ETV Bharat / state

શ્વેતા બ્રહ્મભટ્ટના ભાજપ પ્રવેશ બાદની ETV Bharat સાથેની એક્સક્લૂસિવ મુલાકાત નિહાળો

author img

By

Published : Jun 2, 2022, 5:24 PM IST

Updated : Jun 2, 2022, 6:16 PM IST

શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને 2 જૂનના રોજ ભાજપમાં( Shweta Brahmbhatt To Join BJP)જોડાયા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવનમાં વડાપ્રધાન મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. ETV Bharat તે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે ખાસ વાત કરી.

હું વર્તમાનમાં જીવું છું, ઈશ્વર કરે તે સાચું : શ્વેતા બ્રહ્મભટ્ટ
હું વર્તમાનમાં જીવું છું, ઈશ્વર કરે તે સાચું : શ્વેતા બ્રહ્મભટ્ટ

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી 2017માં મણિનગર વિધાનસભા બેઠક (Maninagar assembly seat)પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે ( Shweta Brahmbhatt To Join BJP)પોતાના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam)ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત્ રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

ભાજપ

શું કહ્યું શ્વેતા બ્રહ્મભટ્ટે ? - શ્વેતા બ્રહ્મભટ્ટે (Shweta Brahmbhatt)ભાજપમાં જોડાતા સમયે કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા તેમણે એક ઉદેશ્ય સાથે રાજનીતિ શરૂ કરી હતી. પરંતુ કોંગ્રેસમાં તેનો ઉદેશ પૂરો થયો નથી. જીવનમાં જે પણ અવરોધ આવે છે ઈશ્વર તેમાં નવો રસ્તો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમને પહેલાથી માન છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ સતત સક્રિય હોય છે. હું અહીં કાર્ય કરવા આવી છું, કોઈ સ્વાર્થ ખાતર આવી નથી. મને કોઇ કમિટમેન્ટ આપવામાં આવી નથી. પરંતુ ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. મારું વિઝન ક્લિયર છે. કોંગ્રેસની બોટનો કોઈ કપ્તાન નથી. ત્યાં કોઈ સાંભળનાર નથી. કોંગ્રેસનો કોઈ ગોલ નથી. ETV Bharat સાથે શ્વેતા બ્રહ્મભટ્ટની વાત.

મુલાકાત
મુલાકાત

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો

1.કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનું કારણ ? - આનો જવાબ એક લાઈનમાં હોઈ ના શકે. ભાજપ એક પરિવાર છે. હું જે વિઝન લઈને આવી હતી. તે કોંગ્રેસમાં પુરા ના થઇ શક્યા. મારા હિતકર્તા નેતાઓએ મને આ પ્રસંગે શુભકામનાઓ પણ આપી છે. હું એજ્યુકેટેડ વ્યક્તિ છુ. મારૂ વિઝન પુરૂ કરવા રાજકીય પાર્ટી જરૂરી છે. મહિલાઓ સંસદ, વિધાનસભા અને રાજકીય ક્ષેત્રે આગળ આવે એ જરૂરી છે.

2. આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે શું વાત કરી ? - હું એ આપને જણાવી નહીં શકુ. તેઓ એક ગ્રેટ પર્સનાલીટી છે. હું એક સામાન્ય વ્યક્તિ હોવા છત્તા મારી સાથે પુરા ધ્યાન સાથે વાત કરી હતી.

આ પણ વાંચોઃ રાષ્ટ્ર અને રાજ્યનું હિત માત્ર એક જ પાર્ટી કરી શકશે તે છે ભાજપઃ હાર્દિક પટેલ

3. ભાજપમાં જોડાયા બાદ તમારું વિઝન શું છે ? - મારે જે કાર્ય કરવાનું છે. તે હું આ પાર્ટીમાં રહીને કરીશ. અહીં મને સ્પેસ મળશે. મારા એજ્યુકેશનનો ઉપયોગ થશે. આ ઉપરાંત પાર્ટીનું કાર્ય પણ કરવાનું છે. તેનું પણ એક વિઝન હોય છે. તે પણ પૂરું કરવાનું છે.

4. પાર્ટીમાં જોડાયા બાદ તમને કોઈ અપેક્ષા ? - હું આ ક્ષણમાં જીવું છુ. આ મારી વિચારસરણી છે. મારી ઈચ્છા વધારેમાં વધારે લોકો સુધી પહોંચાય તેવી છે. બાકી ઈશ્વર કરે તે જ સત્ય.

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી 2017માં મણિનગર વિધાનસભા બેઠક (Maninagar assembly seat)પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે ( Shweta Brahmbhatt To Join BJP)પોતાના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam)ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત્ રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

ભાજપ

શું કહ્યું શ્વેતા બ્રહ્મભટ્ટે ? - શ્વેતા બ્રહ્મભટ્ટે (Shweta Brahmbhatt)ભાજપમાં જોડાતા સમયે કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા તેમણે એક ઉદેશ્ય સાથે રાજનીતિ શરૂ કરી હતી. પરંતુ કોંગ્રેસમાં તેનો ઉદેશ પૂરો થયો નથી. જીવનમાં જે પણ અવરોધ આવે છે ઈશ્વર તેમાં નવો રસ્તો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમને પહેલાથી માન છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ સતત સક્રિય હોય છે. હું અહીં કાર્ય કરવા આવી છું, કોઈ સ્વાર્થ ખાતર આવી નથી. મને કોઇ કમિટમેન્ટ આપવામાં આવી નથી. પરંતુ ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. મારું વિઝન ક્લિયર છે. કોંગ્રેસની બોટનો કોઈ કપ્તાન નથી. ત્યાં કોઈ સાંભળનાર નથી. કોંગ્રેસનો કોઈ ગોલ નથી. ETV Bharat સાથે શ્વેતા બ્રહ્મભટ્ટની વાત.

મુલાકાત
મુલાકાત

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો

1.કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનું કારણ ? - આનો જવાબ એક લાઈનમાં હોઈ ના શકે. ભાજપ એક પરિવાર છે. હું જે વિઝન લઈને આવી હતી. તે કોંગ્રેસમાં પુરા ના થઇ શક્યા. મારા હિતકર્તા નેતાઓએ મને આ પ્રસંગે શુભકામનાઓ પણ આપી છે. હું એજ્યુકેટેડ વ્યક્તિ છુ. મારૂ વિઝન પુરૂ કરવા રાજકીય પાર્ટી જરૂરી છે. મહિલાઓ સંસદ, વિધાનસભા અને રાજકીય ક્ષેત્રે આગળ આવે એ જરૂરી છે.

2. આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે શું વાત કરી ? - હું એ આપને જણાવી નહીં શકુ. તેઓ એક ગ્રેટ પર્સનાલીટી છે. હું એક સામાન્ય વ્યક્તિ હોવા છત્તા મારી સાથે પુરા ધ્યાન સાથે વાત કરી હતી.

આ પણ વાંચોઃ રાષ્ટ્ર અને રાજ્યનું હિત માત્ર એક જ પાર્ટી કરી શકશે તે છે ભાજપઃ હાર્દિક પટેલ

3. ભાજપમાં જોડાયા બાદ તમારું વિઝન શું છે ? - મારે જે કાર્ય કરવાનું છે. તે હું આ પાર્ટીમાં રહીને કરીશ. અહીં મને સ્પેસ મળશે. મારા એજ્યુકેશનનો ઉપયોગ થશે. આ ઉપરાંત પાર્ટીનું કાર્ય પણ કરવાનું છે. તેનું પણ એક વિઝન હોય છે. તે પણ પૂરું કરવાનું છે.

4. પાર્ટીમાં જોડાયા બાદ તમને કોઈ અપેક્ષા ? - હું આ ક્ષણમાં જીવું છુ. આ મારી વિચારસરણી છે. મારી ઈચ્છા વધારેમાં વધારે લોકો સુધી પહોંચાય તેવી છે. બાકી ઈશ્વર કરે તે જ સત્ય.

Last Updated : Jun 2, 2022, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.