ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લામાં અત્યંત જોખમી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અને લોકોને સાવચેત કરવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. હવે આ પ્રયત્નોમાં તેમને સામાજીક સંસ્થાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેંક દ્વારા વહીવટી તંત્રના વડા કલેક્ટર અજયપ્રકાશને 650 લીટર સેનીટાઈઝર, 7100 માસ્ક અને 10 થર્મલ ગનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટર દ્વારા આ સામગ્રી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ફાળવવામાં આવી હતી. હવે આરોગ્ય શાખા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સેનેટાઇઝર, માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે.