ETV Bharat / state

બાળમજૂરી વિરોધ દિવસ : વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ચિંતાનો વિષય

author img

By

Published : Jun 12, 2020, 4:23 PM IST

આજે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો ધરાવતા દેશમાં ભારતનું નામ મોખરે છે, ત્યારે બાળમજૂરોની નાબૂદી માટે ભારતે હજુ લાંબી મજલ કાપવી પડશે તે ચોક્કસ છે.

વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ચિંતાનો વિષય
વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ચિંતાનો વિષય

જૂના઼ગઢ : આજે શુક્રવાર સમગ્ર વિશ્વમાં બાળમજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો ધરાવતા દેશમાં ભારતનો ક્રમ પ્રથમ આવે છે જે સૌ કોઈ માટે શરમજનક બાબત કહી શકાય. આજે શુક્રવારે બાળમજૂરી એક સળગતી સમસ્યા બની રહી છે. જેના પર હવે દેશમાં કામ કરવામાં મોડુ કરવામાં આવશે તો આ સમસ્યા કાયમી ઘર કરી લેશે જેના કારણે ભારતના વિશ્વ ગુરુ બનવાના માર્ગમાં એક અને કાયમી અવરોધ બની શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ચિંતાનો વિષય
કૈલાશ સત્યાર્થી કે જેને બાળમજૂરી અને તેની લગતી સમસ્યાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં તેના મૂળ સુધી જઈને તમામ સમસ્યાના નિવારણ કરવા માટેના જે પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા તેને ધ્યાને રાખીને વિશ્વનો સર્વોચ્ચ સન્માન nobel prize દ્વારા તેમને નવાજવામાં પણ આવ્યા હતા. તેવા સમયમાં ભારતમાં બાળ મજૂરોનું પ્રમાણ ચિંતાનો વિષય છે. બાળમજૂરોના મૂળમાં કેટલીક પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ નહીં મળવાના કારણે બાળમજૂરોનું પ્રમાણ વધી રહ્યું છે. છેવાળા અને નબળા વર્ગ સુધી શિક્ષણ નહીં પહોંચવું, આર્થિક અસમાનતા, મોટા પરિવારો અને રોજગારીની મોં ફાડીને ઊભી રહેલી રાષ્ટ્રીય સમસ્યા બાળમજૂરોમાં સતત વધારો કરી રહી છે.
ગ્રાફ
ગ્રાફ

જિલ્લામાં પણ બાળમજૂરોને લઈને અનેક વખત પગલાઓ ભરવામાં આવ્યા છે, પરંતુ બાળમજૂરોની સંખ્યામાં હજુ પણ કોઇ ઘટાડો જોવા મળતો નથી. જેના મૂળમાં કેટલીક પાયાની સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જો બાળમજૂરોની નાબુદી કરવી હશે તો પાયાની સમસ્યા પર સમય રહેતા કામ કરવું પડશે. અન્યથા દર વર્ષે બાળમજૂરી વિરોધ દિવસ મનાવવા સિવાય કશું કરી શકીયે તેવી સ્થિતિમાં આપણે જોવા મળીશુ નહીં.




જૂના઼ગઢ : આજે શુક્રવાર સમગ્ર વિશ્વમાં બાળમજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો ધરાવતા દેશમાં ભારતનો ક્રમ પ્રથમ આવે છે જે સૌ કોઈ માટે શરમજનક બાબત કહી શકાય. આજે શુક્રવારે બાળમજૂરી એક સળગતી સમસ્યા બની રહી છે. જેના પર હવે દેશમાં કામ કરવામાં મોડુ કરવામાં આવશે તો આ સમસ્યા કાયમી ઘર કરી લેશે જેના કારણે ભારતના વિશ્વ ગુરુ બનવાના માર્ગમાં એક અને કાયમી અવરોધ બની શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ચિંતાનો વિષય
કૈલાશ સત્યાર્થી કે જેને બાળમજૂરી અને તેની લગતી સમસ્યાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં તેના મૂળ સુધી જઈને તમામ સમસ્યાના નિવારણ કરવા માટેના જે પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા તેને ધ્યાને રાખીને વિશ્વનો સર્વોચ્ચ સન્માન nobel prize દ્વારા તેમને નવાજવામાં પણ આવ્યા હતા. તેવા સમયમાં ભારતમાં બાળ મજૂરોનું પ્રમાણ ચિંતાનો વિષય છે. બાળમજૂરોના મૂળમાં કેટલીક પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ નહીં મળવાના કારણે બાળમજૂરોનું પ્રમાણ વધી રહ્યું છે. છેવાળા અને નબળા વર્ગ સુધી શિક્ષણ નહીં પહોંચવું, આર્થિક અસમાનતા, મોટા પરિવારો અને રોજગારીની મોં ફાડીને ઊભી રહેલી રાષ્ટ્રીય સમસ્યા બાળમજૂરોમાં સતત વધારો કરી રહી છે.
ગ્રાફ
ગ્રાફ

જિલ્લામાં પણ બાળમજૂરોને લઈને અનેક વખત પગલાઓ ભરવામાં આવ્યા છે, પરંતુ બાળમજૂરોની સંખ્યામાં હજુ પણ કોઇ ઘટાડો જોવા મળતો નથી. જેના મૂળમાં કેટલીક પાયાની સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જો બાળમજૂરોની નાબુદી કરવી હશે તો પાયાની સમસ્યા પર સમય રહેતા કામ કરવું પડશે. અન્યથા દર વર્ષે બાળમજૂરી વિરોધ દિવસ મનાવવા સિવાય કશું કરી શકીયે તેવી સ્થિતિમાં આપણે જોવા મળીશુ નહીં.




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.