ETV Bharat / state

Moti Khawdi Zoo: મોટી ખાવડીના પ્રાણી સંગહાલયમાં હાથી બાદ મગરો શોભા વધારશે

author img

By

Published : Feb 14, 2022, 3:42 PM IST

જામનગર શહેરના મોટી ખાવડી વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં તાજેતરમાં દેશના અલગ અલગ સ્થળો પરથી હાથી, ચિતા સહિતના વન્ય પ્રાણીઓનું રેસ્કયુ( Moti Khawdi Zoo)કર્યા બાદ આ સેન્ટરમાં ક્રોકોડાઇલના ઉછેર માટે હાથ ધરવામાં આવેલા છે. જેમાં ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ પાસે તેમની ક્ષમતા વધારે મગરો હોવાથી અનેક મગરોનો ઉછેર કરવાનું મુશ્કેલ(Crocodiles will be rescued from Chennai) બન્યું હોવાની બાબતો વાટાઘાટોમાં રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Moti Khawdi Zoo: મોટી ખાવડીના પ્રાણી સંગહાલયમાં હાથી બાદ મગરો શોભા વધારશે
Moti Khawdi Zoo: મોટી ખાવડીના પ્રાણી સંગહાલયમાં હાથી બાદ મગરો શોભા વધારશે

જામનગરઃ શહેર નજીકના મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં( Greens Zoological Rescue and Rehabilitation Kingdom )થોડા સમય પહેલા હાથી સહિતની વન્ય પ્રાણીઓને લાવવામાં આવ્યા બાદ આ સેન્ટરની શોભાવૃઘ્ધિ વધારવા માટે તાજેતરમાં મદ્રાસની ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ( Madras Crocodile Bank Trust )સાથે ઉછેરવામાં આવતી 15 જેટલી પ્રજાતિ મગરોને લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં હાથી બાદ મગરોનું થશે આગમન

આગામી સમયમાં એક હજાર જેટલી મગરોનું રેસ્કયુ કરી મોટી ખાવડી લાવવામાં(Moti Khawdi Zoo) આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ સેન્ટરમાં તાજેતરમાં દેશના અલગ અલગ સ્થળો પરથી હાથી, ચિતા સહિતના વન્ય પ્રાણીઓનું રેસ્કયુ કર્યા બાદ આ સેન્ટરમાં ક્રોકોડાઇલના ઉછેર માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેકટ સંદર્ભે ચેન્નઇથી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ સાથે થોડા સમય પહેલા વાટાઘાટો આરંભવામાં આવી હતી. જેમાં ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ પાસે તેમની ક્ષમતા વધારે મગરો હોવાથી અનેક મગરોનો ઉછેર કરવાનું મુશ્કેલ બન્યું હોવાની બાબતો વાટાઘાટોમાં રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સમયાનુસાર 15 પ્રજાતિ મગરોને મોકલવામાં આવશે

ચેન્નઇના મગર ઉછેર કેન્દ્રના સંચાલકો સાથે કરાયેલી વાતચીત બાદ તેમની પાસે રહેલી 15 જેટલી અલગ અલગ પ્રજાતિઓની મગરોને આપવાની બાબતો નક્કી કરવામાં આવી હતી. સમયાનુસાર મગરોનો ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવશે. જો કે ટ્રસ્ટ પાસે અનેક માદા મગરો હોવાથી સમયાનુસાર તેમને ખસેડવાની કામગીરી હાથ ધરાશે અને માદા મગરોને મોકલવા માટે સમયગાળાની માંગણી પણ દશર્વિવામાં આવી છે.

રિલાયન્સ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

મોટી ખાવડી સ્થિત સેન્ટરના સંચાલકો સાથે આ વર્ષના અંત સુધી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ દ્વારા 1000 જેટલી ઘડિયાલ પ્રકારની તેમજ તેમની પાસે રહેલ 15 પ્રજાતિના મગરોને પહોંચાડવાની સંમતિ આપી હોવાની બાબતો જાણવા મળે છે. આ ઉપરાંત મદ્રાસ ટ્રસ્ટ દ્વારા 25 થી 30 જેટલા મગરોના અલગ અલગ બેચમાં મગરોને જામનગર નજીકની વન્ય પ્રાણી આશ્રય સ્થળે પહોંચાડવામાં આવશે. આ અંગે જામનગર વન વિભાગને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે. ત્યારબાદ જામનગર વન વિભાગ દ્વારા જરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત

શું કહ્યું વન વિભાગના અધિકારીએ

જામનગર વન વિભાગના અધિકારી રાધિકા પરસાણાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટી ખાવડી સ્થિતિ ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં મગરોને લાવવામાં આવનાર હોવાની બાબતો અંગેની ચર્ચા મદ્રાસની ક્રોકોડાઇલ બેંક સાથે ચાલી રહી હોવાની અને આ અંગેની સત્તાવાર જાણ હવે પછી વન વિભાગને કરવામાં આવનાર હોવાની બાબતો જણાવી હતી.

ચેન્નાઇની પાંચ દાયકા સુધી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ સાથે કરાયેલા કરારો

મોટી ખાવડી સેન્ટર ખાતે આ વર્ષના અંત સુધીમાં મદ્રાસ ક્રોકોડાઇલ ટ્રસ્ટ દ્વારા 350 નર અને 650 માદા મગરોને મોકલવામાં આવશે. સાથોસાથ મદ્રાસ ક્રોકોડાઇલ સેન્ટરમાં મગરોની સંખ્યા ખૂબ વધી ગઈ હોય અને સંસ્થાના પ્રાણીઓની સુરક્ષા નિભાવનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય જેથી ટ્રસ્ટીઓ દ્વારા વધારાના મગરોને મોકલવાની સંમતિ આપવાનું હોવાની તેમજ અમુક માદા મગરોનો સંવનન કાળ પૂર્ણ થયા બાદ તેમનું ટ્રાન્સપોર્ટેશન કરાશે. આ અંગે સેન્ટર ઝૂ ઓથોરોટી દ્વારા પણ મંજુરી આપવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 250 એકર જમીન પર આકાર લેશે

જામનગરઃ શહેર નજીકના મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં( Greens Zoological Rescue and Rehabilitation Kingdom )થોડા સમય પહેલા હાથી સહિતની વન્ય પ્રાણીઓને લાવવામાં આવ્યા બાદ આ સેન્ટરની શોભાવૃઘ્ધિ વધારવા માટે તાજેતરમાં મદ્રાસની ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ( Madras Crocodile Bank Trust )સાથે ઉછેરવામાં આવતી 15 જેટલી પ્રજાતિ મગરોને લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં હાથી બાદ મગરોનું થશે આગમન

આગામી સમયમાં એક હજાર જેટલી મગરોનું રેસ્કયુ કરી મોટી ખાવડી લાવવામાં(Moti Khawdi Zoo) આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ સેન્ટરમાં તાજેતરમાં દેશના અલગ અલગ સ્થળો પરથી હાથી, ચિતા સહિતના વન્ય પ્રાણીઓનું રેસ્કયુ કર્યા બાદ આ સેન્ટરમાં ક્રોકોડાઇલના ઉછેર માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેકટ સંદર્ભે ચેન્નઇથી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ સાથે થોડા સમય પહેલા વાટાઘાટો આરંભવામાં આવી હતી. જેમાં ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ પાસે તેમની ક્ષમતા વધારે મગરો હોવાથી અનેક મગરોનો ઉછેર કરવાનું મુશ્કેલ બન્યું હોવાની બાબતો વાટાઘાટોમાં રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સમયાનુસાર 15 પ્રજાતિ મગરોને મોકલવામાં આવશે

ચેન્નઇના મગર ઉછેર કેન્દ્રના સંચાલકો સાથે કરાયેલી વાતચીત બાદ તેમની પાસે રહેલી 15 જેટલી અલગ અલગ પ્રજાતિઓની મગરોને આપવાની બાબતો નક્કી કરવામાં આવી હતી. સમયાનુસાર મગરોનો ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવશે. જો કે ટ્રસ્ટ પાસે અનેક માદા મગરો હોવાથી સમયાનુસાર તેમને ખસેડવાની કામગીરી હાથ ધરાશે અને માદા મગરોને મોકલવા માટે સમયગાળાની માંગણી પણ દશર્વિવામાં આવી છે.

રિલાયન્સ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

મોટી ખાવડી સ્થિત સેન્ટરના સંચાલકો સાથે આ વર્ષના અંત સુધી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ દ્વારા 1000 જેટલી ઘડિયાલ પ્રકારની તેમજ તેમની પાસે રહેલ 15 પ્રજાતિના મગરોને પહોંચાડવાની સંમતિ આપી હોવાની બાબતો જાણવા મળે છે. આ ઉપરાંત મદ્રાસ ટ્રસ્ટ દ્વારા 25 થી 30 જેટલા મગરોના અલગ અલગ બેચમાં મગરોને જામનગર નજીકની વન્ય પ્રાણી આશ્રય સ્થળે પહોંચાડવામાં આવશે. આ અંગે જામનગર વન વિભાગને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે. ત્યારબાદ જામનગર વન વિભાગ દ્વારા જરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત

શું કહ્યું વન વિભાગના અધિકારીએ

જામનગર વન વિભાગના અધિકારી રાધિકા પરસાણાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટી ખાવડી સ્થિતિ ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં મગરોને લાવવામાં આવનાર હોવાની બાબતો અંગેની ચર્ચા મદ્રાસની ક્રોકોડાઇલ બેંક સાથે ચાલી રહી હોવાની અને આ અંગેની સત્તાવાર જાણ હવે પછી વન વિભાગને કરવામાં આવનાર હોવાની બાબતો જણાવી હતી.

ચેન્નાઇની પાંચ દાયકા સુધી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ સાથે કરાયેલા કરારો

મોટી ખાવડી સેન્ટર ખાતે આ વર્ષના અંત સુધીમાં મદ્રાસ ક્રોકોડાઇલ ટ્રસ્ટ દ્વારા 350 નર અને 650 માદા મગરોને મોકલવામાં આવશે. સાથોસાથ મદ્રાસ ક્રોકોડાઇલ સેન્ટરમાં મગરોની સંખ્યા ખૂબ વધી ગઈ હોય અને સંસ્થાના પ્રાણીઓની સુરક્ષા નિભાવનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય જેથી ટ્રસ્ટીઓ દ્વારા વધારાના મગરોને મોકલવાની સંમતિ આપવાનું હોવાની તેમજ અમુક માદા મગરોનો સંવનન કાળ પૂર્ણ થયા બાદ તેમનું ટ્રાન્સપોર્ટેશન કરાશે. આ અંગે સેન્ટર ઝૂ ઓથોરોટી દ્વારા પણ મંજુરી આપવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 250 એકર જમીન પર આકાર લેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.