ETV Bharat / state

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ 16મી શ્રમિક ટ્રેન હાવડા જવા રવાના

author img

By

Published : May 26, 2020, 8:54 PM IST

જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1,437 જેટલા પરપ્રાંતિય મજૂરોને તેમના પરિવારને પશ્વિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ 16મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ 16મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના

જામનગરઃ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ 16મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે. આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1,437 જેટલા પરપ્રાંતિય મજૂરોને તેમના પરિવારને પશ્વિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

જેમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 301 શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના 300 શ્રમિકો અને 845 જામનગરથી શ્રમિકોને એમ કુલ 1,446 શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી અંતિમ અને 16 મી ટ્રેન મોકલવામાં આવી છે. આજસુધીમાં ટ્રેન દ્વારા જામનગર જિલ્લાના 11,805 શ્રમિકોને ઉત્તરપ્રદેશ, 8,541 શ્રમિકોને બિહાર અને 1,026 શ્રમિકોને ઝારખંડ તેમજ આજે 845 શ્રમિકોને પશ્વિમ બંગાળ એમ કુલ 22,217 શ્રમિકોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 301 શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના 300 શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

વતન વાપસીની વેળાએ જામનગરમાં સોની કામ કરતા હાવરાના સુભાષ સામંતે કહ્યું હતું કે, જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરીને રોજી મેળવવાની છે. એ માટે જામનગર જલ્દી પાછા ફરીશું. પણ કોરોનાની આ પરિસ્થિતિમાં સરકારે અમને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપી એ માટે ખૂબ ખૂબ આભાર.

તો મુર્શિદાબાદના ચિરંજીતએ હાલ વતન પહોંચવા માટે સરકારની વ્યવસ્થા અંગે કૃતજ્ઞતા વ્યકત કરતા કહ્યું હતું કે, વાડીનાર ખાતે આઇ.સી.એલ.માં મેન્ટેનન્સ માટે હું આવ્યો હતો. કોરોનાના કારણે કામ બંધ હતું. ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું.

આ અંગે પશ્વિમ બંગાળ સરકારને જિલ્લાનુસાર શ્રમિકોની યાદી સ્થળ પરથી જ ઓનલાઇન મોકલવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડવોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.



જામનગરઃ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ 16મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે. આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1,437 જેટલા પરપ્રાંતિય મજૂરોને તેમના પરિવારને પશ્વિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

જેમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 301 શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના 300 શ્રમિકો અને 845 જામનગરથી શ્રમિકોને એમ કુલ 1,446 શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી અંતિમ અને 16 મી ટ્રેન મોકલવામાં આવી છે. આજસુધીમાં ટ્રેન દ્વારા જામનગર જિલ્લાના 11,805 શ્રમિકોને ઉત્તરપ્રદેશ, 8,541 શ્રમિકોને બિહાર અને 1,026 શ્રમિકોને ઝારખંડ તેમજ આજે 845 શ્રમિકોને પશ્વિમ બંગાળ એમ કુલ 22,217 શ્રમિકોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 301 શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના 300 શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

વતન વાપસીની વેળાએ જામનગરમાં સોની કામ કરતા હાવરાના સુભાષ સામંતે કહ્યું હતું કે, જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરીને રોજી મેળવવાની છે. એ માટે જામનગર જલ્દી પાછા ફરીશું. પણ કોરોનાની આ પરિસ્થિતિમાં સરકારે અમને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપી એ માટે ખૂબ ખૂબ આભાર.

તો મુર્શિદાબાદના ચિરંજીતએ હાલ વતન પહોંચવા માટે સરકારની વ્યવસ્થા અંગે કૃતજ્ઞતા વ્યકત કરતા કહ્યું હતું કે, વાડીનાર ખાતે આઇ.સી.એલ.માં મેન્ટેનન્સ માટે હું આવ્યો હતો. કોરોનાના કારણે કામ બંધ હતું. ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું.

આ અંગે પશ્વિમ બંગાળ સરકારને જિલ્લાનુસાર શ્રમિકોની યાદી સ્થળ પરથી જ ઓનલાઇન મોકલવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડવોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.