ETV Bharat / state

માંગરોળ ખાતે વરસાદ વિરામ લેતાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, સારો પાક થવાની આશા

author img

By

Published : Jun 16, 2019, 6:45 PM IST

જૂનાગઢ: માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ વરસાદે વિરામ લીધા બાદ ખેડુતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઠેર-ઠેર કરાય રહ્યું છે અને મગફળીના વાવેતર માટે ભીમ અગીયારસની વાવણી ખેડૂતો શુકન માને છે ત્યારે ભીમ અગીયારસની વાવણી થતાં ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

જુનાગઢ

અહીંની વાત કરીએ તો ખેડૂતો વાવણી સમયે કુવારકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીપણ કરે છે અને ત્યારબાદ જમીન ઉપર મગ કંકૂનો સાથીયો કરે છે અને પોતાના બળદને અબીલ ગલાલ કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવીને વાવેતર શરૂ કરાય છે. જયારે હાલ સમયસર વાવણી થતાં ખેડૂતો પોતે ખુશખુશખલ છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળી નું મબલખ ઉત્પાદન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.

માંગરોળ ખાતે વરસાદે વિરામ લેતાં ખેડુતોએ કરી વાવણી

અહીંની વાત કરીએ તો ખેડૂતો વાવણી સમયે કુવારકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીપણ કરે છે અને ત્યારબાદ જમીન ઉપર મગ કંકૂનો સાથીયો કરે છે અને પોતાના બળદને અબીલ ગલાલ કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવીને વાવેતર શરૂ કરાય છે. જયારે હાલ સમયસર વાવણી થતાં ખેડૂતો પોતે ખુશખુશખલ છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળી નું મબલખ ઉત્પાદન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.

માંગરોળ ખાતે વરસાદે વિરામ લેતાં ખેડુતોએ કરી વાવણી



એંકર
જુનાગઢ માંગરોળ ખાતે વસાદે વિરામ લેતાં ખેડુતોએ પોતાના ખેતરોમાં કરી વાવણી
ખાસ કરીને જોઈએ તો વાયુ વાવાજોડાને લયને માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહયો હતો અને ખેડુતો ખુશખુશાલ જોવા મળીયા હતા ત્યારે હાલ વરસાદે વિરામ લીધાબાદ ખેડુતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે
સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઠેરઠેર કરાય રહયું છે અને મગફળીના વાવેતર માટે ભીમ અગીયારસની વાવણી ખેડુતો શુકન માને છે ત્યારે આજ વખત ભીમ અગીયારસની વાવણી થતાં ખેડુતો ખુશ ખુશાલ જોવા મળી રહયા છે

બાઇટ = ગટુરભાઇ સોલંકી ખેડુત ગોરેજ ચશ્મા પહેરીયાં તે છે ગટુરભાઇ

જયારે ખાસ વાત કરવામાં આવે તો ખેડુતો વાવણી સમયે કુવારકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીપણ કરેછે અને ત્યાર બાદ જમીન ઉપર મગ કંકૂનો સાથીયો કરાય છે અને પોતાના બળદને અબીલ ગલાલ કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવી ને વાવેતર શરૂ કરાય છે


બાઇટ = રવીભાઇ ચુડાસમા ખેડુત
જયારે હાલ સમયસર વાવણી થતાં ખેડુતો પોતે ખુશખુશખલ છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળી નું મબલખ ઉત્પાદન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે સંજય વ્યાસ જુનાગઢ


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.