ETV Bharat / state

ભવનાથની ગિરિ તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું જોવા મળે છે ખાસ મહત્વ

author img

By

Published : Mar 10, 2021, 11:04 PM IST

મહાશિવરાત્રી મેળાનો જૂનાગઢની ગિરિ તળેટીમાં ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે આયોજન થયું છે. જેને લઇને હવે ગિર તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું આગમન સમગ્ર દેશમાંથી થઈ ચૂક્યું છે ત્યારે ગિરિ તળેટીનો માહોલ ભગવાન શિવમય બનતો જોવા મળી રહ્યો છે.

ગિરી તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ બની રહયા છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
ગિરી તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ બની રહયા છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
  • શિવ પાર્વતીની જાનમાં જતા નાગા સંન્યાસીઓ રવાડીમાં કરે છે ભગવાન શિવની આરાધના
  • ગિરી તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ બની રહયા છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
  • નાગા સન્યાસીઓ આદિ અનાદિ કાળથી ભવનાથના આયોજિત શિવરાત્રીના મેળામાં હાજર રહે છે
  • નાગા સન્યાસીના રૂપમાં ભગવાન મહાદેવ પણ મેળામાં હાજર હોવાની છે ધાર્મિક માન્યતા

આ પણ વાંચોઃ આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

જૂનાગઢઃ ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે જેમાં નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મેળાને વિધિવત રીતે ખૂલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને સમગ્ર મેળા દરમિયાન નાગા સંન્યાસીઓ જ મેળાના કેન્દ્ર બિંદુ સમાન હોય છે ત્યારે આ વર્ષે સમગ્ર દેશમાંથી સાધુ સંન્યાસીઓનું આગમન ભવનાથ તળેટીમાં થયું છે. જેને લઇને ભવનાથ તળેટી પણ ભગવાન શિવમય બનતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી માટે તૈયારીઓ હાથ ધરાઈ

નાગા સંન્યાસીઓના દર્શન કરવા માત્રથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા

નાગા સંન્યાસીઓના આગમનથી પણ હવે ભવનાથ તળેટીમાં ચહલ પહલ જોવા મળી રહી છે. સમગ્ર તળેટીનો માહોલ એકદમ ધાર્મિક બનતો જોવા મળી રહ્યો છે છે અને દિવસ દરમિયાન હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઊઠે છે, ત્યારે જૂનાગઢની ગિરી તળેટીમાં નાગા સંન્યાસીઓ ભગવાન શિવની આરાધના કરતા ભવનાથ તળેટીમાં નજરે પડી રહયા છે. આવા નાગા સંન્યાસીઓના દર્શન કરવા માત્રથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતાઓ આજે પણ જોવા મળે છે. જેને લઇને આ મેળો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. શવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હોવાને કારણે પણ શિવના સૈનિકો એવા નાગા સન્યાસીઓ વાજતે ગાજતે રવેડીમાં ભાગ લેતા હોય છે. એક ધાર્મિક માન્યતા મુજબ નાગા સન્યાસીના રૂપમાં ભગવાન શિવ પણ રવેડીમાં સામેલ થઈને શિવ ભક્તોને દર્શન આપતા હોય છે જેને લઈને નાગા સન્યાસીઓના દર્શનને શિવરાત્રીના મેળામાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

ભવનાથની ગિરિ તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું જોવા મળે છે ખાસ મહત્વ

  • શિવ પાર્વતીની જાનમાં જતા નાગા સંન્યાસીઓ રવાડીમાં કરે છે ભગવાન શિવની આરાધના
  • ગિરી તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ બની રહયા છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
  • નાગા સન્યાસીઓ આદિ અનાદિ કાળથી ભવનાથના આયોજિત શિવરાત્રીના મેળામાં હાજર રહે છે
  • નાગા સન્યાસીના રૂપમાં ભગવાન મહાદેવ પણ મેળામાં હાજર હોવાની છે ધાર્મિક માન્યતા

આ પણ વાંચોઃ આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

જૂનાગઢઃ ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે જેમાં નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મેળાને વિધિવત રીતે ખૂલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને સમગ્ર મેળા દરમિયાન નાગા સંન્યાસીઓ જ મેળાના કેન્દ્ર બિંદુ સમાન હોય છે ત્યારે આ વર્ષે સમગ્ર દેશમાંથી સાધુ સંન્યાસીઓનું આગમન ભવનાથ તળેટીમાં થયું છે. જેને લઇને ભવનાથ તળેટી પણ ભગવાન શિવમય બનતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી માટે તૈયારીઓ હાથ ધરાઈ

નાગા સંન્યાસીઓના દર્શન કરવા માત્રથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા

નાગા સંન્યાસીઓના આગમનથી પણ હવે ભવનાથ તળેટીમાં ચહલ પહલ જોવા મળી રહી છે. સમગ્ર તળેટીનો માહોલ એકદમ ધાર્મિક બનતો જોવા મળી રહ્યો છે છે અને દિવસ દરમિયાન હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઊઠે છે, ત્યારે જૂનાગઢની ગિરી તળેટીમાં નાગા સંન્યાસીઓ ભગવાન શિવની આરાધના કરતા ભવનાથ તળેટીમાં નજરે પડી રહયા છે. આવા નાગા સંન્યાસીઓના દર્શન કરવા માત્રથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતાઓ આજે પણ જોવા મળે છે. જેને લઇને આ મેળો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. શવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હોવાને કારણે પણ શિવના સૈનિકો એવા નાગા સન્યાસીઓ વાજતે ગાજતે રવેડીમાં ભાગ લેતા હોય છે. એક ધાર્મિક માન્યતા મુજબ નાગા સન્યાસીના રૂપમાં ભગવાન શિવ પણ રવેડીમાં સામેલ થઈને શિવ ભક્તોને દર્શન આપતા હોય છે જેને લઈને નાગા સન્યાસીઓના દર્શનને શિવરાત્રીના મેળામાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

ભવનાથની ગિરિ તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું જોવા મળે છે ખાસ મહત્વ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.