ETV Bharat / state

ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન નહીં કરનારા 67 કારખાનાઓને શોકોઝ નોટિસ ફટકારાઈ

ગાંધીનગર: સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગમાં પણ ફાયર સેફ્ટીને લઇને એકાએક તપાસ આરંભી દેવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાની સૂચનાથી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન ન કરતાં જિલ્લાના 67 કારખાનાઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Jul 2, 2019, 2:51 AM IST

ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન નહીં કરનાર 67 કારખાનાઓને શોકોઝ નોટિસ ફટકારાઈ

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામકના જણાવ્યાં અનુસાર, ગાંધીનગર કારખાના અધિનિયમ-1948 હેઠળ ગુજરાત કારખાનાના નિયમો-1963 અન્વયે ફાયર સેફ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈને તપાસ ઝુંબેશ જુન-2019 માસ દરમિયાન યોજાઈ હતી. જેમાં જિલ્લાના 100થી વધુ કારખાનાઓની તપાસ કરવામા આવી હતી. આ કાયદા હેઠળ 67 કારખાનાના કબ્જેદારોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

લોકો મંજૂરી આપનાર તંત્ર સામે રોષ દર્શાવી રહ્યા હતા. ત્યારે ગાંધીનગરમાં ફાયર સેફ્ટીનો પાલન નહીં કરનાર 67 કારખાનાના માલિકને નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસની સાથે પ્રશ્ન એ થાય છે કે, સુરતની ઘટનાને એક મહિના કરતાં વધુ સમય થયો છે, ત્યારે માત્ર નોટિસ કેમ ફટકારવામાં આવે છે? સીધી કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. પાટનગરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓમાં પણ તેના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ફાયરના અધિકારીઓ તે દિશામાં પણ નજર ફેરવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામકના જણાવ્યાં અનુસાર, ગાંધીનગર કારખાના અધિનિયમ-1948 હેઠળ ગુજરાત કારખાનાના નિયમો-1963 અન્વયે ફાયર સેફ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈને તપાસ ઝુંબેશ જુન-2019 માસ દરમિયાન યોજાઈ હતી. જેમાં જિલ્લાના 100થી વધુ કારખાનાઓની તપાસ કરવામા આવી હતી. આ કાયદા હેઠળ 67 કારખાનાના કબ્જેદારોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

લોકો મંજૂરી આપનાર તંત્ર સામે રોષ દર્શાવી રહ્યા હતા. ત્યારે ગાંધીનગરમાં ફાયર સેફ્ટીનો પાલન નહીં કરનાર 67 કારખાનાના માલિકને નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસની સાથે પ્રશ્ન એ થાય છે કે, સુરતની ઘટનાને એક મહિના કરતાં વધુ સમય થયો છે, ત્યારે માત્ર નોટિસ કેમ ફટકારવામાં આવે છે? સીધી કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. પાટનગરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓમાં પણ તેના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ફાયરના અધિકારીઓ તે દિશામાં પણ નજર ફેરવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

Intro:હેડીંગ)ફાયર સેફટીની જોગવાઇનું પાલન નહી કરનાર જિલ્લાના 67 કારખાનાઓને શોકોઝ નોટિસ

ગાંધીનગર, પ્રતીકાત્મક તસવીર મૂકવી

સુરત ખાતે બનેલી ઘટનાના નિર્દોષ ભુલકાઓ હોમાઇ ગયા બાદ સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગમાં પણ ફાયર સેફટીને લઇને એકાએક તપાસ આરંભી દેવામાં આવી હતી શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓને પણ ફાયર સેફટી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાની સૂચનાથી ઔધોગિક સલામતી અને સ્વાસ્થય, ગાંધીનગરની કચેરી દ્વારા ફાયર સેફટીની જોગવાઇનું પાલન ન કરતાં જિલ્લાના 67 કારખાનાઓને શો કોઝ નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. Body:ઔધોગિક સલામતી અને સ્વાસ્થયના નાયબ નિયામકએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના કારખાના અધિનિયમ- 1948 હેઠળ નોંધાયેલ વિવિધ કારખાનાઓમાં પણ ગુજરાત કારખાનાના નિયમો-1963 અન્વયે ફાયરસેફટીની જોગવાઇઓના પાલન અંગે તપાસ ઝુંબેશ જુન- 2019 માસ દરમ્યાન યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન જિલ્લાના 100 થી વધુ કારખાનાઓની તપાસ કરવામાં આવી હતી. કાયદાની વિવિધ ફાયરસેફટીની જોગવાઇઓનું યોગ્ય પાલન ના થયેલ હોય તેવા 67 કારખાનાના કબ્જેદારોને કાયદા હેઠળ શો કોઝ નોટિસ આપવામાં આવી છે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. આ ઝુંબેશ આગામી સમયગાળા દરમ્યાન પણ ચાલું રાખવામાં આવશે.Conclusion:રાજ્યના સુરતમાં ટ્યુશન ક્લાસીસ માં લાગેલી આગે લોકોના હૃદય કંપાવી નાખ્યા હતા ફાયર સેફટી ઉલ્લંઘન કરીને રૂપિયા રડતા ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે નાગરિકોનો પુરુષ ફાટી નીકળ્યો હતો. પરમિશન આપનાર તંત્ર સામે પણ લોકરોષ બતાવી રહ્યા હતા. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફાયર સેફટી નો પાલન નહીં કરનાર 67 કારખાનાના માલિકને શું નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસની સાથે સવાલ એ થાય છે કે સુરતની ઘટના ને એક મહિના કરતાં વધુ સમય થયો છે, ત્યારે માત્ર નોટિસ કેમ ફટકારવામાં આવી ?. સીધી કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. પાટનગરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓમાં પણ તેના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ફાયરના અધિકારીઓ તે દિશામાં પણ નજર ફેરવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.