ETV Bharat / state

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા ભરતી કાંડ મુદ્દે બરખાસ્ત - ગાંધીનગર મ્યુનિસિપાલ્ટી ન્યૂઝ

ગાંધીનગર: શહેરની મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વના તમામ એજન્ડાને સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યા હતા. જે બાદ લોકપ્રશ્નની ચર્ચામાં પાણીની અશુદ્ધતા, દબાણ અને ભરતીમાં થયેલા ગોટાળાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. જેને લઈ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ભરતી પ્રશ્ન ચર્ચાતા માહોલ ગરમાયો
author img

By

Published : Nov 20, 2019, 5:55 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં શાસક અને વિપક્ષ દ્વારા લોકપ્રશ્નોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા, પીવા લાયક પાણી અને ભરતીના મુદ્દાને મહત્વની ચર્ચા કરાઈ હતી. તે દરમિયાન ભરતીના મુદ્દાને લઈને સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સભાને રદ્દ કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ભરતી પ્રશ્ન ચર્ચાતા માહોલ ગરમાયો
  • સભામાં કોર્પોરેટરે રજૂ કરેલાં લોકપ્રશ્નોની ટૂંકી જાણકારી

કોંગી કોર્પોરેટર હસમુખ મકવાણાએ સામાન્ય સભામાં ગાંધીનગરની જનતાની સુખાકારી માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શાસક પક્ષને કહ્યું કે, ગટર અને પાણીની સમસ્યાને ઝડપથી દૂર કરવી જોઈએ. રાજ્ય સરકાર જો તમારી સાંભળતી ના હોય તો દિલ્હી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છીએ. દિલ્હી સરકારમાં સ્વખર્ચે જવા તૈયાર છીએ. ગાંધીનગરની જનતાને સુખાકારી માટે તૈયાર ના હોય તો આપણે પાલિકાને તાળા મારી દેવા જોઈએ.

વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્માર્ટ સિટીની વાતો કરતા મહાપાલિકાના સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પીવાના પાણી માટે સ્માર્ટ વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ વોટર ATM હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. એક પણ એટીએમ કાર્યરત નથી. વારંવાર દબાણની ટીમ લઇને હપ્તા ઉઘરાવવા પહોંચી જતાં હતા.

ગાંધીનગરનું પાણી પીવા લાયક નથી તેવા રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, "અગાઉ જ્યારે ડહોળું પાણી આવતું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકોની ચિંતા કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, ગાંધીનગરનું પાણી પીવાલાયક જ છે. આ સવાલ ફરીથી ઉઠતાં મેયરે મૌન સેવી લીધું હતું. ખાનગી રહેણાંક વિસ્તારમાં અને ધારાસભ્યોના બંગલાઓમાં હૉસ્ટેલો ચલાવવામાં આવી રહી છે. ત્યાં દબાણ દૂર કરવામાં આવતું નથી. પરંતુ નાના ઝુંપડાને દૂર કરવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષે આકરા તેવર બતાવ્યા હતા."

કોંગી કોર્પોરેટર અંકિત બારોટે સભામાં ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે ભરતીના મુદ્દાને લઈ વિપક્ષ સ્ટેન્ડિંગ કમિટી અને મેયરના જવાબો અલગ અલગ હતાં. જેના કારણે સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સામાન્ય સભાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે અધિકારીઓને જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને દબાણની ટીમ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને પેટીયુ રળતા લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જો ફૂટપાથ ઉપર લારી મૂકવી એક દબાણ ગણવામાં આવે છે, તો મહાપાલિકા દ્વારા વોટર ATM મૂકવામાં આવે તે પણ દબાણ જ છે તેણે પણ કેવી રીતે મૂકી શકાય ? જેવા પ્રશ્નની ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત કોંગી કોર્પોરેટર રાકેશ પટેલ કમિશ્નર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે કે, કમિશ્નર કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં લેતા નથી. સત્તાધીશો વહાલા-દવલાની નીતિ આપનાવવામાં આવી રહી છે. તેમજ હજુ સુધી સેક્ટર 6માં ડસ્ટબિન આપવામાં આવ્યા નથી.

આમ, ગાંધીનગરની સામાન્ય સભામાં લોકપ્રશ્નને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કમિશ્નરની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉઠ્યાં હતા. તો સભામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન રહેતાં કોર્પોરેટરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં શાસક અને વિપક્ષ દ્વારા લોકપ્રશ્નોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા, પીવા લાયક પાણી અને ભરતીના મુદ્દાને મહત્વની ચર્ચા કરાઈ હતી. તે દરમિયાન ભરતીના મુદ્દાને લઈને સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સભાને રદ્દ કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ભરતી પ્રશ્ન ચર્ચાતા માહોલ ગરમાયો
  • સભામાં કોર્પોરેટરે રજૂ કરેલાં લોકપ્રશ્નોની ટૂંકી જાણકારી

કોંગી કોર્પોરેટર હસમુખ મકવાણાએ સામાન્ય સભામાં ગાંધીનગરની જનતાની સુખાકારી માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શાસક પક્ષને કહ્યું કે, ગટર અને પાણીની સમસ્યાને ઝડપથી દૂર કરવી જોઈએ. રાજ્ય સરકાર જો તમારી સાંભળતી ના હોય તો દિલ્હી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છીએ. દિલ્હી સરકારમાં સ્વખર્ચે જવા તૈયાર છીએ. ગાંધીનગરની જનતાને સુખાકારી માટે તૈયાર ના હોય તો આપણે પાલિકાને તાળા મારી દેવા જોઈએ.

વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્માર્ટ સિટીની વાતો કરતા મહાપાલિકાના સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પીવાના પાણી માટે સ્માર્ટ વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ વોટર ATM હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. એક પણ એટીએમ કાર્યરત નથી. વારંવાર દબાણની ટીમ લઇને હપ્તા ઉઘરાવવા પહોંચી જતાં હતા.

ગાંધીનગરનું પાણી પીવા લાયક નથી તેવા રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, "અગાઉ જ્યારે ડહોળું પાણી આવતું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકોની ચિંતા કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, ગાંધીનગરનું પાણી પીવાલાયક જ છે. આ સવાલ ફરીથી ઉઠતાં મેયરે મૌન સેવી લીધું હતું. ખાનગી રહેણાંક વિસ્તારમાં અને ધારાસભ્યોના બંગલાઓમાં હૉસ્ટેલો ચલાવવામાં આવી રહી છે. ત્યાં દબાણ દૂર કરવામાં આવતું નથી. પરંતુ નાના ઝુંપડાને દૂર કરવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષે આકરા તેવર બતાવ્યા હતા."

કોંગી કોર્પોરેટર અંકિત બારોટે સભામાં ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે ભરતીના મુદ્દાને લઈ વિપક્ષ સ્ટેન્ડિંગ કમિટી અને મેયરના જવાબો અલગ અલગ હતાં. જેના કારણે સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સામાન્ય સભાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે અધિકારીઓને જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને દબાણની ટીમ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને પેટીયુ રળતા લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જો ફૂટપાથ ઉપર લારી મૂકવી એક દબાણ ગણવામાં આવે છે, તો મહાપાલિકા દ્વારા વોટર ATM મૂકવામાં આવે તે પણ દબાણ જ છે તેણે પણ કેવી રીતે મૂકી શકાય ? જેવા પ્રશ્નની ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત કોંગી કોર્પોરેટર રાકેશ પટેલ કમિશ્નર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે કે, કમિશ્નર કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં લેતા નથી. સત્તાધીશો વહાલા-દવલાની નીતિ આપનાવવામાં આવી રહી છે. તેમજ હજુ સુધી સેક્ટર 6માં ડસ્ટબિન આપવામાં આવ્યા નથી.

આમ, ગાંધીનગરની સામાન્ય સભામાં લોકપ્રશ્નને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કમિશ્નરની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉઠ્યાં હતા. તો સભામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન રહેતાં કોર્પોરેટરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Intro:ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં અગાઉના તમામ એજન્ડાને સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદની ચર્ચામાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ગરમા ગરમી જોવા મળી હતી. હાલમાં જ આવેલા રિપોર્ટ પ્રમાણે ગાંધીનગરનું પાણી પીવા લાયક નથી. ત્યારે ગાંધીનગરની જનતાને શુદ્ધ પીવાલાયક પાણી ક્યારે પૂરું પાડવામાં આવશે, તેને લઈને વિપક્ષ દ્વારા મેયરને ઘેરાવ આમાં આવ્યા હતા. જ્યારે દબાણ અને પાલિકામાં કરવામાં આવનાર ભરતી ગોટાળાને લઇને વિપક્ષે શાસકને ધેર્યો હતો. પરંતુ ભરતી નો પ્રશ્ન આવતાની સાથે જ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. સભામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાણે અગાઉથી વિપક્ષના તેવર જાણી ગયા હોય તેમ ગેરહાજર રહ્યા હતા.Body:કોંગી કોર્પોરેટર હસમુખ મકવાણાએ સામાન્ય સભામાં ગાંધીનગરની જનતાની સુખાકારી માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શાસક પક્ષને કહ્યું કે, ગટર અને પાણીની સમસ્યાને ઝડપથી દૂર કરવી જોઈએ. રાજ્ય સરકાર જો તમારી સાંભળતી ના હોય તો દિલ્હી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છીએ. દિલ્હી સરકારમા સ્વખર્ચે જવા તૈયાર છીએ. ગાંધીનગરની જનતાને સુખાકારી માટે તૈયાર ના હોય તો આપણે પાલિકાને તાળા મારી દેવા પણ તૈયાર છીએ.Conclusion:વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્માર્ટ સિટીની વાતો કરતા મહાપાલિકાના સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પીવાના પાણી માટે સ્માર્ટ વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ વોટર એટીએમ હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે, એક પણ એટીએમ કાર્યરત નથી. વારંવાર દબાણની ટીમ લઇને હપ્તા ઉઘરાવવા પહોંચી જતા અધિકારીઓને લઈને કહ્યું કે, સામાન્ય લોકોને દબાણની ટીમ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને પેટીયુ રળતા લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જો ફૂટપાથ ઉપર લારી મૂકવી એક દબાણ ગણવામાં આવે છે, તો મહાપાલિકા દ્વારા વોટર એટીએમ મૂકવામાં આવે તે પણ દબાણ જ છે તેણે પણ કેવી રીતે મૂકી શકાય ?

ગાંધીનગર નું પાણી પીવા લાયક નથી તેવા રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષી નેતાએ કહ્યું કે અગાઉ જ્યારે ડહોળું પાણી આવતું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકોની ચિંતા કરવામાં આવી હતી પરંતુ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, ગાંધીનગરનું પાણી પીવાલાયક જ છે. આ સવાલ ફરીથી ઉઠતા મેયરે મૌન સેવી લીધું હતું. ખાનગી રહેણાક વિસ્તારમાં અને ધારાસભ્યોના બંગલાઓમાં હોસ્ટેલો ચલાવવામાં આવી રહી છે. ત્યાં દબાણ દૂર કરવામાં આવતું નથી. પરંતુ નાના ઝુંપડાને દૂર કરવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષે આકરા તેવર બતાવ્યા હતા.

કોંગી કોર્પોરેટર રાકેશ પટેલ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી રજુઆતોને કમિશનર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી. તેમના પત્રોનો જવાબ પણ આપવામાં આવતો નથી. આ બાબતે કમિશનરે જવાબ આપ્યો હતો કે, આપની રજુઆતોને સાંભળવામાં આવશે. કોર્પોરેટરની રજૂઆતોના જવાબ આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. હજુ સુધી સેક્ટર 6માં ડસ્ટબિન આપવામાં આવ્યા નથી, એવો પણ આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગી કોર્પોરેટર અંકિત બારોટ ભરતીને લઈને સવાલ ઉઠાવતા મેયરે તાત્કાલિક સભાને બરખાસ્ત કરી દીધી હતી. બીજી તરફ ભારતીના મુદ્દાને લઇને વિપક્ષ સ્ટેન્ડીંગ કમિટી અને મેયરના જવાબો જુદા જુદા જોવા મળ્યા હતા.

બાઈટ
રીટાબેન પટેલ મેયર ગાંધીનગર
શૈલેન્દ્રસિંહ બિહોલા વિપક્ષ નેતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.