ETV Bharat / state

સુરતમાં બનેલી આગની ઘટના બાદ જૂનાગઢ તંત્ર હરકતમાં

જૂનાગઢઃ સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા શહેરમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ માટે અલગ-અલગ ટીમો બનાવી અન્ય શૈક્ષણિક સંકુલોમાં તપાસ હાથ ધરવામાં આવશે.

author img

By

Published : May 25, 2019, 4:51 PM IST

JND

સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 20 કરતા વધુ બાળકો એ તેમનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને રાજ્ય સરકાર તાકીદે હરકતમાં આવીને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ અધિકારીઓને તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા શનિવારના રોજ તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ મનપામાં આવતા તમામ વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવીને ક્લાસીસમાં સુરક્ષા અને ફાયર સેફ્ટીને લઈને સઘન તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરતમાં બનેલી આગની ઘટના બાદ જૂનાગઢ તંત્ર હરકતમાં

અધિકારીઓ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થા તેના માનાંકો કરતા નીચી વ્યવસ્થાઓ ધરાવતાં હશે તેવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. સુરતમાં બાળકોનો ભોગ લેવાયો છે, ત્યારે સરકાર અને જિલ્લાના અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને અત્યારથી તપાસ કરવાની રણનીતિ બનાવી દીધી છે. જેના ભાગરૂપે શનિવારથી જ જૂનાગઢ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટના આધારે ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં લેવાની રણનિતી હાથ ધરવામાં આવશે.

સુરતમાં બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પદાર્થપાઠ લઈને હવે એક્શન મૂડમાં જોવા મળી રહ્યું છે, શુક્રવારે બનેલી ઘટના બાદ રાજ્યના તમામ કલેક્ટરોને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે, આજે શરૂ થયેલી તપાસ કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તો ખાનગી ટ્યુશન ક્લાસીસ જે સુરક્ષાને અવગણીને તેમના હાટડાઓ ચલાવી રહી છે તેના પર નિયંત્રણ આવશે. તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે જે રાજકીય પક્ષો સાથે જોડાણ ધરાવે છે અથવા તો રાજકીય પક્ષના કાર્યકરો છે જે લોકો મોટી શેક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય છે તેમાં પણ સુરક્ષાને લઇને ખૂબ મોટો દુર્લક્ષ સેવવામાં આવતું હોય છે, જે અટકાવી શકાય તેમ છે.

સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 20 કરતા વધુ બાળકો એ તેમનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને રાજ્ય સરકાર તાકીદે હરકતમાં આવીને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ અધિકારીઓને તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા શનિવારના રોજ તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ મનપામાં આવતા તમામ વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવીને ક્લાસીસમાં સુરક્ષા અને ફાયર સેફ્ટીને લઈને સઘન તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરતમાં બનેલી આગની ઘટના બાદ જૂનાગઢ તંત્ર હરકતમાં

અધિકારીઓ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થા તેના માનાંકો કરતા નીચી વ્યવસ્થાઓ ધરાવતાં હશે તેવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. સુરતમાં બાળકોનો ભોગ લેવાયો છે, ત્યારે સરકાર અને જિલ્લાના અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને અત્યારથી તપાસ કરવાની રણનીતિ બનાવી દીધી છે. જેના ભાગરૂપે શનિવારથી જ જૂનાગઢ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટના આધારે ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં લેવાની રણનિતી હાથ ધરવામાં આવશે.

સુરતમાં બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પદાર્થપાઠ લઈને હવે એક્શન મૂડમાં જોવા મળી રહ્યું છે, શુક્રવારે બનેલી ઘટના બાદ રાજ્યના તમામ કલેક્ટરોને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે, આજે શરૂ થયેલી તપાસ કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તો ખાનગી ટ્યુશન ક્લાસીસ જે સુરક્ષાને અવગણીને તેમના હાટડાઓ ચલાવી રહી છે તેના પર નિયંત્રણ આવશે. તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે જે રાજકીય પક્ષો સાથે જોડાણ ધરાવે છે અથવા તો રાજકીય પક્ષના કાર્યકરો છે જે લોકો મોટી શેક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય છે તેમાં પણ સુરક્ષાને લઇને ખૂબ મોટો દુર્લક્ષ સેવવામાં આવતું હોય છે, જે અટકાવી શકાય તેમ છે.

Intro:ગઈકાલની સુરતની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર હરકતમાં જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા શહેરમાં આવેલા કોચિંગ ક્લાસીસ પર ચેકિંગ કરવા માટે બનાવી અલગ અલગ ટીમો બનાવી


Body:ગઈ કાલે સુરતમાં બનેલી આગની ઘટનાને લઇને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામા આવી સધન તપાસ જૂનાગઢ મનપા કમિશનર અને અધિકારીઓની શહેરમાં ચાલી રહેલા કોચિંગ ક્લાસીસ અને અન્ય શૈક્ષણિક સંકુલોમાં તપાસ હાથ ધરવામાં આવશે

ગઈકાલે સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 19 કરતા વધુ બાળકો એ તેમનો જીવ ગુમાવ્યો હતો જેને લઈને રાજ્ય સરકાર તાકીદે હરકતમાં આવીને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ખાનગી કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ અધિકારીઓને તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા આજે તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં જૂનાગઢ મનપામાં આવતા તમામ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને ક્લાસીસમાં સુરક્ષા અને ફાયર સેફટી ને લઈને સધન તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ અધિકારીઓ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થા તેના માનાકો કરતા નીચી વ્યવસ્થાઓ ધરાવતાં હશે તેવા તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે સુરતમાં ૧૯ જેટલા બાળકોનો ભોગ લેવાયો છે ત્યારે સરકાર અને જિલ્લાના અધિકારીઓ પણ કોઈપણ પ્રકારે કાચું ન કપાય તેને લઈને અલગ અલગ ટીમો બનાવીને અત્યારથી તપાસ કરવાની રણનીતિ બનાવી દીધી છે જેના ભાગરૂપે આજથી જુનાગઢ શહેરમાં ચાલતા કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે જે રિપોર્ટના આધારે ખાનગી કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં લેવાની રણનીતિ હાથ ધરવામાં આવશે

સુરતમાં બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પદાર્થપાઠ લઈને હવે એક્શન મૂડમાં જોવા મળી રહ્યું છે કાલે બનેલી ઘટના બાદ રાજ્યના તમામ કલેક્ટરો અને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આરંભે શૂરા અને બાદમાં ટાયટાય ફીસ જોવા મળી રહી છે જો આજે શરૂ થયેલી તપાસ કાયમી ધોરણે શરૂ રાખવામાં આવે તો ખાનગી કોચિંગ ક્લાસીસ જે સુરક્ષાને અવગણીને તેમના હાટડાઓ ચલાવી રહી છે તેના પર નિયંત્રણ આવશે તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે જે રાજકીય પક્ષો સાથે જોડાણ ધરાવે છેછે અથવા તો રાજકીય પક્ષના કાર્યકરો છે તેના લોકો મોટી શેક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય છે તેમાં પણ સુરક્ષાને લઇને ખૂબ મોટો દુર્લક્ષ સેવવામાં આવતું હોય છે ત્યારે આજે બનાવેલી ટીમ દ્વારા જો આકરી અને કોઈની પણ સેહ કે શરમ રાખ્યાં વિના કામ કરે તો આવી ઘટનાઓને અટકાવી શકાય તેમ છે

બાઈટ _01 ડો. સૌરભ પારધી,કમિશનર જૂનાગઢ મનપા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.