ETV Bharat / state

નવ વર્ષના બાળકે CM રાહત નિધિમાં રૂપિયા 11 હજાર અર્પણ કર્યા, મુખ્યપ્રધાને બાળકને બિરદાવ્યો

author img

By

Published : Apr 28, 2020, 8:22 PM IST

જામનગર છોટીકાશી તરીકે પ્રખ્યાત છે. જામનગરમાં કોરોના વાઈરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષમાં પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે.

જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી
જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી

જામનગરઃ જામનગર છોટીકાશી તરીકે પ્રખ્યાત છે. જામનગરમાં કોરોના વાઈરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષમાં પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે.

જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી

રાજ્ય પ્રધાનને અનુદાનનો ચેક અર્પણ કરતાં સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોકે કહ્યું કે, જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશ સેવા માટે અર્પણ કરું છું. મારા જન્મદિવસની ઉજવણીના આ રૂપિયા 11 હજાર હું મુખ્યપ્રધાન રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહ્યો છું. માત્ર 9 વર્ષની ઉંમરે આવી પરિપકવતા સાથે દેશદાઝ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તો પ્રેરણારૂપ છે. જ પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશસેવાના વિચારો બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળક શ્લોક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા વાતચીત કરી હતી અને શ્લોકને તેના આ ઉત્કૃષ્ટ પગલા માટે બિરદાવ્યો હતો.

જામનગરઃ જામનગર છોટીકાશી તરીકે પ્રખ્યાત છે. જામનગરમાં કોરોના વાઈરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષમાં પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે.

જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી

રાજ્ય પ્રધાનને અનુદાનનો ચેક અર્પણ કરતાં સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોકે કહ્યું કે, જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશ સેવા માટે અર્પણ કરું છું. મારા જન્મદિવસની ઉજવણીના આ રૂપિયા 11 હજાર હું મુખ્યપ્રધાન રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહ્યો છું. માત્ર 9 વર્ષની ઉંમરે આવી પરિપકવતા સાથે દેશદાઝ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તો પ્રેરણારૂપ છે. જ પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશસેવાના વિચારો બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળક શ્લોક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા વાતચીત કરી હતી અને શ્લોકને તેના આ ઉત્કૃષ્ટ પગલા માટે બિરદાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.