ETV Bharat / state

ગૌચર જમીન મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, આદેશ છતા જમીનો પરત ન કર્યાના આક્ષેપ - gujarat government

ગાંધીનગરઃ વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારે અદાણીને આપેલી 98 ગૌચર જમીન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે કબૂલાત કરી હતી કે, કચ્છ અને અમદાવાદ જિલ્લાની છેલ્લા બે વર્ષમાં 98 એકર જમીનના દબાણો દૂર કર્યા હતા. જેને સરકારે પરત કરવાનો આદેશ કર્યો હોવા છતાં હજુ સુધી જમીન પરત કરાઇ નથી.

jignesh mevani, gujarat assembly
author img

By

Published : Jul 24, 2019, 5:45 PM IST

ભારત સરકારે 2015માં અદાણી પોર્ટ માટે મુન્દ્રા તાલુકાના 17 ગામોની જમીન લીઘી હતી. તેને સરકારને પરત કરવાનો આદેશ કરાયો હતો, છતાં હજુ સુધી જમીન પરત કરવામાં આવી નથી. આ સંદર્ભે જીજ્ઞેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી અને સવાલોનો તોપમારો ચલાવ્યો હતો.

આ અંગે જીજ્ઞેશ મેવાણીએ સંબંધિત કેબિનેટ પ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો, બાદમાં આ અંગે તેણે કહ્યું હતુ કે, 19/5/2015ના રોજ ભારત સરકાર દ્વારા અદાણી પોર્ટ અને અદાણી એસિઝએડ દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના 17 જેટલા ગામોમાં ગૌચરની જમીન લેવામાં આવી હતી. તે તમામ જમીન સામે ચાલીને અદાણીએ સરકારને જમીન પરત કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો. તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં એક પણ જમીન પરત કરવામાં આવી નથી. છતાં રાજ્ય સરકારના પણ પેટનું પાણી હલતું નથી.

આમ, ઉદ્યોગપતિઓ પાસેથી ગૌચરમાં થયેલાં દબાણની જમીન પરત લેવા બાબતે પૂછાયેલા પ્રશ્ન સંદર્ભે સરકારે મૌન ધારણ કરતા ગૃહમાં 'અદાણી-રૂપાણી ભાઈ-ભાઈ' જેવા નારા લાગ્યા હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

ભારત સરકારે 2015માં અદાણી પોર્ટ માટે મુન્દ્રા તાલુકાના 17 ગામોની જમીન લીઘી હતી. તેને સરકારને પરત કરવાનો આદેશ કરાયો હતો, છતાં હજુ સુધી જમીન પરત કરવામાં આવી નથી. આ સંદર્ભે જીજ્ઞેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી અને સવાલોનો તોપમારો ચલાવ્યો હતો.

આ અંગે જીજ્ઞેશ મેવાણીએ સંબંધિત કેબિનેટ પ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો, બાદમાં આ અંગે તેણે કહ્યું હતુ કે, 19/5/2015ના રોજ ભારત સરકાર દ્વારા અદાણી પોર્ટ અને અદાણી એસિઝએડ દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના 17 જેટલા ગામોમાં ગૌચરની જમીન લેવામાં આવી હતી. તે તમામ જમીન સામે ચાલીને અદાણીએ સરકારને જમીન પરત કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો. તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં એક પણ જમીન પરત કરવામાં આવી નથી. છતાં રાજ્ય સરકારના પણ પેટનું પાણી હલતું નથી.

આમ, ઉદ્યોગપતિઓ પાસેથી ગૌચરમાં થયેલાં દબાણની જમીન પરત લેવા બાબતે પૂછાયેલા પ્રશ્ન સંદર્ભે સરકારે મૌન ધારણ કરતા ગૃહમાં 'અદાણી-રૂપાણી ભાઈ-ભાઈ' જેવા નારા લાગ્યા હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

Intro:આજે પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે કબૂલાત કરી કે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં ગૌચરની છેલ્લા બે વર્ષમાં ૯૮ એકર જમીનમાં દબાણો દુર કર્યા તેના રિસ્પોન્સમાં મંત્રીને મેં જવાબ પૂછ્યો હતો તેમ કહીને જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ૧૯/૫/૨૦૧૫ ના રોજ ભારત સરકાર દ્વારા અદાણી પોર્ટ અને અદાણી એસિઝએડ દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ૧૭ જેટલા ગામોમાં ગૌચરની જમીન લેવામાં આવી તે તમામે તમામ જમીન સામે ચાલીને અદાણીએ સરકારને જમીન પરત કરવી એવો સ્પષ્ટ આદેશ હતા.
Body:તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં એક પણ જમીન પરત કરવામાં આવી નથી અને રાજ્ય સરકારના પણ પેટનું પાણી હલતું ન હોય તેમ જમીન લેવામાં આવી નથી. તે ઉપરાંત ઉદ્યોગપતિઓ પાસેથી ગૌચરમાં થયેલાં દબાણની જમીન પરત લેવા બાબતે પુછાયેલા પ્રશ્ન સંદર્ભે સરકારે મૌન ધારણ કરતા ગૃહમાં 'અદાણી-રૂપાણી ભાઈ-ભાઈ' જેવા નારા લાગ્યા હોવાનું જીગ્નેશ મેવાણીએ ઉમેર્યું હતું.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.