જામનગર : જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. જેથી જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પંચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓના રીપેરીંગ કામ કરવાની માગણી કરી છે.
જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે, અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય લાગે છે. ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચો હવે આગળ આવ્યા છે અને પોતાની માગ લઈ રજૂઆત કરી છે.