ETV Bharat / state

છેલ્લા 2 વર્ષમાં 222 સિંહના મોત, વિધાનસભામાં સરકારે સિંહની પરિસ્થિતિને લઈ જવાબ રજૂ કર્યા

author img

By

Published : Jul 16, 2019, 7:52 PM IST

Updated : Jul 16, 2019, 11:40 PM IST

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે રાજ્યના સિંહોને લઈને સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા રાજ્ય સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમાં કેટલા સિંહના મૃત્યુ થયા છે, તેના આંકડા સાથે ગેરકાયદેસર રીતે થતા લાઈન શૉને પર સરકાર કેવી કાર્યવાહી કરી છે. જેવા પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા હતા.

gnr

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા સિંહ અંગેના વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ રીતે જવાબ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે. આ વિસ્તારોમાં માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી આ ડિવિઝન કરે છે.

છેલ્લા 2 વર્ષમાં 222 સિંહના મોત, વિધાનસભામાં સરકારે સિંહની પરિસ્થિતિને લઈ જવાબ રજૂ કર્યા

માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2015ની સિંહની વસ્તી ગણતરી મુજબ 523 સિંહ છે. જેમાં 109 સિંહ, 201 સિંહણ,140 બચ્ચા અને 73 પાઠડાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 સિંહના મોત થયા છે. જેમાં 52 સિંહ,74 સિંહણ,90 બચ્ચા અને 6 વણઓળખાયેલા સિંહના મોત થયા છે.

અકુદરતી રીતે 23 સિંહના મૃત્યુ, જ્યારે કુદરતી રીતે 199 સિંહનાં મૃત્યુ થયાનો વન વિભાગએ લેખિત ખુલાસો કર્યો હતો. ઓક્ટોબર 2018માં થયેલ સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો. સિંહ બાળના અકુદરતી મૃત્યુનું પેનલ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ છતા પણ કારણ જાણવા મળ્યુ નથી.

ટીસ્યુ સેમ્પલ GBRC ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજી સુધી તૈયાર ન થયો હોવાનું સરકારે જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યુ હતુ કે, 4 છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શૉ કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જો કે એ પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી ન હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.પકડાયેલા તમામ સાથે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે ફરી ઘટના ન બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર CCTV લગાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

સાસણ ખાતેની પ્રવાસી જીપ્સીમા GPS ફીટ કરવામાં આવ્યા છે .ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શૉ કરવા બદલ સરકારે 74 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા તમામ 74 વ્યક્તિઓ સામાન્ય છે. જેમાં સરકારી કર્મચારીની સંડોવણી નથી, સરકારે તમામ લોકો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 અન્વયે કાર્યવાહી કરી છે. જંગલમાં ગેરકાયદે લાયન શૉ બંધ થાય તે માટે ખાતાને અદ્યતન બનાવ્યું છે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા સિંહ અંગેના વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ રીતે જવાબ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે. આ વિસ્તારોમાં માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી આ ડિવિઝન કરે છે.

છેલ્લા 2 વર્ષમાં 222 સિંહના મોત, વિધાનસભામાં સરકારે સિંહની પરિસ્થિતિને લઈ જવાબ રજૂ કર્યા

માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2015ની સિંહની વસ્તી ગણતરી મુજબ 523 સિંહ છે. જેમાં 109 સિંહ, 201 સિંહણ,140 બચ્ચા અને 73 પાઠડાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 સિંહના મોત થયા છે. જેમાં 52 સિંહ,74 સિંહણ,90 બચ્ચા અને 6 વણઓળખાયેલા સિંહના મોત થયા છે.

અકુદરતી રીતે 23 સિંહના મૃત્યુ, જ્યારે કુદરતી રીતે 199 સિંહનાં મૃત્યુ થયાનો વન વિભાગએ લેખિત ખુલાસો કર્યો હતો. ઓક્ટોબર 2018માં થયેલ સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો. સિંહ બાળના અકુદરતી મૃત્યુનું પેનલ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ છતા પણ કારણ જાણવા મળ્યુ નથી.

ટીસ્યુ સેમ્પલ GBRC ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજી સુધી તૈયાર ન થયો હોવાનું સરકારે જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યુ હતુ કે, 4 છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શૉ કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જો કે એ પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી ન હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.પકડાયેલા તમામ સાથે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે ફરી ઘટના ન બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર CCTV લગાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

સાસણ ખાતેની પ્રવાસી જીપ્સીમા GPS ફીટ કરવામાં આવ્યા છે .ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શૉ કરવા બદલ સરકારે 74 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા તમામ 74 વ્યક્તિઓ સામાન્ય છે. જેમાં સરકારી કર્મચારીની સંડોવણી નથી, સરકારે તમામ લોકો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 અન્વયે કાર્યવાહી કરી છે. જંગલમાં ગેરકાયદે લાયન શૉ બંધ થાય તે માટે ખાતાને અદ્યતન બનાવ્યું છે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Intro:વિધાનસભા ગૃહમાં આજે રાજ્યના સિંહો ને લઈને કોંગ્રેસ ના સૌરાષ્ટ્રના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા રાજ્ય સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સિંહો ના કેટલા મૃત્યુ થયા છે તેના આંકડા સાથે ગેરકાયદેસર રીતે થતા લાઈન શો ને લઈને પણ કેવી કાયદેસર કાર્યવાહી કરી છે જેને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
Body:આવા વિવિધ પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્વારા આ રીતે જવાબ આપવામાં આવ્યા હતા રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝન ની સ્થાપના કરાઈ છે સાથે અમરેલી અને ભાવનગર જિલ્લાના સિંહોના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે આ વિસ્તારોમાં માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી આ ડિવિઝન કરે છે સાથે સરકાર પક્ષએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ 2019 માં આ વનયજીવ ડિવિઝન ની સ્થાપના કરાઈ છે રાજ્યમાં વર્ષે 2015 ની સિંહોની વસ્તી ગણતરી મુજબ 523 સિંહો છે જેમાં 109 સિંહ,201 સિંહણ,140 બચ્ચા અને 73 પાઠડા નો સમાવેશ થાય છે છેલ્લા બે વર્ષે માં રાજ્યમાં 222 સિંહો નું મોત થયું છે 52 સિંહ,74 સિંહણ,90 બચ્ચા અને 6 વણ ઓળખાયેલા સિંહો ના મોત થયા છે અકુદરતી રીતે 23 સિંહો ના મૃત્યુ જ્યારે કુદરતી રીતે 199 સિંહો ના મૃત્યુ થયાનો વન વિભાગ એ લેખિત ખુલાસો કર્યો હતો ઓક્ટોબર ૨૦૧૮ માં થયેલ સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો સિંહ બાળના અકુદરતી મૃત્યુ નું પેનલ પીએમ કરતા પણ કારણ જણાયું નથી ટીસ્યુ સેમ્પલ જીબીઆરસી ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ હજી સુધી તૈયારના થયો હોવાનું સરકારે જણાવ્યું હતું ધારાસભ્ય પ્રતાપ દૂધાતના પ્રશ્નના ઉત્તરમાં સરકારએ પોતાનો આ રીતે જવાબ રજુ કર્યો હતો વિસાવદરમાં સિંહ બાળ ની સાથે અન્ય સિંહોના પણ અકુદરતી મૃત્યુ થયા હતા

છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શો કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે જો કે એ પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી ન હોવાનો સરકારએ જવાબ આપ્યો હતો
પકડાયેલ તમામ સાથે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારે ફરી ઘટના ન બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર સીસીટીવી લગાવ્યા હોવાનો જવાબ આપ્યો હતો સાસણ ખાતેની પ્રવાસી જીપ્સીમા જીપીએસ ફીટ કરાયા છે ગીર જંગલોમાં ગેરકાયદે લાયન શો કરવા બદલ સરકારે ૭૪ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે પકડાયેલ તમામ ૭૪ વ્યક્તિઓ સામાન્ય, સરકારી કર્મચારીની સંડોવણી નહિ સરકારે તમામ લોકો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨ અન્વયે કાર્યવાહી કરી છે જંગલોમાં ગેરકાયદે લાયન શો બંધ થાય તે માટે ખાતા ને અર્ધતન બનાવ્યું છે આવા જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા


બાઈટ

ઇમરાન ખેડાવાલા. ( કોંગ્રેસ )

વીરજી ઠુમ્મર ( કોંગ્રેસ ) Conclusion:
Last Updated : Jul 16, 2019, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.