ETV Bharat / state

PM મોદીએ મુલાકાત લેતા સરકાર દોડતી, આજે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા - Hurricane Thauk in the state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે ગુરૂવારના રોજ મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે.

જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા
PM મોદીએ મુલાકાત લેતા સરકાર દોડતી
author img

By

Published : May 20, 2021, 11:04 AM IST

Updated : May 20, 2021, 4:30 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી સૌરાષ્ટ્રના ગામડાઓની લેશે મુલાકાત
  • મુખ્યપ્રધાન ગામડાઓની મુલાકાત બાદ નુકસાનીનો મેળવશે ચિતાર
  • મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે
    જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. મુખ્યપ્રધાન ઉના તાલુકાના ગરલ ગામ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત ગુરૂવારનાના રોજ દિવસ દરમિયાન લેશે. જેમાથી મુખ્યપ્રધાને ગીર સોમનાથના ગરાળ ગામની મુલાકાત લીધી હતી બાદ ગ્રામજનો પાસેથી આપવીતી સાંભળી લોકોને સાંત્વના પાઠવી હતી. ગામના મહિલા સરપંચ મોંઘીબેને ગામની સ્થિતિ વર્ણવતા ભાવુક થયા હતા જેથી મુખ્યપ્રધાને સૌ ને હિંમત રાખવા જણાવ્યું હતુ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગરાળ ગામની લીધી મુલાકાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. તદ્દઅનુસાર મુખ્યપ્રધાન આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તૌકતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.

જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક સંવાદ કર્યો

મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યપ્રધાન સાથે આ મુલાકાત દરમિયાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લેવા પોહચ્યાં છે. મુખ્યપ્રધાન આજે સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા રવાના થયા હતા. ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા તેમણે દરેક વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કરીને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.

મુખ્યપ્રધાન અમરેલી-ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે દિવસ દરમિયાન ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને તૌકતે વાવાઝોડાથી અમરેલી - ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવશે.

લાકાત બાદ મુખ્યપ્રધા અધિકારીઓ સાથે બેઠક યોજીશે

મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે. વાવાઝોડાથી પ્રભાવિત ગામોની આ મુલાકાતમાં મુખ્યપ્રધાન સાથે મુખ્યપ્રધાનના અગ્ર સચિવ કે કૈલાસનાથન તેમજ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ જોડાશે. મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે.

આ પણ વાંચોઃ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી ગુજરાતની મુલાકાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા નુકસાનની ચકાસણી માટે એક હવાઈ સર્વે કર્યો હતો. જે બાદ કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ બેઠક બાદ તત્કાલ રૂપિયા 1,000 કરોડની સહાય જાહેર કરી

આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1,000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

વડાપ્રધાને ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ચક્રવાતને કારણે ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા હતા, 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.

બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન અમદાવાદમાં એક બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ બેઠક બાદ તત્કાલ રૂપિયા 1,000 કરોડની સહાય જાહેર કરી

આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1,000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાનારના પરિવારને રૂપિયા 2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન અમદાવાદમાં એક બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી સૌરાષ્ટ્રની મુલાકાત બાદ મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે.

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી સૌરાષ્ટ્રના ગામડાઓની લેશે મુલાકાત
  • મુખ્યપ્રધાન ગામડાઓની મુલાકાત બાદ નુકસાનીનો મેળવશે ચિતાર
  • મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે
    જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. મુખ્યપ્રધાન ઉના તાલુકાના ગરલ ગામ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત ગુરૂવારનાના રોજ દિવસ દરમિયાન લેશે. જેમાથી મુખ્યપ્રધાને ગીર સોમનાથના ગરાળ ગામની મુલાકાત લીધી હતી બાદ ગ્રામજનો પાસેથી આપવીતી સાંભળી લોકોને સાંત્વના પાઠવી હતી. ગામના મહિલા સરપંચ મોંઘીબેને ગામની સ્થિતિ વર્ણવતા ભાવુક થયા હતા જેથી મુખ્યપ્રધાને સૌ ને હિંમત રાખવા જણાવ્યું હતુ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગરાળ ગામની લીધી મુલાકાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. તદ્દઅનુસાર મુખ્યપ્રધાન આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તૌકતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.

જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક સંવાદ કર્યો

મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યપ્રધાન સાથે આ મુલાકાત દરમિયાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લેવા પોહચ્યાં છે. મુખ્યપ્રધાન આજે સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા રવાના થયા હતા. ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા તેમણે દરેક વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કરીને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.

મુખ્યપ્રધાન અમરેલી-ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે દિવસ દરમિયાન ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને તૌકતે વાવાઝોડાથી અમરેલી - ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવશે.

લાકાત બાદ મુખ્યપ્રધા અધિકારીઓ સાથે બેઠક યોજીશે

મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે. વાવાઝોડાથી પ્રભાવિત ગામોની આ મુલાકાતમાં મુખ્યપ્રધાન સાથે મુખ્યપ્રધાનના અગ્ર સચિવ કે કૈલાસનાથન તેમજ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ જોડાશે. મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે.

આ પણ વાંચોઃ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી ગુજરાતની મુલાકાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા નુકસાનની ચકાસણી માટે એક હવાઈ સર્વે કર્યો હતો. જે બાદ કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ બેઠક બાદ તત્કાલ રૂપિયા 1,000 કરોડની સહાય જાહેર કરી

આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1,000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

વડાપ્રધાને ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ચક્રવાતને કારણે ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા હતા, 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.

બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન અમદાવાદમાં એક બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ બેઠક બાદ તત્કાલ રૂપિયા 1,000 કરોડની સહાય જાહેર કરી

આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1,000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાનારના પરિવારને રૂપિયા 2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન અમદાવાદમાં એક બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી સૌરાષ્ટ્રની મુલાકાત બાદ મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે.

Last Updated : May 20, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.