ETV Bharat / state

રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ

author img

By

Published : Jun 11, 2020, 10:03 PM IST

કોરોના કેસના મામલે ગુજરાત રાજ્ય મુંબઈ, દિલ્હી અને તમિલનાડુને લગોલગ આવી ગયું છે. અહીં કોરોના વાઇરસના કેસમાં રાફડો ફાટી નીકળ્યો છે. લોકડાઉન ખૂલ્યા બાદ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ પર કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતના દરેક જિલ્લામાં રોજેરોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે.

રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 513 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરેલા આંકડામાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 38 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં કોરના વાઇરસના કુલ 22067 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરૂવારે માત્ર 366 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ

સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 330, સુરત 86, વડોદરામાં 39, ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા, આણંદ 5-5, ભાવનગર, જામનગર, જુનાગઢ 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદ 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા 1-1 અને અન્ય રાજ્યમાં બે કેસ સામે આવ્યા છે.

જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1385 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 15635 કેસ થયાં છે.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 513 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરેલા આંકડામાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 38 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં કોરના વાઇરસના કુલ 22067 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરૂવારે માત્ર 366 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 38 મોત, કુલ 513 કેસ

સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 330, સુરત 86, વડોદરામાં 39, ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા, આણંદ 5-5, ભાવનગર, જામનગર, જુનાગઢ 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદ 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા 1-1 અને અન્ય રાજ્યમાં બે કેસ સામે આવ્યા છે.

જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1385 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 15635 કેસ થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.