આજે ETV ભારત એવી અંતરિયાળ જગ્યાંએ પહોંચ્યું છે, જ્યાં ગીરના ગાઢ જંગલની વચ્ચે બાણેજ આશ્રમ આવેલો છે. અહીં આશ્રમના મહંત ભરતદાસ બાપુનો એકમાત્ર મતદાતા છે. આ એક મત માટે એક આખું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે. જ્યાં 8 જેટલા કર્મચારીઓ કામે લાગે છે. 2002થી આ મતદાન કેન્દ્ર પર 100% મતદાન થઈ રહ્યું છે, કારણ કે બાપુ ક્યારેય પણ મતદાન ચુકતા નથી.
ETV ભારત સાથે વાત કરતા ભરતદાસ બાપુ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત યાદ કરે છે અને ફરી એકવાર મોદી સરકારનો નારો લગાવે છે, ત્યારે દેશના અગ્રેસર ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ETV ભારત પણ આપને અવશ્ય મતદાન કરવા અપીલ કરે છે.