ETV Bharat / state

જામનગરમાં ફરી એક વખત ડેન્ગ્યૂનો કહેર, 11 દર્દી પોઝિટીવ - manshuk slolanki

જામનગરઃ શહેરમાં ફરી એક વખત ડેન્ગ્યૂની મહામારીએ માથું ઊંચકતા આરોગ્ય તંત્રની દોડધામ વધી છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૩ દર્દીઓને ડેન્ગ્યૂ હોવાનો પોઝિટીવ રિપોર્ટ મળ્યો છે.

FH
author img

By

Published : Jun 27, 2019, 3:10 PM IST

જામનગરમાં એક જ દિવસમાં 13 દર્દીઓને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના રોગચાળાએ છેલ્લા કેટલાક દિવસથી માઝા મૂકી છે. તો ચોમાસામાં વધુ જોવા મળતા આ રોગચાળાએ હાલ દેખા દીધી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની બિમારી માટે સારવાર અર્થે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા 39 દર્દીઓના જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૧૩ દર્દીને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

જામનગરમાં ફરી એક વખત ડેન્ગ્યુનો કહેર

આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સઘન સારવાર શરૂ કરવામાં આવી રહી છે. તો આ 13 દર્દીઓમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 8 કેસ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં એક જ દિવસમાં 13 દર્દીઓને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના રોગચાળાએ છેલ્લા કેટલાક દિવસથી માઝા મૂકી છે. તો ચોમાસામાં વધુ જોવા મળતા આ રોગચાળાએ હાલ દેખા દીધી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની બિમારી માટે સારવાર અર્થે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા 39 દર્દીઓના જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૧૩ દર્દીને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

જામનગરમાં ફરી એક વખત ડેન્ગ્યુનો કહેર

આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સઘન સારવાર શરૂ કરવામાં આવી રહી છે. તો આ 13 દર્દીઓમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 8 કેસ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

Intro:જામનગરમાં ફરી એક વખત ડેન્ગ્યુની મહામારીએ માથું ઉંચકતા આરોગ્ય તંત્રની દોડધામ વધી છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૩ દર્દીઓને ડેન્ગ્યુ હોવાનો પોઝિટિવ રિપોર્ટ મળવા પામ્યો છે.

આમ એક જ દિવસમાં તેર દર્દીઓને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના રોગચાળાએ છેલ્લા કેટલાક દિવસથી માઝા મૂકી છે. ચોમાસામાં વધુ જોવા મળતા આ રોગચાળાએ હાલ દેખા દીધી છે. Body:જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની બિમારી માટે સારવાર અર્થે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા ૩૯ દર્દીઓના જરૃરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૧૩ દર્દીને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.
Conclusion:આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સઘન સારવાર શરૃ કરવામાં આવી રહી છે. આ તેર દર્દીઓમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર તથા ગ્રામ્ય વિસ્તારના એક કેઈસનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય આઠ કેઈસ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.