ETV Bharat / state

યાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી

author img

By

Published : May 26, 2021, 9:03 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની બંધ બારણે ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ રાજાધિરાજના બંધ દ્વારે શીશ નમાવી રણછોડરાયજીને પ્રાર્થના કરી હતી.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર
  • કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ
  • ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા
  • પૂનમના દર્શનનું વિશેષ મહત્વ

ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સેવકો દ્વારા બંધ બારણે સેવા પૂજા વિધી કરવામાં આવી હતી.

યાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી

કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ

યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં વધેલા કોરોના સંક્રમણને કારણે હાલ ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેને લઈ વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની વિવિધ તિથિ, તહેવાર સહિત ઉત્સવની બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ ભગવાનની નિત્ય સેવા પૂજા પણ બંધ બારણે જ સેવકો દ્વારા કરવામાં આવી રહી છે.

વૈશાખી પૂર્ણિમા
સેવકો દ્વારા બંધ બારણે સેવા પૂજાવિધી કરવામાં આવી

આ પણ વાંચો - મણિનગરમાં વૈશાખી પૂર્ણિમાએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર કરાયો

ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા

આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )નું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ રણછોડરાયજીના ભાવિકો આજે મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધજાના દર્શન કરીને બંધ બારણે જ ભગવાનને શીશ નમાવી પ્રાર્થના કરીને આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ ભગવાનના ચરણોમાં ભેટ લખાવી માનતા પૂરી કરી હતી.

વૈશાખી પૂર્ણિમા
ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા

પૂનમના દર્શનનું વિશેષ મહત્વ

યાત્રાધામ ડાકોર ખાતે પૂનમના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ દર મહિને મોટી સંખ્યામાં પૂનમનાં રોજ દર્શન કરવા ભાવિકો ડાકોર આવતા હોય છે, પરંતુ હાલ કોરોના સંક્રમણને લઈ મંદિર બંધ હોઈ બંધ દ્વારે શીશ નમાવે છે.

  • કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ
  • ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા
  • પૂનમના દર્શનનું વિશેષ મહત્વ

ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સેવકો દ્વારા બંધ બારણે સેવા પૂજા વિધી કરવામાં આવી હતી.

યાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી

કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ

યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં વધેલા કોરોના સંક્રમણને કારણે હાલ ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેને લઈ વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની વિવિધ તિથિ, તહેવાર સહિત ઉત્સવની બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ ભગવાનની નિત્ય સેવા પૂજા પણ બંધ બારણે જ સેવકો દ્વારા કરવામાં આવી રહી છે.

વૈશાખી પૂર્ણિમા
સેવકો દ્વારા બંધ બારણે સેવા પૂજાવિધી કરવામાં આવી

આ પણ વાંચો - મણિનગરમાં વૈશાખી પૂર્ણિમાએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર કરાયો

ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા

આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )નું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ રણછોડરાયજીના ભાવિકો આજે મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધજાના દર્શન કરીને બંધ બારણે જ ભગવાનને શીશ નમાવી પ્રાર્થના કરીને આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ ભગવાનના ચરણોમાં ભેટ લખાવી માનતા પૂરી કરી હતી.

વૈશાખી પૂર્ણિમા
ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા

પૂનમના દર્શનનું વિશેષ મહત્વ

યાત્રાધામ ડાકોર ખાતે પૂનમના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ દર મહિને મોટી સંખ્યામાં પૂનમનાં રોજ દર્શન કરવા ભાવિકો ડાકોર આવતા હોય છે, પરંતુ હાલ કોરોના સંક્રમણને લઈ મંદિર બંધ હોઈ બંધ દ્વારે શીશ નમાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.