ETV Bharat / state

ડાકોર ખાતે પૂનમના દિવસે રજીસ્ટ્રેશન વિના દર્શન કરવા દેવામાં આવે તેવી ભાવિકોએ કરી માંગ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. પરંતુ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, બાકીના દિવસોમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે રજીસ્ટ્રેશન વિના દર્શન કરવા દેવામાં આવે છે, ત્યારે પૂનમના દિવસે પણ બાકીના દિવસની જેમ રજીસ્ટ્રેશન વિના દર્શન કરવા દેવામાં આવે તેવી ભાવિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

author img

By

Published : Dec 28, 2020, 3:14 PM IST

Updated : Dec 28, 2020, 3:43 PM IST

ડાકોર ખાતે રજીસ્ટ્રેશન વિના પૂનમના દિવસે દર્શન કરવા દેવા ભાવિકોની માંગ
ડાકોર ખાતે રજીસ્ટ્રેશન વિના પૂનમના દિવસે દર્શન કરવા દેવા ભાવિકોની માંગ
  • ડાકોર ખાતે પૂનમના દિવસે દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત
  • રજીસ્ટ્રેશન વિના પૂનમે દર્શન કરવા દેવા ભાવિકોની માંગ
  • પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોઈ લેવાયો નિર્ણય

ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે અનલોક બાદ મંદિરમાં દર્શન માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભાવિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિર દ્વારા દર પૂનમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જેને લઇ દર્શન કરવા આવનારા ભાવિકોએ ફરજિયાત રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં અપાશે પ્રવેશ

દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ડાકોર રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. જેને લઈ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. આ માસે 30 ડિસેમ્બરના રોજ પૂનમ હોઈ સેવક આગેવાનો, ટેમ્પલ કમિટી અને તંત્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ભાવિકો અટવાયા

પૂનમના દર્શન કરવા માંગતા ભાવિકો ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને અટવાઈ જાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો મુશ્કેલી અનુભવે છે. જેને લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અન્ય દિવસોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના ભાવિકોને પ્રવેશ આપવામાં આવે છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

પૂનમે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવાનો વિશેષ મહીમા

યાત્રાધામ ડાકોર ખાતે પૂનમે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શન કરવાનો વિશેષ મહીમા રહેલો છે. જેને લઈ દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન કરવા આવતા હોય છે.

ડાકોર ખાતે પૂનમના દિવસે દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત

  • ડાકોર ખાતે પૂનમના દિવસે દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત
  • રજીસ્ટ્રેશન વિના પૂનમે દર્શન કરવા દેવા ભાવિકોની માંગ
  • પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોઈ લેવાયો નિર્ણય

ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે અનલોક બાદ મંદિરમાં દર્શન માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભાવિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિર દ્વારા દર પૂનમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જેને લઇ દર્શન કરવા આવનારા ભાવિકોએ ફરજિયાત રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં અપાશે પ્રવેશ

દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ડાકોર રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. જેને લઈ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. આ માસે 30 ડિસેમ્બરના રોજ પૂનમ હોઈ સેવક આગેવાનો, ટેમ્પલ કમિટી અને તંત્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ભાવિકો અટવાયા

પૂનમના દર્શન કરવા માંગતા ભાવિકો ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને અટવાઈ જાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો મુશ્કેલી અનુભવે છે. જેને લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અન્ય દિવસોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના ભાવિકોને પ્રવેશ આપવામાં આવે છે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

પૂનમે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવાનો વિશેષ મહીમા

યાત્રાધામ ડાકોર ખાતે પૂનમે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શન કરવાનો વિશેષ મહીમા રહેલો છે. જેને લઈ દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન કરવા આવતા હોય છે.

ડાકોર ખાતે પૂનમના દિવસે દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત
Last Updated : Dec 28, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.