ETV Bharat / state

ગાંધીનગરના સાદરામાં દીવાલ ધસી, એકનું મોત, 4 ઘાયલ

ગાંધીનગરઃ સાબરમતી નદીના કિનારે આવેલા સાદરા ગામમાં બુધવારના રોજ બપોરના સમયે એક મકાનની દીવાલ ધસી પડતા કામ કરતાં પાંચ મજૂર દબાઈ ગયા હતા. જેમાં એક 40 વર્ષીય મજુરનું મોત થયું હતું, જ્યારે બે મહિલા અને બે પુરુષ મજુર ઇજાગ્રસ્ત થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

author img

By

Published : Jun 5, 2019, 5:03 PM IST

Updated : Jun 5, 2019, 5:19 PM IST

સ્પોટ ફોટો

ગાંધીનગરના સાદરામાં મહેન્દ્રભાઈ ખોડીદાસ મોદીના મકાનનું કામ ચાલી રહ્યું હતું. આઠ દાયકા જૂના મકાનની માટીની દિવાલ દૂર કરીને પાકુ મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સવારે નિત્યક્રમ મુજબ મજુર કામગીરી કરવા માટે આવી ગયા હતા. જેમાં બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેન્દ્રભાઈ મોદી અને ભદ્રેશભાઈ દરજીની કોમન આવેલી દિવાલ એકાએક ધસી પડતા પાંચ મજુર દબાઈ ગયા હતા. જેમાં 40 વર્ષીય પોપટભાઈ દેવાભાઈ ભીલનું દબાઈ જતા મોત થઈ ગયું હતું.

સાદરામાં દીવાલ ધસી પડતાં એકનું મોત

જ્યારે કલ્પેશ બારીયા, મનીષા બારીયા, સુરેખા મુનિયા અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાઓ થતા પહેલા સાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ ચિલોડા પોલીસ સ્ટેશન કરતા જમાદાર અલ્પેશભાઈ સ્ટાફ સાથે સાદરા પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરના સાદરામાં મહેન્દ્રભાઈ ખોડીદાસ મોદીના મકાનનું કામ ચાલી રહ્યું હતું. આઠ દાયકા જૂના મકાનની માટીની દિવાલ દૂર કરીને પાકુ મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સવારે નિત્યક્રમ મુજબ મજુર કામગીરી કરવા માટે આવી ગયા હતા. જેમાં બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેન્દ્રભાઈ મોદી અને ભદ્રેશભાઈ દરજીની કોમન આવેલી દિવાલ એકાએક ધસી પડતા પાંચ મજુર દબાઈ ગયા હતા. જેમાં 40 વર્ષીય પોપટભાઈ દેવાભાઈ ભીલનું દબાઈ જતા મોત થઈ ગયું હતું.

સાદરામાં દીવાલ ધસી પડતાં એકનું મોત

જ્યારે કલ્પેશ બારીયા, મનીષા બારીયા, સુરેખા મુનિયા અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાઓ થતા પહેલા સાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ ચિલોડા પોલીસ સ્ટેશન કરતા જમાદાર અલ્પેશભાઈ સ્ટાફ સાથે સાદરા પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

R_GJ_GDR_RURAL_02_05_JUNE_2019_STORY_DIVAL PADTA MOT_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural



હેડિંગ) સાદરામાં દીવાલ ધસી પડતાં એકનું મોત, ચાર ઘાયલ

ગાંધીનગર,

સાબરમતી નદીના કિનારે આવેલા સાદરા ગામમાં આજે બપોરના સમયે મકાનની દીવાલ ધસી પડતા કામ કરતાં પાંચ મજદૂર દબાઈ ગયા હતા. જેમાં એક 40 વર્ષીય મજૂરનું મોત થયું હતું જ્યારે બે મહિલા અને બે પુરુષ મજદૂર ઇજાગ્રસ્ત થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ ભારે જહેમત કરીને દબાઈ ગયેલા લોકોને બહાર કાઢી બચાવી લીધા હતા.

ગાંધીનગર તાલુકાના સાદરા ગામમાં મહેન્દ્રભાઈ ખોડીદાસ મોદીના મકાનનું કામ ચાલી રહ્યું હતું. આઠ દાયકા જૂના મકાનની માટી ની દિવાલ દૂર કરીને પાકુ મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આજે સવારે નિત્યક્રમ મુજબ મજદૂર કામગીરી કરવા માટે આવી ગયા હતા ત્યારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેન્દ્ર ભાઈ મોદી અને ભદ્રેશભાઈ દરજીની કોમન આવેલી દિવાલ એકાએક ધસી પડતા પાંચ મજુર દબાઈ ગયા હતા જેમાં 40 વર્ષીય પોપટભાઈ દેવાભાઈ ભીલ (રહે સેક્ટર 24 ઇન્દીરાનગર, ગાંધીનગર)નું દબાઈ જતા મોત થઈ ગયું હતું.

જ્યારે કલ્પેશ નાથજી બારીયા, મનીષા પરેશભાઈ બારીયા, સુરેખા નરેશભાઈ મુનિયા અને અન્ય એક વ્યક્તિ તમામ રહે ફતેપુરા ગંભીર રીતે ઇજાઓ થતા પહેલા સાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ચિલોડા પોલીસ સ્ટેશન કરતા જમાદાર અલ્પેશભાઈ સ્ટાફ સાથે સાદરા પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Jun 5, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.