ETV Bharat / state

ભાજપ શાસનથી આત્મા દુભાયો, પંચમહાલના પૂર્વ સાંસદે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

author img

By

Published : Nov 2, 2022, 6:42 PM IST

આગામી દિવસેમાં કોઈ પણ ક્ષણે ગુજરાત વિધાનસભાના ચુંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. તે પહેલા જ રાજકીય ગઠજોડ શરૂ થઈ ચુકી છે. ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેથી આજથી કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. પરિવર્તન યાત્રાના પ્રારંભે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેસ પહેરાવી પંચમહાલના પૂર્વ સાંસદ (Former MP from Panchmahal) પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતું.

ભાજપ શાસનથી આત્મા દુભાયો, પંચમહાલના પૂર્વ સાંસદે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ
ભાજપ શાસનથી આત્મા દુભાયો, પંચમહાલના પૂર્વ સાંસદે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

ખેડા ગુજરાત વિધાનસભાના ચુંટણીની (Gujarat Assembly Elections 2022) જાહેરાત થવામાં જ છે, ત્યારે ચુંટણી જાહેર થાય તે પહેલા જ રાજકીય ગઠજોડ શરૂ થઈ ચુકી છે. ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલથી (Fagvel of Kheda district) આજે કોંગ્રેસની પરિવર્તન યાત્રાના પ્રારંભે પંચમહાલ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયુ છે. પૂર્વ સાંસદ અને અગ્રણી પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેથી આજથી કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનો (Parivartan Yatra Congress) પ્રારંભ કરાયો છે. જેમાં કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમિત ચાવડા અને મોહન પ્રકાશ દ્વારા ખેસ પહેરાવી પ્રભાતસિંહનુ કોંગ્રેસમાં સ્વાગત કરાયુ

પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત અમિત ચાવડા અને મોહન પ્રકાશ દ્વારા ખેસ પહેરાવી પ્રભાતસિંહનુ કોંગ્રેસમાં સ્વાગત કરાયુ હતું. પરિવર્તન યાત્રાના પ્રારંભે કોંગ્રેસ મહામંત્રી (Congress General Minister) મોહન પ્રકાશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ (Former President of Gujarat Pradesh Congress) અમિત ચાવડાએ ખેસ પહેરાવી પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતું. પ્રભાતસિંહ ચૌહાણ જિલ્લાના રાજકીય અગ્રણી છે. તેઓ બે વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેમજ પાંચ વખત ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં પ્રધાનપદે પણ રહી ચૂક્યા છે.

ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું
ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું

ભાજપથી આત્મા દુભાયો હોઈ કોંગ્રેસ સરકાર લાવવા કોંગ્રેસમાં જોડાયો છું આ પ્રસંગે પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું. મીડીયાએ તેમને ચુંટણી લડવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે પક્ષ કહેશે તો હું ગોધરા, કાલોલ જ્યાંથી કહેશે ત્યાંથી ચુંટણી લડીશ.

પ્રભાતસિંહના પુત્રવધૂ અને પત્નિ ભાજપમાં પ્રભાતસિંહના પૂત્રવધુ કાલોલ બેઠક પરથી હાલ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે તેમના પત્નિ ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ (Ghoghamba Taluka BJP President) છે.ત્યારે ચુંટણી ટાણે તેઓ ભાજપમાં જોડાતા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.જો કે રાજકીય જાણકારો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ મળે તે માટે ભાજપ પર દબાણ લાવવા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

ખેડા ગુજરાત વિધાનસભાના ચુંટણીની (Gujarat Assembly Elections 2022) જાહેરાત થવામાં જ છે, ત્યારે ચુંટણી જાહેર થાય તે પહેલા જ રાજકીય ગઠજોડ શરૂ થઈ ચુકી છે. ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલથી (Fagvel of Kheda district) આજે કોંગ્રેસની પરિવર્તન યાત્રાના પ્રારંભે પંચમહાલ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયુ છે. પૂર્વ સાંસદ અને અગ્રણી પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેથી આજથી કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનો (Parivartan Yatra Congress) પ્રારંભ કરાયો છે. જેમાં કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમિત ચાવડા અને મોહન પ્રકાશ દ્વારા ખેસ પહેરાવી પ્રભાતસિંહનુ કોંગ્રેસમાં સ્વાગત કરાયુ

પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત અમિત ચાવડા અને મોહન પ્રકાશ દ્વારા ખેસ પહેરાવી પ્રભાતસિંહનુ કોંગ્રેસમાં સ્વાગત કરાયુ હતું. પરિવર્તન યાત્રાના પ્રારંભે કોંગ્રેસ મહામંત્રી (Congress General Minister) મોહન પ્રકાશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ (Former President of Gujarat Pradesh Congress) અમિત ચાવડાએ ખેસ પહેરાવી પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતું. પ્રભાતસિંહ ચૌહાણ જિલ્લાના રાજકીય અગ્રણી છે. તેઓ બે વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેમજ પાંચ વખત ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં પ્રધાનપદે પણ રહી ચૂક્યા છે.

ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું
ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું

ભાજપથી આત્મા દુભાયો હોઈ કોંગ્રેસ સરકાર લાવવા કોંગ્રેસમાં જોડાયો છું આ પ્રસંગે પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, ભાજપના શાસનથી આત્મા દુભાયો છે, ગુજરાતમાં અને પંચમહાલમાં કોંગ્રેસને લાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું. મીડીયાએ તેમને ચુંટણી લડવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે પક્ષ કહેશે તો હું ગોધરા, કાલોલ જ્યાંથી કહેશે ત્યાંથી ચુંટણી લડીશ.

પ્રભાતસિંહના પુત્રવધૂ અને પત્નિ ભાજપમાં પ્રભાતસિંહના પૂત્રવધુ કાલોલ બેઠક પરથી હાલ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે તેમના પત્નિ ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ (Ghoghamba Taluka BJP President) છે.ત્યારે ચુંટણી ટાણે તેઓ ભાજપમાં જોડાતા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.જો કે રાજકીય જાણકારો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ મળે તે માટે ભાજપ પર દબાણ લાવવા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.