ગાંધીનગર: રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુ 2 સપ્ટેમ્બરના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઇને સર્વે કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી સર્વેમાં કર્મચારીઓ ખેતરમાં જઈને સર્વે નહીં કરતાં હોવાના આક્ષેપો સામે આવી રહ્યાં છે. જ્યારે પાલ આંબલિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન અને પાક નુકસાન અંગેની 15 દિવસમાં સર્વે કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 15 દિવસ પૂર્ણ થયાં છે. સરકાર પાસે સર્વે કરવા માટેના પૂરતો સ્ટાફ જ નથી. જ્યારે સ્ટાફના અભાવ વચ્ચે પણ સરકાર સાત પગલાં ખેડૂત કલ્યાણના કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કરેલી જાહેરાતના 15 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હવે સર્વે બાબતે જે સમસ્યાઓ અને ફરિયાદ આવી રહી છે તે બાબતે રાજ્ય સરકાર કેવા પગલાં ભરશે તે શું થયું અને આ સર્વે કેટલા દિવસમાં હજુ પૂર્ણ થતાં લાગશે તે જોવું રહ્યું.