍મક ઉકેલ લાવવા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરોને અનુરોધ કર્યો છે.રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ ખેડા જિલ્‍લાના તમામ 10 નગરપાલિકાઓમાં સફાઇ કર્મીઓને પાયાની અને માળખાગત તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્‍યું હતું.

તેમજ સફાઇ કર્મીઓ પાસે માથે મેલુ ઉપાડવા તેમજ હાથથી સફાઇ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. ઝાલાએ સફાઇ કર્મીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવા, તેમના બાળકો ઉચ્‍ચ શિક્ષણ માટેની વ્‍યવસ્‍થા, સફાઇ કર્મચારીના મૃત્‍યુના કિસ્‍સામાં વારસદારને નોકરી, બઢતી, આર.ટી.ઇ હેઠળ સફાઇ કર્મીઓના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા અંગે તકેદારી રાખવા જણાવ્‍યું હતું.નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૦૩ માં મૃત્‍યુ પામેલ સફાઇ કર્મચારીઓને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી સહાય સત્‍વરે ચુકવવા તેમણે ચીફ ઓફિસરને તાકીદ કરી હતી.કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે સફાઇ કર્મીઓના આરોગ્‍યની તપાસ માટે દર ચાર માસે નિદાન સારવાર કેમ્પ કરવામાં આવે છે.

તમામ સફાઇ કર્મચારીઓને આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ આરોગ્‍ય સારવાર માટે કાર્ડ પૂરા પાડવામાં આવ્‍યા છે. સફાઇ કર્મચારીઓના પ્રશ્‍નોનો સમય મર્યાદામાં હકારાત્‍મક ઉકેલ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્‍યું હતું.

નડિયાદમાં રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષની બેઠક મળી
નાયબ નિયામક (અ.જા) વસાવાએ અનુ.જાતિઓ માટેની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી.સફાઇ કર્મચારી એસોસિએશનના પ્રમુખ ભૂપેન્‍દ્રભાઇ સોલંકીએ સફાઇ કર્મચારીઓ વતી સફાઇ કર્મીઓને લઘુતમ વેતન, સફાઇ કર્મીઓને કાયમી કરવા, PF, EPF,કપાત કરવા, સફાઇ કર્મીઓને પ્રમોશન, બાળકો માટે શિક્ષણની વ્‍યવસ્‍થા, શહેરોની હદ વધતા વધુ સફાઇ કર્મીઓની ભરતી કરવા, પ્રગતિનગરના લોકોને હપ્‍તા ભરપાઇ થતા NOC આપવા, આવાસો પુરા પાડવા જેવી રજુઆતો કરી હતી.આ બેઠકમાં અધિકારીઓ સહિત સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Intro:Story Aprvd.by- Vihar Bhai
નડિયાદ સરકીટ હાઉસ ખાતે રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષ મનહરભાઇ ઝાલાએ કલેકટર સુધીર પટેલ,જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર,નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા તથા ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતમાં સફાઇ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી.તેમજ તેનો હકારાત્‍મક ઉકેલ કરવા ચીફ ઓફિસરોને સુચનાઓ આપી હતી.Body:રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્‍યું કે દેશના સીમાડાઓની સૈનિકો રક્ષા કરે છે તેમ સ્‍વચ્‍છતા (સફાઇ) સૈનિકો શહેરને સ્‍વચ્‍છ રાખી શહેરીજનોના આરોગ્‍યનું રક્ષણ કરે છે. સફાઇ માનવીય સંવેદનાઓ સાથે કર્મચારીઓના પ્રશ્‍નોનો ઝડપી અને હકારાત્‍મક ઉકેલ લાવવા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરોને અનુરોધ કર્યો છે.
રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્‍યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ ખેડા જિલ્‍લાના તમામ દસ નગરપાલિકાઓમાં સફાઇ કર્મીઓને પાયાની અને માળખાગત તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્‍યું હતું.તેમજ સફાઇ કર્મીઓ પાસે માથે મેલુ ઉપાડવા તેમજ હાથથી સફાઇ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે, ત્‍યારે સફાઇ કર્મીઓને સફાઇના અતિ આધુનિક અને ગુણવત્તાસભર સાધનો પુરા પાડવા જણાવ્‍યું હતું.
ઝાલાએ સફાઇ કર્મીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવા, તેમના બાળકો ઉચ્‍ચ શિક્ષણ માટેની વ્‍યવસ્‍થા, સફાઇ કર્મચારીના મૃત્‍યુના કિસ્‍સામાં વારસદારને નોકરી, બઢતી, આર.ટી.ઇ હેઠળ સફાઇ કર્મીઓના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા અંગે તકેદારી રાખવા જણાવ્‍યું હતું.
નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૦૩ માં મૃત્‍યુ પામેલ સફાઇ કર્મચારીઓને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી સહાય સત્‍વરે ચુકવવા તેમણે ચીફ ઓફિસરને તાકીદ કરી હતી.
કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે સફાઇ કર્મીઓના આરોગ્‍યની તપાસ માટે દર ચાર માસે નિદાન સારવાર કેમ્પ કરવામાં આવે છે. તમામ સફાઇ કર્મચારીઓને આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ આરોગ્‍ય સારવાર માટે કાર્ડ પૂરા પાડવામાં આવ્‍યા છે. સફાઇ કર્મીઓને આવાસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવી લેવા તેમણે ચીફ ઓફિસરોને સુચનાઓ આપી હતી. સફાઇ કર્મચારીઓના પ્રશ્‍નોનો સમય મર્યાદામાં હકારાત્‍મક ઉકેલ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્‍યું હતું.
નાયબ નિયામક (અ.જા) વસાવાએ અનુ.જાતિઓ માટેની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી.
સફાઇ કર્મચારી એસોશિએશનના પ્રમુખ ભૂપેન્‍દ્રભાઇ સોલંકીએ સફાઇ કર્મચારીઓ વતી સફાઇ કર્મીઓને લઘુતમ વેતન, સફાઇ કર્મીઓને કાયમી કરવા, પી.એફ, ઇ.પી.એફ કપાત કરવા, સફાઇ કર્મીઓને પ્રમોશન, બાળકો માટે શિક્ષણની વ્‍યવસ્‍થા, શહેરોની હદ વધતા વધુ સફાઇ કર્મીઓની ભરતી કરવા, પ્રગતિનગરના રહીશોને હપ્‍તા ભરપાઇ થતા એન.ઓ.સી આપવા, આવાસો પુરા પાડવા જેવી રજૂઆતો કરી હતી.
આ બેઠકમાં અધિકારીઓ સહિત સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.