જૂનાગઢઃ બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ વિડીયો સંદેશ મારફતે આજે એટલે કે 5 એપ્રિલે રાત્રીના ૯ કલાકે નવ મિનિટ સુધી સમગ્ર દેશની લાઈટો બંધ કરીને કોરોના વાઈરસ સામે લડવા દીપ જ્યોતિ પ્રજ્વલિત કરવાનું આહ્વાન કર્યું હતું. જેને લઈને આજે જૂનાગઢ પણ દીપ જ્યોતિથી પ્રજ્વલિત થતું જોવા મળ્યુ હતુ.
બે દિવસ અગાઉ વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રકારે કોરોના વાયરસ સામે લડવા આજના દિવસે રાત્રિના 9:00 કલાકે દીપ જ્યોતિ પ્રજ્વલિત કરીને નવ મિનિટ સુધી દેશની જનતાને અપીલ કરવાાં આવી હતી, કોરોનાવાયરસ સામે લડવા માટે એક જૂથ છે અને એકતાની શક્તિથી જ કોરોનાવાયરસને હરાવવામા ભારતને સફળતા મળશે તેવા આહ્વાનને પગલે આજે જૂનાગઢમાં પણ દીપ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી. આજે નવના ટકોરે જૂનાગઢમાં આવેલો પ્રાચીન અને ઐતિહાસિક લડાઈના સાક્ષી સમો સરદાર પટેલ દરવાજો પણ નવના ટકોરે બંધ થયો હતો અને ત્યારબાદ લોકોએ પોતાના ઘર અને આંગણામાં દીપ જ્યોતિ પ્રજ્વલિત કરીને કોરોના વાઇરસ સામે લડવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું