ETV Bharat / state

સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર, જુઓ વિશેષ અહેવાલ

author img

By

Published : Nov 5, 2020, 4:45 PM IST

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર એ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પનું સાક્ષી છે. હવે સોમનાથ ટ્રસ્ટ સોમનાથ તીર્થને વસુધૈવ કુટુંમ્બકમનું ઉદાહરણ બનાવવા જઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની માલિકીની જમીનમાં આશરે ત્રીજીથી ચોથી સદી વચ્ચેની બૌદ્ધ ગુફાઓ મળી આવી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌતમ બુદ્ધના વિચારો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા શુભઆશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ગુફાઓનું સમારકામ કરી તેમાં ગૌતમ બુદ્ધના 20 જેટલા ફોટો અને તેમના ઉપદેશો લગાવવામાં આવશે. સાથે જ અહીં ગૌતમ બુદ્ધની એક ભવ્ય પ્રતિમા પણ મુકવામાં આવશે. ત્યારે ઈટીવી ભારતના માધ્યમથી જાણો સોમનાથમાં ધાર્મિક સહિષ્ણુતાની અનોખી કહાની.

સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ ટ્રસ્ટ
  • હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ છે સોમનાથ મંદિર
  • બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ
  • સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ
    સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર

સોમનાથ: હિન્દુ ધર્મના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હવે ગૌતમ બુદ્ધના ભાવિકો પણ પ્રાચીનતાના દર્શન કરી શકશે. સોમનાથમાં હવે દેશની સહિષ્ણુતાના દર્શન પણ યાત્રીઓને થઈ શકશે. સોમનાથમાં મળી આવેલી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓમાં ટૂરિઝમ વિભાગના સહયોગથી રૂપિયા 65 લાખના ખર્ચે સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેથી લોકો હવે અહીં પૌરાણિક કાળના પણ દર્શન કરી શકશે.

સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ

સોમનાથમાં ત્રિવેણી સંગમ પર જંગલ વિસ્તાર આવેલો છે અને પ્રભાસતીર્થ પૌરાણિકતા સાથે જોડાયેલું છે. અહીં ઈસુની ત્રીજી અને ચોથી સદીની પ્રાચીન પૌરાણિક બૌધ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓ પહાડ કોતરીને બનાવી હોય તેમ લાગી રહ્યું છે. બન્ને ગુફાઓની અંદર ચાર પીલર પણ કોતરાયેલા છે. પાછળના ભાગે બન્ને ગુફાઓ વચ્ચે રસ્તો પણ કોતરેલો છે.

સોમનાથમાં મળી આવી પ્રાચીમ બૌદ્ધ ગુફાઓ
સોમનાથમાં મળી આવી પ્રાચીમ બૌદ્ધ ગુફાઓ

65 લાખના ખર્ચે ગુફાનું રિનોવેશન કરાશે

હાલ તો અહીં ગાઢ અંધકારમાં ચામાચિડીયાઓએ ઘર બનાવ્યા છે. રાજ્યના ટૂરિઝમ વિભાગે રૂપિયા 65 લાખના ખર્ચે સોમનાથ ટ્રસ્ટને આ જગ્યા વિકાસ માટે ફાળવતાં હવે ટ્રસ્ટે આ ગુફાઓમાં સુવિધા ઉભી કરવા સાથે અહીં દર્શનીય સ્થળ બનાવવાનો પ્રારંભ કર્યો છે. સાથે જ અહીં કાફે અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. જેથી આવનારા યાત્રીઓને વધુ સગવડતા મળી રહે.

  • હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ છે સોમનાથ મંદિર
  • બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ
  • સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ
    સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર

સોમનાથ: હિન્દુ ધર્મના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હવે ગૌતમ બુદ્ધના ભાવિકો પણ પ્રાચીનતાના દર્શન કરી શકશે. સોમનાથમાં હવે દેશની સહિષ્ણુતાના દર્શન પણ યાત્રીઓને થઈ શકશે. સોમનાથમાં મળી આવેલી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓમાં ટૂરિઝમ વિભાગના સહયોગથી રૂપિયા 65 લાખના ખર્ચે સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેથી લોકો હવે અહીં પૌરાણિક કાળના પણ દર્શન કરી શકશે.

સોમનાથમાં મળી આવી ત્રીજી અને ચોથી સદીની બૌધ ગુફાઓ

સોમનાથમાં ત્રિવેણી સંગમ પર જંગલ વિસ્તાર આવેલો છે અને પ્રભાસતીર્થ પૌરાણિકતા સાથે જોડાયેલું છે. અહીં ઈસુની ત્રીજી અને ચોથી સદીની પ્રાચીન પૌરાણિક બૌધ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓ પહાડ કોતરીને બનાવી હોય તેમ લાગી રહ્યું છે. બન્ને ગુફાઓની અંદર ચાર પીલર પણ કોતરાયેલા છે. પાછળના ભાગે બન્ને ગુફાઓ વચ્ચે રસ્તો પણ કોતરેલો છે.

સોમનાથમાં મળી આવી પ્રાચીમ બૌદ્ધ ગુફાઓ
સોમનાથમાં મળી આવી પ્રાચીમ બૌદ્ધ ગુફાઓ

65 લાખના ખર્ચે ગુફાનું રિનોવેશન કરાશે

હાલ તો અહીં ગાઢ અંધકારમાં ચામાચિડીયાઓએ ઘર બનાવ્યા છે. રાજ્યના ટૂરિઝમ વિભાગે રૂપિયા 65 લાખના ખર્ચે સોમનાથ ટ્રસ્ટને આ જગ્યા વિકાસ માટે ફાળવતાં હવે ટ્રસ્ટે આ ગુફાઓમાં સુવિધા ઉભી કરવા સાથે અહીં દર્શનીય સ્થળ બનાવવાનો પ્રારંભ કર્યો છે. સાથે જ અહીં કાફે અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. જેથી આવનારા યાત્રીઓને વધુ સગવડતા મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.