ભક્ત બોડાણા જયારે દ્વારકાથી રણછોડરાયજી મહારાજને ડાકોર લાવ્યા હતા, તે સમયે ભગવાન રણછોડરાયજી ગોમતી તળાવમાં સંતાયા હતા. તળાવમાં જે સ્થળે રણછોડરાયજી સંતાયા હતા તે સ્થળે ચરણપાદુકા પગલાં મંદિરનું નિર્માણ કરી અવરજવર માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો. ડાકોરના ગોમતી તળાવમાં વિકાસના નામે તળાવમાં આવેલો ઐતિહાસિક પગલાં મંદિર જવાનો 119 વર્ષ જૂનો પુલ તોડી પાડવામાં આવ્યો છે.
આ પુલ અનેક ભાવિકોની આસ્થાનું પ્રતીક હતો. પુલ રણછોડરાયજી મહારાજનું ચરણતીર્થ તેમજ ભક્ત બોડાણાની ભક્તિની ભવ્ય ઇમારત હતો. ત્યારે વિકાસના નામે પ્રવાસન વિભાગ દ્વારા તોડી પડતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે. ઉપરાંત ગોમતી તળાવ ફરતે માટી પુરાણ કરતા જળચર પ્રાણીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે.