ETV Bharat / state

વાયુ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ, મુખ્યપ્રધાનનો જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ

ગાંધીનગરઃ રાજ્યના દરિયા પટ્ટીના 10 જિલ્લામાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર સતર્ક થઈ ગયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર વાયુ વાવાઝોડને લઈને રાજ્યમાં ઓછી જાનહાની થાય તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. આ માટે મુખ્યપ્રધાને જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ કર્યો હતો.

author img

By

Published : Jun 12, 2019, 3:45 PM IST

GDR

વાયુ વાવાઝોડાને પગલે ઓછી જાનહાની થાય તે માટે તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે સ્થળો વધારે સંવેદનશીલ છે ત્યાંથી નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે.

વાયુ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ, મુખ્યપ્રધાનનો જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 10 જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠાના વાયુ વાવાઝોડાની ઝપટે ચડી શકે તેવી શક્યતાઓ છે. આજે રાત્રે 10 કલાકે 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ત્રાટકશે.

આ માટે સતર્કતા અને ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ પંકજકુમારે ઉચ્ચ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ. જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાને સીધી વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલા લોકોને ખસેડવામાં આવ્યા કેટલી ટીમો કાર્યરત છે. સ્થાનિક સંસ્થાઓની મદદ મેળવવા સહિતની સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈને જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા વાયુ વાવાઝોડું 900 કિલોમીટર દૂર હતું. જ્યારે હાલમાં 340 કિલો મીટર દરિયામાં વાવાઝોડુ દૂર છે. જે આજે રાત્રે ગુજરાતના વિસ્તારો ઉપર ત્રાટકી શકે છે. ત્યારે આ વિસ્તારની જનતાને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી.

વાયુ વાવાઝોડાની ગુજરાતમાં સૌથી ઓછી અસર થાય તે માટે હાલમાં બસ સેવા રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. પોર્ટ ઉપર યાતા યાત સુવિધા બંધ કરવામાં આવી છે. હવાઈ મથકો અને ધાર્મિક સ્થળોની યાત્રા બસો પણ બંધ કરવામાં આવી છે. કાચા અને પાકા મકાનોમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. દરિયામાં મોજા 10 ફૂટ કરતાં પણ વધારે ઊંચાં ઉછળી શકે છે. જ્યારે ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરિણામે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. 10 જિલ્લામાં અત્યાર સુધી સવા લાખ કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે 4 વાગ્યા પહેલા 3 લાખ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. 40 કરતાં વધુ એનડીઆરએફની ટીમો કામગીરી કરી રહી છે.

વાયુ વાવાઝોડાને પગલે ઓછી જાનહાની થાય તે માટે તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે સ્થળો વધારે સંવેદનશીલ છે ત્યાંથી નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે.

વાયુ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ, મુખ્યપ્રધાનનો જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 10 જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠાના વાયુ વાવાઝોડાની ઝપટે ચડી શકે તેવી શક્યતાઓ છે. આજે રાત્રે 10 કલાકે 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ત્રાટકશે.

આ માટે સતર્કતા અને ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ પંકજકુમારે ઉચ્ચ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ. જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાને સીધી વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલા લોકોને ખસેડવામાં આવ્યા કેટલી ટીમો કાર્યરત છે. સ્થાનિક સંસ્થાઓની મદદ મેળવવા સહિતની સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈને જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા વાયુ વાવાઝોડું 900 કિલોમીટર દૂર હતું. જ્યારે હાલમાં 340 કિલો મીટર દરિયામાં વાવાઝોડુ દૂર છે. જે આજે રાત્રે ગુજરાતના વિસ્તારો ઉપર ત્રાટકી શકે છે. ત્યારે આ વિસ્તારની જનતાને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી.

વાયુ વાવાઝોડાની ગુજરાતમાં સૌથી ઓછી અસર થાય તે માટે હાલમાં બસ સેવા રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. પોર્ટ ઉપર યાતા યાત સુવિધા બંધ કરવામાં આવી છે. હવાઈ મથકો અને ધાર્મિક સ્થળોની યાત્રા બસો પણ બંધ કરવામાં આવી છે. કાચા અને પાકા મકાનોમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. દરિયામાં મોજા 10 ફૂટ કરતાં પણ વધારે ઊંચાં ઉછળી શકે છે. જ્યારે ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરિણામે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. 10 જિલ્લામાં અત્યાર સુધી સવા લાખ કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે 4 વાગ્યા પહેલા 3 લાખ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. 40 કરતાં વધુ એનડીઆરએફની ટીમો કામગીરી કરી રહી છે.

Intro:હેડિંગ) વાયુ વાવાઝોડું 10 જિલ્લાને અસર કરશે, આજે રાત્રે 150 કી.મી.ની ઝડપે ત્રાટકશે

ગાંધીનગર,

રાજ્યમાં દરિયા પટ્ટીના 10 જિલ્લામાં વાયુ વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે છેલ્લા ત્રણ દિવસથી સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર વાયુ વાવાઝોડાને લઈને રાજ્યમાં ઓછી જાનહાનિ અને માનહાનિ થાય તેને લઈને NDRFની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ગાંધીનગર શહેરમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં મુલાકાતે આવ્યા હતા. તેમણે 10 જિલ્લાના કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા પૂછપરછ કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠાના 10 જિલ્લા વાયુ વાવાઝોડાની ઝપટે ચડી શકે ત્યારે આજે રાત્રે 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકશે.


Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, સચિવ પંકજકુમાર સહિત આજે સવારે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ સહિતના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી, અને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલા લોકોને ખસેડવામાં આવ્યા કેટલી ટીમો કાર્યરત છે. સ્થાનિક સંસ્થાઓની મદદ મેળવવા સહિતની સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈને જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા વાયુ વાવાઝોડું 900 કિલોમીટર દૂર હતું. જ્યારે હાલમાં 340 કિલો મીટર દરિયામાં વાવાઝોડુ દૂર છે. જે આજે રાત્રે ગુજરાતના વિસ્તારો ઉપર ત્રાટકી શકે છે. ત્યારે આ વિસ્તારની જનતાને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી.


Conclusion:વાયુ વાવાઝોડાની ગુજરાતમાં સૌથી ઓછી અસર થાય તે માટે હાલમાં બસ સેવા રેલ્વે સેવા બંધ કરી દેવામાં આવી છે. પોર્ટ ઉપર યાતા યાત સુવિધા બંધ કરવામાં આવી છે. હવાઈ મથકો અને ધાર્મિક સ્થળોની યાત્રા બસો પણ બંધ કરવામાં આવી છે. કાચા અને પાકા મકાનોમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. દરિયામાં મોજા 10 ફૂટ કરતાં પણ વધારે ઊંચાં ઉછળી શકે છે.જ્યારે ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરિણામે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. 10 જિલ્લામાં અત્યાર સુધી સવા લાખ કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે 4 વાગ્યા પહેલા 3 લાખ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. 40 કરતાં વધુ એનડીઆરએફની ટીમો કામગીરી કરી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.