- જામનગરમાં કોંગ્રેસનો જન જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
- અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર
- કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ઊપસ્થિત રહ્યા
જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા જામનગરમાં ગાંધીનગર વિસ્તાર ખાતે સુથાર સમાજની વાડીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તે માટે કાર્યકર્તાઓને કોંગ્રેસ દ્વારા તૈયાર રહેવાની હાકલ કરવામાં આવી હતી.
![જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-cong-jansamprk-7202728-mansukh_19012021145029_1901f_1611048029_384.jpg)
25 વર્ષથી કોંગ્રેસ મનપમાં સત્તાથી છે દૂર
કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે 10 થી 12 કોર્પોરેટર ચૂંટણીમાં વિજેતા બનતા હોય છે, ત્યારે ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસના વધુમાં વધુ કોર્પોરેટરો ચૂંટણીમાં વિજેતા બને તે માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.