ETV Bharat / state

તાલાલા ગીરના સાત ગામોમાં વીજ બીલ ન ભરાતા કનેક્શન કપાયા - વીજ કનેક્શન કપાયા

ગીર સોમનાથ જિલ્‍લાના તાલાલા તાલુકાની સાત ગ્રામ પંચાયતોની વિજળીના બીલની લાખોની રકમ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી નંખાતા સર્વત્ર અંધારપટનો માહોલ છવાયો છે.

Gir-Somnath
Gir-Somnath
author img

By

Published : Mar 21, 2021, 1:42 PM IST

  • તાલાલા ગીરના સાત ગામોમાં અંધારપટ છવાયો
  • સાત ગ્રામ પંચાયતોએ વીજ બીલ ન ભરતા કનેક્શન કપાયા
  • ત્રણ ગામો વીજ બીલની કામ બાકી રકમ ચુકતે કરી દેતા અંધારપટ થતા બચી ગયા

ગીર સોમનાથ: તાલાલા નગરપાલિકા સહિત તાલુકાની નવ ગ્રામ પંચાયતો પાસેથી વીજ બીલની લાખોની રકમ બાકી હોવાથી 24 કલાકમાં બાકી રકમ ભરપાઈ કરવા તાલાલા વીજ કચેરીએ તાકીદની નોટિસ આપી હતી. જેને લઇને તાલાલા નગરપાલિકાના વીજ બીલના બાકી રકમમાં સ્ટ્રીટ લાઇટના 48 લાખ 27 હજાર તથા પાણી પુરવઠાના 11 કરોડ 20 લાખની કુલ બાકી રકમ પેટે તાકીદે રૂપિયા 5 લાખ ભરપાઇ કરી દીધા હતા. જ્યારે ગલીયાવડ ગ્રામ પંચાયતે રૂપિયા 34,984 તથા માલજીજંવા ગ્રામ પંચાયતે રૂપિયા 24,827 ચુકતે રકમ ભરપાઇ કરી દીધી હતી.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

સમય સુચકતા ન દાખવતા સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નંખાયા

આ ઉપરાંત બાકી રહેતી ઘુસીયા ગીર રૂપિયા 22 લાખ 36 હજાર, ઘ્રામણવા રૂપિયા 1 લાખ, સાંગોદ્રા રૂપિયા 1 લાખ 30 હજાર, રમળેચી ગીર રૂપિયા 1 લાખ 77 હજાર ચિત્રાવડ ગીર રૂપિયા 58,642, હરીપુર ગીર રૂપિયા 83,717 અને ચિત્રોડ ગીર રૂપિયા 48,895 સહિત સાત ગ્રામ પંચાયતોએ વીજળી બીલની બાકી રકમ ભરપાઇ કરવા અંગે સમય સુચકતા ન દાખવી હોવાથી સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યાં હોવાનું નાયબ ઇજનેર ધવલસિંહ પરમારે જણાવ્યું છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

આ પણ વાંચો : હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા

આખરે વીજ વિભાગની કડક કાર્યવાહી

વીજ વિભાગે વીજ બીલની લાખોની બાકી રકમોની ઉઘરાણી અંગે તાકીદ કરી હોવા છતાં ગ્રામ પંચાયતોએ રકમ ભરપાઇ કરવા અંગે રસ ન દાખવતા વીજ વિભાગે કડક વલણ અપાનવીને સાતેય ગામની સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાંખતા સાંજથી લઇ વહેલી સવાર સુધી સાતેય ગામોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

જવાબદાર સંસ્થાઓની લાપરવાહી

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયતોમાં સંચાલન અંગે સરકારમાંથી ગ્રાન્ટ દ્વારા તેમજ ટેક્સની આવકમાંથી નિયમન કરવાનું હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક જવાબદાર સત્તાધીશોની બેદરકારીને કારણે અને અણધડ આયોજનના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે અને ગ્રામજનોએ અંધારપટ સહન કરવાનો વારો આવ્‍યો હતો.

આ પણ વાંચો : ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ

  • તાલાલા ગીરના સાત ગામોમાં અંધારપટ છવાયો
  • સાત ગ્રામ પંચાયતોએ વીજ બીલ ન ભરતા કનેક્શન કપાયા
  • ત્રણ ગામો વીજ બીલની કામ બાકી રકમ ચુકતે કરી દેતા અંધારપટ થતા બચી ગયા

ગીર સોમનાથ: તાલાલા નગરપાલિકા સહિત તાલુકાની નવ ગ્રામ પંચાયતો પાસેથી વીજ બીલની લાખોની રકમ બાકી હોવાથી 24 કલાકમાં બાકી રકમ ભરપાઈ કરવા તાલાલા વીજ કચેરીએ તાકીદની નોટિસ આપી હતી. જેને લઇને તાલાલા નગરપાલિકાના વીજ બીલના બાકી રકમમાં સ્ટ્રીટ લાઇટના 48 લાખ 27 હજાર તથા પાણી પુરવઠાના 11 કરોડ 20 લાખની કુલ બાકી રકમ પેટે તાકીદે રૂપિયા 5 લાખ ભરપાઇ કરી દીધા હતા. જ્યારે ગલીયાવડ ગ્રામ પંચાયતે રૂપિયા 34,984 તથા માલજીજંવા ગ્રામ પંચાયતે રૂપિયા 24,827 ચુકતે રકમ ભરપાઇ કરી દીધી હતી.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

સમય સુચકતા ન દાખવતા સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નંખાયા

આ ઉપરાંત બાકી રહેતી ઘુસીયા ગીર રૂપિયા 22 લાખ 36 હજાર, ઘ્રામણવા રૂપિયા 1 લાખ, સાંગોદ્રા રૂપિયા 1 લાખ 30 હજાર, રમળેચી ગીર રૂપિયા 1 લાખ 77 હજાર ચિત્રાવડ ગીર રૂપિયા 58,642, હરીપુર ગીર રૂપિયા 83,717 અને ચિત્રોડ ગીર રૂપિયા 48,895 સહિત સાત ગ્રામ પંચાયતોએ વીજળી બીલની બાકી રકમ ભરપાઇ કરવા અંગે સમય સુચકતા ન દાખવી હોવાથી સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યાં હોવાનું નાયબ ઇજનેર ધવલસિંહ પરમારે જણાવ્યું છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

આ પણ વાંચો : હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા

આખરે વીજ વિભાગની કડક કાર્યવાહી

વીજ વિભાગે વીજ બીલની લાખોની બાકી રકમોની ઉઘરાણી અંગે તાકીદ કરી હોવા છતાં ગ્રામ પંચાયતોએ રકમ ભરપાઇ કરવા અંગે રસ ન દાખવતા વીજ વિભાગે કડક વલણ અપાનવીને સાતેય ગામની સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાંખતા સાંજથી લઇ વહેલી સવાર સુધી સાતેય ગામોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

જવાબદાર સંસ્થાઓની લાપરવાહી

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયતોમાં સંચાલન અંગે સરકારમાંથી ગ્રાન્ટ દ્વારા તેમજ ટેક્સની આવકમાંથી નિયમન કરવાનું હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક જવાબદાર સત્તાધીશોની બેદરકારીને કારણે અને અણધડ આયોજનના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે અને ગ્રામજનોએ અંધારપટ સહન કરવાનો વારો આવ્‍યો હતો.

આ પણ વાંચો : ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.