ETV Bharat / state

જૂનાગઢનો જંગ જીતવા ભાજપે કમર કસી, પક્ષ પલટાથી કોંગ્રેસ વધુ નબળી બની - Mahanagar palika

જૂનાગઢ: વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ તેમના કાર્યકરો અને ઉમેદવારોના ભરોસે ચૂંટણી જીતવા તૈયાર છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાં ભેળવીને જૂનાગઢનો જંગ જીતવા માટે કમર કસી રહી છે. ત્યારે કોંગી ઉમેદવારો કેસરિયો રંગ ધારણ કરી રહ્યા છે.

જૂનાગઢનો જંગ જીતવા ભાજપે કસી કમર,પક્ષ પલટાથી કોંગ્રેસ થઇ વધુ નબળી
author img

By

Published : Jul 14, 2019, 7:59 PM IST

ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી રાષ્ટ્રીય પાર્ટી છે. ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમના દમ પર અને કાર્યકર્તાઓની શક્તિના ભરોસે જુનાગઢનો જંગ જીતવા માટે આગળ આવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ભાજપને તેમના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કરતા કોગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર વધુ ભરોસો હોય તેવું જણાઈ આવે છે.

JND
કોંગ્રેસના ઉમેદવારોના પક્ષપલટાને લીધે કોંગ્રેસ બની નબળી

વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રક પરત ખેંચી લેવડાવામાં ભાજપના નેતાઓ સફળ થયા હતા. જેને પરિણામે વોર્ડ નંબર 3 ચૂંટણી પહેલા ભાજપ માટે બિન હરીફ બન્યો હતો. ફોર્મ પરત લેવાના અંતિમ દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 12 અને 9ના એક ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રક પરત લઇ લીધું હતું. જેને કારણે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થયો હતો.

JND
કોંગી ઉમેદવારોએ ઓઢ્યો કેસરિયો રંગ
જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસને વધુ નબળી પાડવા માટે ભાજપ આગળ વધ્યું છે. વોર્ડ નંબર 9માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો હરસુખ ડાભી અને અલ્પા ઉનડકટને ભાજપમાં સામેલ કરીને કોંગ્રેસની વધુ નબળી પડી છે. એક તરફ ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેવો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં જોડીને ચૂંટણી જંગ જીતવાની રણનીતિ બનાવી રહી છે.
JND
ચૂંટણી પહેલા જ બિન હરિફ બની ભાજપા

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં નાના કાર્યકરો ચૂંટણી જગમાં હોય છે અને તેના સહારેજ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવતો હોય છે. પરંતુ ભાજપને તેના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પર જાણે કે ભરોષો બિલકુલના હોય તેમ એક ડઝન કરતા પણ વધુ રાજ્ય સરકારના પ્રધાનો, સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો પ્રદેશ કક્ષાના નેતાઓ કેન્દ્ર સરકારના પ્રધાનો સહીત મોટો કાફલો ઉતારીને નબળી કહી શકાય તેવી કોંગ્રેસ સામે ચૂંટણી જીતવા મેદાને પડયા છે.

બીજી તરફ કોંગ્રેસે ચૂંટણીમાં કંઈ પણ ખોવા જેવું નહીં હોવાને કારણે તે પણ ભાજપનો ખેલ જોઈ રહી છે. ટિકિટ ફાળવણી બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામું આપીને નિષ્ક્રિય થઇ ગયા છે. તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ ટિકિટની ફાળવણીના વિરોધની વચ્ચે પણ કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી જંગમાં બચ્યા છે તેનો પ્રચાર કરી રહયા છે. કોંગ્રેસની ટિકિટ ફાળવણીને લઈને જે પ્રકારે જુનાગઢ શહેર કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તે હવે સામે આવી રહ્યો છે. જેનું નુકસાન કોંગ્રેસને થઇ રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી રાષ્ટ્રીય પાર્ટી છે. ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમના દમ પર અને કાર્યકર્તાઓની શક્તિના ભરોસે જુનાગઢનો જંગ જીતવા માટે આગળ આવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ભાજપને તેમના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કરતા કોગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર વધુ ભરોસો હોય તેવું જણાઈ આવે છે.

JND
કોંગ્રેસના ઉમેદવારોના પક્ષપલટાને લીધે કોંગ્રેસ બની નબળી

વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રક પરત ખેંચી લેવડાવામાં ભાજપના નેતાઓ સફળ થયા હતા. જેને પરિણામે વોર્ડ નંબર 3 ચૂંટણી પહેલા ભાજપ માટે બિન હરીફ બન્યો હતો. ફોર્મ પરત લેવાના અંતિમ દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 12 અને 9ના એક ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રક પરત લઇ લીધું હતું. જેને કારણે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થયો હતો.

JND
કોંગી ઉમેદવારોએ ઓઢ્યો કેસરિયો રંગ
જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસને વધુ નબળી પાડવા માટે ભાજપ આગળ વધ્યું છે. વોર્ડ નંબર 9માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો હરસુખ ડાભી અને અલ્પા ઉનડકટને ભાજપમાં સામેલ કરીને કોંગ્રેસની વધુ નબળી પડી છે. એક તરફ ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેવો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં જોડીને ચૂંટણી જંગ જીતવાની રણનીતિ બનાવી રહી છે.
JND
ચૂંટણી પહેલા જ બિન હરિફ બની ભાજપા

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં નાના કાર્યકરો ચૂંટણી જગમાં હોય છે અને તેના સહારેજ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવતો હોય છે. પરંતુ ભાજપને તેના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પર જાણે કે ભરોષો બિલકુલના હોય તેમ એક ડઝન કરતા પણ વધુ રાજ્ય સરકારના પ્રધાનો, સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો પ્રદેશ કક્ષાના નેતાઓ કેન્દ્ર સરકારના પ્રધાનો સહીત મોટો કાફલો ઉતારીને નબળી કહી શકાય તેવી કોંગ્રેસ સામે ચૂંટણી જીતવા મેદાને પડયા છે.

બીજી તરફ કોંગ્રેસે ચૂંટણીમાં કંઈ પણ ખોવા જેવું નહીં હોવાને કારણે તે પણ ભાજપનો ખેલ જોઈ રહી છે. ટિકિટ ફાળવણી બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામું આપીને નિષ્ક્રિય થઇ ગયા છે. તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ ટિકિટની ફાળવણીના વિરોધની વચ્ચે પણ કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી જંગમાં બચ્યા છે તેનો પ્રચાર કરી રહયા છે. કોંગ્રેસની ટિકિટ ફાળવણીને લઈને જે પ્રકારે જુનાગઢ શહેર કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તે હવે સામે આવી રહ્યો છે. જેનું નુકસાન કોંગ્રેસને થઇ રહ્યું છે.

Intro:કોંગ્રેસ યુક્ત જૂનાગઢ ભાજપ Body:વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ તેમના કાર્યકરો અને ઉમેદવારોના ભરોસે ચૂંટણી જીતવા માટે છે અસમર્થ,જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાં ભેળવીને જુનાગઢનો જંગ જીતવા માટે કમર કસી રહી છે.

ભારતીય જનતા પાર્ટી આ નામ છે વિશ્વની સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી રાષ્ટ્રીય પાર્ટીનું ભાજપ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમના દમ પર અને કાર્યકર્તાઓની શક્તિના ભરોસે જુનાગઢનો જંગ જીતવા માટે આગળ આવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ભાજપને તેમના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કરતા કોગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર વધુ ભરોષો હોય તેવું જણાઈ આવે છે વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રક પરત ખેંચી લેવડાવામાં ભાજપના નેતાઓ સફળ થયા હતા જેને પરિણામે વોર્ડ નંબર 3 ચૂંટણી પહેલા ભાજપ માટે બિન હરીફ બન્યો હતો ફોર્મ પરત લેવાના અંતિમ દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 12 અને 9ના એક ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રક પરત પરત લઇ લીધું હતું જેને કારણે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થયો હતો

જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને વધુ નબળી પાડવા માટે ભાજપ આગળ વધ્યું છે વોર્ડ નંબર 9માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો હરસુખ ડાભી અને અલ્પા ઉનડકટને ભાજપમાં સામેલ કરીને કોંગ્રેસની વધુ નબળી પાળી છે એક તરફ ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેવો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં જોડીને ચૂંટણી જંગ જીતવાની રણનીતિ બનાવી રહી છે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં નાના કાર્યકરો ચૂંટણી જગમાં હોય છે અને તેના સહારેજ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવતો હોય છે પરંતુ ભાજપને તેના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પર જાણેકે ભરોષો બિલકુલના હોય તેમ એક ડઝન કરતા પણ વધુ રાજ્ય સરકારના પ્રધાનો સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો પ્રદેશ કક્ષાના નેતાઓ કેન્દ્ર સરકારના પ્રધાનો સહીત મોટો કાફલો ઉતારીને નબળી કહી શકાય તેવી કોંગ્રેસ સામે ચૂંટણી જીતવા મેદાને પડયા છે

બીજી તરફ કોંગ્રેસે ચૂંટણીમાં કઈ પણ ખોવા જેવું નહિ હોવાને કારણે તે પણ ભાજપનો ખેલ જોઈ રહી છે ટિકિટ ફાળવણી બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામુ આપીને નિષ્ક્રિય થઇ ગયા છે તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ ટિકિટની ફાળવણીના વિરોધની વચ્ચે પણ કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી જંગમાં બચ્યા છે તેનો પ્રચાર કરી રહયા છે કોંગ્રેસની ટિકિટ ફાળવણીને લઈને જે પ્રકારે જુનાગઢ શહેર કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તે હવે સામે આવી રહ્યો છે જેનું નુકસાન કોંગ્રેસને થઇ રહ્યું છે Conclusion:વધુ એક કોંગી ઉમેદવારના કેસરિયા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.