ETV Bharat / state

ગીરના સરસીયામાં વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ

author img

By

Published : Sep 15, 2019, 5:17 PM IST

ગીર: રાજ્યમાં અમુક સમય પહેલા સિંહોના મારણ અને ખુલ્લા કુવામાં ખાબકવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હાલ ગીર પૂર્વના સરસીયા રેન્જમાંથી 4 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ 4 સિંહો અકસ્માતે માનવાવ ગામના ખુલ્લા કુવામાં પડી જતાં વન-વિભાગ દ્વારા રાત્રીના સમયે રેસ્ક્યુ કરીને તમામ સિંહોને કુવામાંથી બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

ગીર વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ

ગીર પૂર્વના સરસીયા રેન્જમાં 4 સિંહો ખુલ્લા કુવામાં ખાબક્યા ગીર પૂર્વના સરસીયા રેન્જના આંબડી બીટના માનવાવ ગામમાં એક ખુલ્લા કુવામાં એક સાથે 4 સિંહો ખાબકવાનો મામલો સામે આવ્યો હતો. આ સિંહોમાં 3 નર અને એક માદા સિંહણનો સમાવેશ થાય છે. જો કે, આ ગામના ખેડૂતને આ વાતની જાણ થતાં તરત જ તેણે વન વિભાગને જાણ કરી હતી અને તાત્કાલિક જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ વન વિભાગની ટીમની 5 કલાકની ભારે જહેમત બાદ તમામ સિંહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગીર વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ

ઉલ્લેખનીય છે કે, આ કુવો અંદાજીત 100 ફૂટ જેટલો ઉંડો તેમજ પડતર હતો. જેને લઇને સિંહોને કોઇ નુકસાન થવા પામ્યું ન હતું. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, રેસ્ક્યુ કરેલા તમામ સિંહો અંદાજે 2થી 4 વર્ષના છે અને હાલ સિંહોને પ્રાથમિક સારવાર આપીને વન વિભાગના નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યાની વિગતો સામે આવી છે.

ગીર પૂર્વના સરસીયા રેન્જમાં 4 સિંહો ખુલ્લા કુવામાં ખાબક્યા ગીર પૂર્વના સરસીયા રેન્જના આંબડી બીટના માનવાવ ગામમાં એક ખુલ્લા કુવામાં એક સાથે 4 સિંહો ખાબકવાનો મામલો સામે આવ્યો હતો. આ સિંહોમાં 3 નર અને એક માદા સિંહણનો સમાવેશ થાય છે. જો કે, આ ગામના ખેડૂતને આ વાતની જાણ થતાં તરત જ તેણે વન વિભાગને જાણ કરી હતી અને તાત્કાલિક જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ વન વિભાગની ટીમની 5 કલાકની ભારે જહેમત બાદ તમામ સિંહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગીર વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ

ઉલ્લેખનીય છે કે, આ કુવો અંદાજીત 100 ફૂટ જેટલો ઉંડો તેમજ પડતર હતો. જેને લઇને સિંહોને કોઇ નુકસાન થવા પામ્યું ન હતું. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, રેસ્ક્યુ કરેલા તમામ સિંહો અંદાજે 2થી 4 વર્ષના છે અને હાલ સિંહોને પ્રાથમિક સારવાર આપીને વન વિભાગના નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યાની વિગતો સામે આવી છે.

Intro:ગીર પૂર્વના સરસીયા રેન્જમાં 4 સિંહો ખુલ્લા કુવામાં ખાબક્યા Body:ગીર પૂર્વના સરસીયા રેન્જ માંથી ૪ સિંહોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ અકસ્માતે માનવાવ ગામના ખુલ્લા કુવામાં 4 સિંહો અકસ્માતે પડી જતા વન વિભાગ દ્વારા રાત્રીના સમયે રેસ્ક્યુ કરીને તમામ 4 સિંહોને કુવા માંથી બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે

ગીર પૂર્વના સરસીયા રેન્જના આંબરડી બીટના માનવાવ ગામના ખુલ્લા કુવામાં એક સાથે 3 નર અને એક માદા સિંહણ પડ્યાના જાણ ખેડૂતને થતા ખેડૂતે વન વિભાગને સમગ્ર મામલાની જાણ કરી હતી જેને લઈને વન વિભાની ટિમ ઘટના સ્થળે પહોંચીને તમામ 4 સિંહોને કૂવા માંથી બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અંદાજિત 6 કલાકા ચાલેલા રેસ્ક્યુ બાદ 4 સિંહોને કુવા માંથી બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી કૂવો અંદાજિત ૧૦૦ ફૂટ જેટલો ઊંડો તેમજ પડતર હતો જેને લઈને સિંહોને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ સિંહોની અંદાજિત 2 થી 4 વર્ષના હોવાનું બહાર આવ્યું છે રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ 4 સિંહોને વન વિભાગના તબીબો દ્વારા સારવાર આપીને હાલ પૂરતા તેમની નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે
Conclusion:વન વિભાગે 5 કલાકની ભારે જહેમત બાદ સિંહોને બહાર કાઢવામાં સફળતા મળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.