ETV Bharat / state

આજે જૂનાગઢ ઉજવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ, જાણો નવાબી જૂનાગઢ વિશે...

author img

By

Published : Nov 9, 2020, 8:21 AM IST

Updated : Nov 9, 2020, 9:57 AM IST

આજે જૂનાગઢ મનાવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓની લડાઇને અંતે જૂનાગઢને આઝાદી મળી હતી. 1947ની 15મી ઓગસ્ટના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવતા જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી. 86 દિવસની ચળવળ બાદ અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ મુક્ત થયું હતું અને સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું હતું. જાણો નવાબી જૂનાગઢ વિશે અવનવી વાતો અમારા આ વિશેષ અહેવાલમાં...

Etv Bharat, Gujarati News, Junagadh Liberation Day
જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ

◆ આજે છે જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ

◆ નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરતા આરઝી હકૂમતની કરાઈ સ્થાપના

◆ શાક્ષી દિવસની ચળવળ બાદ અંતે જૂનાગઢ 9 નવેમ્બર ૧૯૪૭ના દિવસે નવાબી સાશનથી થયું મુક્ત

◆ સરદાર પટેલ અને શામળદાસ ગાંધીનુ જૂનાગઢની મુક્તિ માટે વિશેષ યોગદાન

◆ બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાંથી શરૂ થઈ આરઝી હકૂમતની ચળવળ

● આજે જૂનાગઢનો 73માં મુક્તિ દિવસ

જૂનાગઢઃ શહેર આજે તેનો 73મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસોથી જૂનાગઢને મુક્તિ મળી હતી. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરી હતી અને આરઝી હકૂમત નામની સંસ્થા જૂનાગઢમાં સ્થાપવામાં આવી હતી. જેમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિતના કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે એક જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ
જૂનાગઢની મુક્તિ અને આરઝી હકુમતનું યોગદાનજૂનાગઢ નવાબની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે શામળદાસ ગાંધીને આંદોલનની કમાન સોંપવામાં આવી હતી. જેમાં રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત અનેક નામી અનામી આરઝી હકુમતના સ્વાતંત્ર સેનાનીઓ જોડાયા હતા. જેના કારણે જૂનાગઢના નવાબ પર દબાણ વધતાં અંતે વર્ષ 1947 ની 9મી નવેમ્બરના દિવસે નવાબે જૂનાગઢ છોડીને પાકિસ્તાનમાં આશ્રય મેળવ્યો હતો, ત્યારથી જૂનાગઢ તેની આઝાદી 9મી નવેમ્બરે મનાવતું આવ્યું છે. જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસોને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને યાદ કરી રહ્યા છે.● નવાબનો પાકિસ્તાન પ્રેમ અને જૂનાગઢની મુક્તિનું આંદોલનવર્ષ 1947માં દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદ અને કાશ્મીરના નિઝામે ભારત સાથે ભળવાની સ્પષ્ટના પાડી હતી. આ પરિસ્થિતિમાં ત્રણેય રજવાડાઓને ભારતમાં જોડવા માટે સરદાર પટેલે આગેવાની લીધી હતી અને જૂનાગઢને ભારતમાં ભેળવવાની ચળવળના મંડાણ થયા હતા. જૂનાગઢના નવાબ પાકિસ્તાન પ્રેમી હોવાને કારણે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો તઘલઘી નિર્ણય જે તે સમયે કર્યો હતો. જેની સામે સરદાર પટેલ, શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓએ ઝાડ બુલંદ કરતા અંતે નવાબને પાકિસ્તાન ભણી પોબારા ભણી જવાની ફરજ પડી હતી.● નવાબની ચુંગાલમાંથી મળેલી આઝાદી બાદ જૂનાગઢમાં ઉત્સાહવર્ષ 1947ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી જતાં અંતે જૂનાગઢને મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું અને ઉપરકોટના કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢના લોકોએ બીજી આઝાદીનો અનુભવ કર્યો હતો. પ્રત્યેક ઘર દીપમાળાઓથી પ્રજ્વલિત જોવા મળ્યા હતા. તેમજ શહેરમાં મીઠાઈ વહેંચવાની સાથે ઉત્સાહનો માહોલ દરેક જૂનાગઢવાસીઓમાં જોવા મળ્યો હતો.

◆ આજે છે જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ

◆ નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરતા આરઝી હકૂમતની કરાઈ સ્થાપના

◆ શાક્ષી દિવસની ચળવળ બાદ અંતે જૂનાગઢ 9 નવેમ્બર ૧૯૪૭ના દિવસે નવાબી સાશનથી થયું મુક્ત

◆ સરદાર પટેલ અને શામળદાસ ગાંધીનુ જૂનાગઢની મુક્તિ માટે વિશેષ યોગદાન

◆ બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાંથી શરૂ થઈ આરઝી હકૂમતની ચળવળ

● આજે જૂનાગઢનો 73માં મુક્તિ દિવસ

જૂનાગઢઃ શહેર આજે તેનો 73મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસોથી જૂનાગઢને મુક્તિ મળી હતી. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરી હતી અને આરઝી હકૂમત નામની સંસ્થા જૂનાગઢમાં સ્થાપવામાં આવી હતી. જેમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિતના કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે એક જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ
જૂનાગઢની મુક્તિ અને આરઝી હકુમતનું યોગદાનજૂનાગઢ નવાબની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે શામળદાસ ગાંધીને આંદોલનની કમાન સોંપવામાં આવી હતી. જેમાં રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત અનેક નામી અનામી આરઝી હકુમતના સ્વાતંત્ર સેનાનીઓ જોડાયા હતા. જેના કારણે જૂનાગઢના નવાબ પર દબાણ વધતાં અંતે વર્ષ 1947 ની 9મી નવેમ્બરના દિવસે નવાબે જૂનાગઢ છોડીને પાકિસ્તાનમાં આશ્રય મેળવ્યો હતો, ત્યારથી જૂનાગઢ તેની આઝાદી 9મી નવેમ્બરે મનાવતું આવ્યું છે. જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસોને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને યાદ કરી રહ્યા છે.● નવાબનો પાકિસ્તાન પ્રેમ અને જૂનાગઢની મુક્તિનું આંદોલનવર્ષ 1947માં દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદ અને કાશ્મીરના નિઝામે ભારત સાથે ભળવાની સ્પષ્ટના પાડી હતી. આ પરિસ્થિતિમાં ત્રણેય રજવાડાઓને ભારતમાં જોડવા માટે સરદાર પટેલે આગેવાની લીધી હતી અને જૂનાગઢને ભારતમાં ભેળવવાની ચળવળના મંડાણ થયા હતા. જૂનાગઢના નવાબ પાકિસ્તાન પ્રેમી હોવાને કારણે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો તઘલઘી નિર્ણય જે તે સમયે કર્યો હતો. જેની સામે સરદાર પટેલ, શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓએ ઝાડ બુલંદ કરતા અંતે નવાબને પાકિસ્તાન ભણી પોબારા ભણી જવાની ફરજ પડી હતી.● નવાબની ચુંગાલમાંથી મળેલી આઝાદી બાદ જૂનાગઢમાં ઉત્સાહવર્ષ 1947ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી જતાં અંતે જૂનાગઢને મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું અને ઉપરકોટના કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢના લોકોએ બીજી આઝાદીનો અનુભવ કર્યો હતો. પ્રત્યેક ઘર દીપમાળાઓથી પ્રજ્વલિત જોવા મળ્યા હતા. તેમજ શહેરમાં મીઠાઈ વહેંચવાની સાથે ઉત્સાહનો માહોલ દરેક જૂનાગઢવાસીઓમાં જોવા મળ્યો હતો.
Last Updated : Nov 9, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.