ETV Bharat / state

Asaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો - Asaram Case Gandhinagar police

આસારામ દુષ્કર્મ કેસ મામલે કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે. આસારામને આજે 11 વાગ્યે સજા ફટકારવામાં આવશે. આ કેસ સાથે જોડાયેલી દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

Asaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો
Asaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો
author img

By

Published : Jan 31, 2023, 10:13 AM IST

અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આશારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આશારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ સવારે 11 કલાકે કોર્ટ સજા સંભળાવશે.

આ પણ વાંચોઃ ASARAM RAPE CASE: 2001માં ઘટના બની, 2013માં કેસ દાખલ થયો, 2023માં ચૂકાદો આવ્યો

13 વર્ષથી કેસઃ ઘટના બાબતની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી કિનારે આવેલ આશારામ આશ્રમ ખાતે એક યુવતીનો દુષ્કર્મ થયો હતો અને આશારામ દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પીડિતાએ સુરતમાં પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ બાદ કરી હતી. ફરિયાદના પગલે સુરતથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં આજે ગાંધીનગર કોર્ટમાં છેલ્લા 13 વર્ષથી કેસ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે ગાંધીનગર કોર્ટ દ્વારા સત્તાવાર ચૂકાદો આપવામાં આવશે.

ચાર્જશીટ દાખલઃ આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 13 વર્ષ સુધી ચાલેલા કેસનો ગાંધીનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. નવ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવશે અને સરકાર વતી 55 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો છે. આ સમગ્ર કેસમાં કુલ 8 આરોપી હતા તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યા છે અને સાત આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad news: મોજશોખ કરવા વાહનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરીની 7 એકટીવા કબ્જે કરાઈ

જજમેન્ટ ડેઃ 13 વર્ષ જૂના કેસનો 31 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખોટ દ્વારા સજાનો એલાન કરવામાં આવશે. મુખ્ય સરકારી વકીલ સી.આર. કોડેકરે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે નામદાર કોર્ટ દ્વારા કલમ 376 2c જુના કાયદા પ્રમાણે દોષિત ગણાવ્યા છે. કલમ 377 મુજબ અન નેચર ઓફ ફેન્સીસ માટે પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને કલમ 357 એટલે કે શારીરિક રીતે ઇજા પહોંચાડવી તેમજ 506 મુજબ એટલે કે જાહેરમાં અને ખાનગી રીતે ધમકી આપવામાં આવી તે કલમો હેઠળ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નામદાર કોર્ટ આવતીકાલે સવારે 11 કલાકે કોર્ટ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળશે ત્યારબાદ સજાનું એલાન કરશે.

અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આશારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આશારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ સવારે 11 કલાકે કોર્ટ સજા સંભળાવશે.

આ પણ વાંચોઃ ASARAM RAPE CASE: 2001માં ઘટના બની, 2013માં કેસ દાખલ થયો, 2023માં ચૂકાદો આવ્યો

13 વર્ષથી કેસઃ ઘટના બાબતની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી કિનારે આવેલ આશારામ આશ્રમ ખાતે એક યુવતીનો દુષ્કર્મ થયો હતો અને આશારામ દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પીડિતાએ સુરતમાં પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ બાદ કરી હતી. ફરિયાદના પગલે સુરતથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં આજે ગાંધીનગર કોર્ટમાં છેલ્લા 13 વર્ષથી કેસ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે ગાંધીનગર કોર્ટ દ્વારા સત્તાવાર ચૂકાદો આપવામાં આવશે.

ચાર્જશીટ દાખલઃ આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 13 વર્ષ સુધી ચાલેલા કેસનો ગાંધીનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. નવ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવશે અને સરકાર વતી 55 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો છે. આ સમગ્ર કેસમાં કુલ 8 આરોપી હતા તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યા છે અને સાત આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad news: મોજશોખ કરવા વાહનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરીની 7 એકટીવા કબ્જે કરાઈ

જજમેન્ટ ડેઃ 13 વર્ષ જૂના કેસનો 31 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખોટ દ્વારા સજાનો એલાન કરવામાં આવશે. મુખ્ય સરકારી વકીલ સી.આર. કોડેકરે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે નામદાર કોર્ટ દ્વારા કલમ 376 2c જુના કાયદા પ્રમાણે દોષિત ગણાવ્યા છે. કલમ 377 મુજબ અન નેચર ઓફ ફેન્સીસ માટે પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને કલમ 357 એટલે કે શારીરિક રીતે ઇજા પહોંચાડવી તેમજ 506 મુજબ એટલે કે જાહેરમાં અને ખાનગી રીતે ધમકી આપવામાં આવી તે કલમો હેઠળ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નામદાર કોર્ટ આવતીકાલે સવારે 11 કલાકે કોર્ટ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળશે ત્યારબાદ સજાનું એલાન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.