ગાંધીનગર: ગુજરાત સરકારે ડેરીને લગતા કામકાજ અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, દૂધ એકત્રીકરણ અને સંગલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના તમામ લોકડાઉનમાં વેપાર-ધંધા બંધ હતા, પરંતુ ડેરીના કામ કાજ માટે અમુક સમય મર્યાદા પ્રમાણેજ છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. હવે રાજ્યમાં ફરી ડેરી ઉદ્યોગ પહેલાની જેમ જ કામકાજ કરે તે માટે રાજ્ય સરકારે સવારના સાત વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કામગીરી કરવાની છૂટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ ગામડાઓમાં દૂધ એકત્રીકરણ કરીને ડેરીમાં પહોંચાડવામાં આવે છે. આ સમયમાં હવે વધારો કરતાં આગામી સમયમાં વધુ દૂધનું અને દૂધની વાનગીઓનું ઉત્પાદન કરી શકાશે.