ETV Bharat / state

ગાંધીનગર: ભાજપના ટ્વીટર વોર બાબતે વિજય નહેરાએ સીએમ રૂપાણીને ફરિયાદ કરી? - Former Municipal Commissioner of Ahmedabad Vijay Nehra

અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અમદાવાદમાં બાજી સંભાળી રહ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ જતા અને રાજકીય રીતે તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભાજપ પક્ષ દ્વારા ટ્વીટરના માધ્યમથી વિજય નહેરાને ટાર્ગેટ બનાવતા મંગળવારે વિજય નહેરાએ સીએમ રૂપાણીએ રૂબરૂ મળીને ફરિયાદ કરી હોવાનું સામે આવ્યુ છે.

etv bharat
ગાંધીનગર : ભાજપના ટ્વીટર વોર બાબતે વિજય નહેરાએ સીએમ રૂપાણીને ફરિયાદ કરી ??
author img

By

Published : May 26, 2020, 5:34 PM IST

ગાંધીનગર: સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે વિજય નેહરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સાથે પોતાના વિરુદ્ધ લડાઇ લડીને અમદાવાદીઓને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.આ પ્રયત્નોમાં વિજય નેહરા અમદાવાદીઓ માટે એક ખાસ વ્યક્તિ બની ગયા હતા.જેમાં સરકાર કરતાં વિજય નેહરાનું નામ વધુ થતાં સરકારે તેઓને તેમના પદ પરથી દૂર થવા માટેની સૂચના આપી હતી.ત્યારબાદ હવે સરકાર અમદાવાદમાં ટોળાનો આતંક કાબુમાંના કરી શકવાના કારણે સરકારને બચાવવા માટે ભાજપ પક્ષના આઈટી સેલ દ્વારા પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને ટાર્ગેટ બનાવીને તેમને ટ્વિટર ઉપર ટ્રોલ કરી રહ્યા હતા.તેથી મંગળવારે ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નહેરાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપનું આઈટી સેલ વિજય નહેરાની વિરૂદ્ધમાં સક્રિય થયું હોવાની ફરિયાદ વિજય નહેરાએ કરી હતી. આ ફરિયાદી બેઠક 10થી 20 મિનિટ સુધી સીએમ અને વિજય નહેરા વચ્ચે થઈ હતી. ઉલ્લેખનીય છે કે વિજય નહેરાના સમર્થકો અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે ટવીટર વોર શરૂ થયું હતું.

ગાંધીનગર: સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે વિજય નેહરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સાથે પોતાના વિરુદ્ધ લડાઇ લડીને અમદાવાદીઓને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.આ પ્રયત્નોમાં વિજય નેહરા અમદાવાદીઓ માટે એક ખાસ વ્યક્તિ બની ગયા હતા.જેમાં સરકાર કરતાં વિજય નેહરાનું નામ વધુ થતાં સરકારે તેઓને તેમના પદ પરથી દૂર થવા માટેની સૂચના આપી હતી.ત્યારબાદ હવે સરકાર અમદાવાદમાં ટોળાનો આતંક કાબુમાંના કરી શકવાના કારણે સરકારને બચાવવા માટે ભાજપ પક્ષના આઈટી સેલ દ્વારા પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને ટાર્ગેટ બનાવીને તેમને ટ્વિટર ઉપર ટ્રોલ કરી રહ્યા હતા.તેથી મંગળવારે ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નહેરાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપનું આઈટી સેલ વિજય નહેરાની વિરૂદ્ધમાં સક્રિય થયું હોવાની ફરિયાદ વિજય નહેરાએ કરી હતી. આ ફરિયાદી બેઠક 10થી 20 મિનિટ સુધી સીએમ અને વિજય નહેરા વચ્ચે થઈ હતી. ઉલ્લેખનીય છે કે વિજય નહેરાના સમર્થકો અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે ટવીટર વોર શરૂ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.