કેશોદ : આપણે ઘણી વાર સાંભળ્યું છે કે મંદિરમાં મૂર્તિ દૂધ પાણી પીય રહી છે. આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે, ત્યારે હવે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામમાં પણ આવી ઘટના સામે આવી છે. ગામના શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો છે. આ વાત વાયુવેગે ફેલાવવાની સાથે જ અનેક લોકો શિવ મંદિરે પોઠિયાને પાણી પીવડાવવા અને દૂધ પીવડાવવા માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ વિજ્ઞાન જાથાએ આ વાતને નકારી કાઢી છે.
આજ કાલ ભારતમાં નવા નવા કર્તોકો, નવા નવા ચમત્કારો બનવાની ઘટનાઓ સામે આવે છે આવી ઘટનાઓને વિજ્ઞાન ક્રિયા કાળને આધારે બનતી હોય છે. જેને ચમત્કાર માનવો નહિ જાગૃત લોકો અંદરથી દુઃખી થાય છે કે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ. કેશોદ પંથકના નાની ઘંસારી ગામે દુધ અને પાણી પીવાની ઘટના બની છે, માત્રને માત્ર વિજ્ઞાનના નિયમ આધારિત કિસાકરસણ બકનળી પૃષ્ઠતાણ કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. તેમજ સ્સીટીરીયાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે આમાં કોઈ જાતનો ચમત્કાર નથી. - જયંત પંડ્યા (વિજ્ઞાન જાથા ચેરમેન)
ચમત્કારને નમસ્કાર : ઉલ્લેખનીય છે કે, ચમત્કારથી ચેતો અને અંધશ્રદ્ધા નાબૂદ કરવા જન વિજ્ઞાન જાથા ટીમ સતત કાર્યશીલ રહે છે. ત્યારે પોઠીયો દુધ પાણી પીવે છે એ ઘટનાને વિજ્ઞાન જાથાએ નકારી કાઢી છે. પરંતુ ગામ લોકોની આસ્થા પણ જોવા મળે છે. શ્રદ્ધાળુઓએ મંદિરે આવી પોઠિયાને ચમચીથી પાણી પીવડાવીને કળિયુગમાં ચમત્કારને નમસ્કાર કરી રહ્યા છે.