ETV Bharat / state

11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો ડોઝ અપાશે : વિજય રૂપાણી - કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશન

કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે.

કોરોના મહામારી
કોરોના મહામારી
author img

By

Published : Jan 10, 2021, 7:42 PM IST

  • ગુજરાતમાં 16 હજાર હેલ્થ વકર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરાયા
  • વેક્સિનેશન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વિશેષ વ્યવસ્થા
  • એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ તથા એક ઓબર્ઝેવેશન રૂમ
  • કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકારે કરી
  • વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજીયોનલ ડેપો તૈયાર કરાયા
  • ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરીના 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ સફળતાપૂર્વક પૂર્ણ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતા રાજ્યના નાગરિકોને આ રસીકરણ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા રૂપાણી

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે. તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં આપણા વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે. તે માટે મુખ્યપ્રધાને અભિનંદન આપ્યા હતા.

હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પૂર્ણઃ રૂપાણી

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે. તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 6 રિજિયોનલ ડેપો તૈયાર કરાયા

કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતું. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે.

વેક્સિન લીધા પછી તેને ઓબઝર્વેશન રૂમમાં રખાશે

એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબઝર્વેશન રૂમ રાખવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પોતાની બધી જ તાકાત સાડા છ કરોડ જનતાની સેવા માટે લગાડી દીધી છે. લોકડાઉન દરમ્યાન પણ આ સરકારે નાગરિકોને કોઇપણ આવશ્યક ચીજવસ્તુઓની સમસ્યા ઉભી નહોતી થવા દીધી. આ સરકારે નાગરિકોને ભૂખ્યા નહોતા સુવા દીધા. બી.પી.એલ કે એ.પી.એલ હોય રાજ્યના સાડા પાંચ કરોડ લોકોને વિનામુલ્યે અનાજ આ સરકારે પૂરું પાડ્યું હતું.

વેક્સિન તમામ નાગરિકોને મળશેઃ રૂપાણી

મુખ્યપ્રધાને ગુજરાતના સાડા 6 કરોડ ગુજરાતીઓને અપીલ કરતા જણાવ્યું કે, આવી ભ્રમિત વાતો કે અફવાઓમાં આવવું નહીં. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી તેમજ ગાઇડલાઇનને જ ફોલો કરવાનો આગ્રહ રાખવો. પ્રાયોરિટી મુજબ વેક્સિન તમામ નાગરિકોને અવશ્ય મળશે. નાગરિકો ધીરજ અને વિશ્વાસ રાખીને સરકારને સાથ અને સહકાર આપે. કોરોના સામેની લડાઇમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મચારી જેવા કોરોના વોરિયર્સનો ફ્રન્ટ લાઇન ઉપર નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

  • ગુજરાતમાં 16 હજાર હેલ્થ વકર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરાયા
  • વેક્સિનેશન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વિશેષ વ્યવસ્થા
  • એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ તથા એક ઓબર્ઝેવેશન રૂમ
  • કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકારે કરી
  • વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજીયોનલ ડેપો તૈયાર કરાયા
  • ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરીના 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ સફળતાપૂર્વક પૂર્ણ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતા રાજ્યના નાગરિકોને આ રસીકરણ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા રૂપાણી

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે. તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં આપણા વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે. તે માટે મુખ્યપ્રધાને અભિનંદન આપ્યા હતા.

હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પૂર્ણઃ રૂપાણી

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે. તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 6 રિજિયોનલ ડેપો તૈયાર કરાયા

કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતું. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે.

વેક્સિન લીધા પછી તેને ઓબઝર્વેશન રૂમમાં રખાશે

એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબઝર્વેશન રૂમ રાખવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પોતાની બધી જ તાકાત સાડા છ કરોડ જનતાની સેવા માટે લગાડી દીધી છે. લોકડાઉન દરમ્યાન પણ આ સરકારે નાગરિકોને કોઇપણ આવશ્યક ચીજવસ્તુઓની સમસ્યા ઉભી નહોતી થવા દીધી. આ સરકારે નાગરિકોને ભૂખ્યા નહોતા સુવા દીધા. બી.પી.એલ કે એ.પી.એલ હોય રાજ્યના સાડા પાંચ કરોડ લોકોને વિનામુલ્યે અનાજ આ સરકારે પૂરું પાડ્યું હતું.

વેક્સિન તમામ નાગરિકોને મળશેઃ રૂપાણી

મુખ્યપ્રધાને ગુજરાતના સાડા 6 કરોડ ગુજરાતીઓને અપીલ કરતા જણાવ્યું કે, આવી ભ્રમિત વાતો કે અફવાઓમાં આવવું નહીં. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી તેમજ ગાઇડલાઇનને જ ફોલો કરવાનો આગ્રહ રાખવો. પ્રાયોરિટી મુજબ વેક્સિન તમામ નાગરિકોને અવશ્ય મળશે. નાગરિકો ધીરજ અને વિશ્વાસ રાખીને સરકારને સાથ અને સહકાર આપે. કોરોના સામેની લડાઇમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મચારી જેવા કોરોના વોરિયર્સનો ફ્રન્ટ લાઇન ઉપર નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.