ETV Bharat / state

Atul Chag Suicide Case: સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર, આરોપી સામે કડક પગલાં લો

author img

By

Published : Feb 15, 2023, 10:01 AM IST

વેરાવળ ડો. ચગની આત્મહત્યાને લઈને લોહાણા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ચગની સુસાઈટ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ત્યારે આવેદનપત્ર દરમિયાન ડો, ચગના પુત્ર અને ચગના બહેન પણ હાજર રહ્યા હતા.

Veraval Doctor Suicide : ડો ચગની આત્મહત્યાને લઈને સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર
Veraval Doctor Suicide : ડો ચગની આત્મહત્યાને લઈને સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

ડો અતુલ ચગનો પરિવાર પ્રથમ વખત મીડિયા સામે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી માંગ

ગીર સોમનાથ : વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસને લઈને હવે લોહાણા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. કલેકટરને આવેદનપત્ર આપીને ડો ચગની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિ પર આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આ સમગ્ર મામલામાં મૃતક તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ અને તેમના બહેન રીટાબહને માધ્યમો સાથે વાત કરી હતી. પોલીસ તપાસ પર ભરોસો મૂકીને આરોપી નારણભાઈ અને રાજેશ ચુડાસમા વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

સમસ્ત લોહાણા સમાજે આપ્યું આવેદનપત્ર : ગઈકાલે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લા લોહાણા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ આત્મહત્યા કરતાં પૂર્વે ડોક્ટર અતુલ ચગ દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા નામો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં લોહાણા સમાજ સાથે મૃતક ડોક્ટર અતુલ ચગના પરિવારજનો પણ સામેલ થયા હતા. તેમણે ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવીને પોલીસની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ જે રીતે સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

આ પણ વાંચો : Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

મૃતક તબીબના બહેને શંકાસ્પદ નામો સામે કાર્યવાહી કરી માંગ : મૃતક તબીબ અતુલ ચગના પુત્ર હિતાર્થ અને બહેન રીટાબહેને ડોક્ટર અતુલ ચગ દ્વારા સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાનો ઉલ્લેખ કર્યો છે. આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે. હજુ સુધી ડો ચગના પરિવાર દ્વારા વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરતું સમગ્ર મામલામાં ડોક્ટર અતુલ ચગના પરિવારજનોના નિવેદનો લેવાનું કામ પણ સોમનાથ પોલીસે શરૂ કર્યું છે, ત્યારે ગઈકાલે આવેદનપત્ર મારફતે રાજેશ ચુડાસમા અને નારણભાઈ સામે કાયદાકીય કાર્યવાહી ની માંગ પણ કરી છે.

આ પણ વાંચો : Veraval Doctor Suicide : તબીબ અતુલ ચગની આત્મહત્યાની સુસાઈટ નોટમાં નામ ખુલ્યા તે કોણ

કેવા પગલાં લે તેની પર નજર કેન્દ્રિત : ડોક્ટર અતુલ ચગના બહેન રીટાબહેન સ્પષ્ટ રીતે સમગ્ર મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તરફ નિર્દેશ કરે છે, ત્યારે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ બાદ રાજેશ ચુડાસમા અને નારાણભાઈ વિરુદ્ધ કેવા પ્રકારે પોલીસ કાર્યવાહી થશે. તેને લઈને પણ હવે ફરિયાદ અને પોલીસ તપાસ પર સમગ્ર મામલો કેન્દ્રિત બનતો જોવા મળે છે.

ડો અતુલ ચગનો પરિવાર પ્રથમ વખત મીડિયા સામે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી માંગ

ગીર સોમનાથ : વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસને લઈને હવે લોહાણા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. કલેકટરને આવેદનપત્ર આપીને ડો ચગની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિ પર આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આ સમગ્ર મામલામાં મૃતક તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ અને તેમના બહેન રીટાબહને માધ્યમો સાથે વાત કરી હતી. પોલીસ તપાસ પર ભરોસો મૂકીને આરોપી નારણભાઈ અને રાજેશ ચુડાસમા વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

સમસ્ત લોહાણા સમાજે આપ્યું આવેદનપત્ર : ગઈકાલે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લા લોહાણા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ આત્મહત્યા કરતાં પૂર્વે ડોક્ટર અતુલ ચગ દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા નામો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં લોહાણા સમાજ સાથે મૃતક ડોક્ટર અતુલ ચગના પરિવારજનો પણ સામેલ થયા હતા. તેમણે ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવીને પોલીસની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ જે રીતે સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

આ પણ વાંચો : Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

મૃતક તબીબના બહેને શંકાસ્પદ નામો સામે કાર્યવાહી કરી માંગ : મૃતક તબીબ અતુલ ચગના પુત્ર હિતાર્થ અને બહેન રીટાબહેને ડોક્ટર અતુલ ચગ દ્વારા સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાનો ઉલ્લેખ કર્યો છે. આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે. હજુ સુધી ડો ચગના પરિવાર દ્વારા વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરતું સમગ્ર મામલામાં ડોક્ટર અતુલ ચગના પરિવારજનોના નિવેદનો લેવાનું કામ પણ સોમનાથ પોલીસે શરૂ કર્યું છે, ત્યારે ગઈકાલે આવેદનપત્ર મારફતે રાજેશ ચુડાસમા અને નારણભાઈ સામે કાયદાકીય કાર્યવાહી ની માંગ પણ કરી છે.

આ પણ વાંચો : Veraval Doctor Suicide : તબીબ અતુલ ચગની આત્મહત્યાની સુસાઈટ નોટમાં નામ ખુલ્યા તે કોણ

કેવા પગલાં લે તેની પર નજર કેન્દ્રિત : ડોક્ટર અતુલ ચગના બહેન રીટાબહેન સ્પષ્ટ રીતે સમગ્ર મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તરફ નિર્દેશ કરે છે, ત્યારે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ બાદ રાજેશ ચુડાસમા અને નારાણભાઈ વિરુદ્ધ કેવા પ્રકારે પોલીસ કાર્યવાહી થશે. તેને લઈને પણ હવે ફરિયાદ અને પોલીસ તપાસ પર સમગ્ર મામલો કેન્દ્રિત બનતો જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.