જામનગર : લૉકડાઉનના પગલે લોકોમાં પોલીસની સતર્કતા અને ઉપસ્થિતિ તેમજ લૉકડાઉનનો ભંગ કરનારાઓમાં પોલીસનો ડર જળવાઈ રહે તે હેતુથી SP શરદ સિંઘલના માર્ગદર્શન અને ASP સફિન હસન અને DYSP ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ NCCના કેડેટ્સ સાથે જામનગર દરબારગઢ વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટિમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાને ઘરમાં રહેવા તેમજ જે લોકો લૉકડાઉનનો ભંગ કરશે તેમની સામે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત લૉકડાઉન પૂર્ણતાના આરે છે, ત્યારે લોકો તેનો ભંગ ન કરે અને રસ્તા પર આવી ન જાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જે લોકો નિયમોનો ભંગ કરશે તેને સખત સજા ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું ASP દ્વારા જણાવવામાં આવ્યું હતું.