ETV Bharat / state

જાણો વિધાનસભામાં રજૂ થયેલા CAGના રિપોર્ટની વિગતો

author img

By

Published : Jul 26, 2019, 3:01 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં CAG(Comptroller and Auditor General of India)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. CAG રિપોર્ટમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂપિયા 3813 કરોડની ખોટ કરી હતી. જ્યારે 50 એકમોએ રૂપિયા 5113 કરોડનો નફો થયો હતો. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગની ટકોર કરી હતી. મહત્વનું છે કે 26 જૂલાઈના રોજ વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ હતો.

પ્રતિકાત્મક તસવીર

વિધાનસભા ગૃહના અંતિમ દિવસે CAGનો રિપોર્ટ ગૃહમાં રજૂઆત કરવામાં આવી હતી.જેમાં સૌથી વધુ ખોટ કરતું ઉપક્રમોમાં GSPCએ (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) રૂપિયા1564 કરોડની ખોટ કરી હતી. સરદાર સરોવર નિગમે રૂપિયા 1075 કરોડની ખોટ કરી હતી. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડની ખોટ, GSRTCએ રૂપિયા 264 કરોડની ખોટ કરી હતી. આ ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂપિયા 137 કરોડની ખોટ કરી હતી.

તો બીજી તરફ કેગના રિપોર્ટમાં કરોડો રૂપિયાની યોજના અધૂરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખાસ કરીને માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી હતી. તો રૂપિયા 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર પણ કરી હતી.તદ ઉપરાત 2017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

જેમાંથી 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂપિયા 22,431 કરોડનું નુકસાન થયું હતું.નોંધનીય છે કે રાજ્ય સરકારે ગેરરીતિ નુકસાન અને ઉચપતના રૂપિયા 14.40 કરોડની સંડોવાયેલી રકમ અંગેના 157 કેસોમાં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલા લીધા નથી. રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2017-18માં 5.44 ટકાના દરે વધી રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી. તે 9.01 ટકાના સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી.

વિધાનસભા ગૃહના અંતિમ દિવસે CAGનો રિપોર્ટ ગૃહમાં રજૂઆત કરવામાં આવી હતી.જેમાં સૌથી વધુ ખોટ કરતું ઉપક્રમોમાં GSPCએ (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) રૂપિયા1564 કરોડની ખોટ કરી હતી. સરદાર સરોવર નિગમે રૂપિયા 1075 કરોડની ખોટ કરી હતી. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડની ખોટ, GSRTCએ રૂપિયા 264 કરોડની ખોટ કરી હતી. આ ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂપિયા 137 કરોડની ખોટ કરી હતી.

તો બીજી તરફ કેગના રિપોર્ટમાં કરોડો રૂપિયાની યોજના અધૂરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખાસ કરીને માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી હતી. તો રૂપિયા 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર પણ કરી હતી.તદ ઉપરાત 2017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

જેમાંથી 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂપિયા 22,431 કરોડનું નુકસાન થયું હતું.નોંધનીય છે કે રાજ્ય સરકારે ગેરરીતિ નુકસાન અને ઉચપતના રૂપિયા 14.40 કરોડની સંડોવાયેલી રકમ અંગેના 157 કેસોમાં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલા લીધા નથી. રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2017-18માં 5.44 ટકાના દરે વધી રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી. તે 9.01 ટકાના સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી.

Intro:આજે વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ.3813 કરોડની ખોટ કરી. જ્યારે 50 એકમોએ રૂ 5113 કરોડનો નફો કર્યો. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગની ટકોરકરી છે. મહત્વનું છે કે આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે..Body:આજે વિધાનસભા ગૃહ ના અંતિમ દિવસે કેગ નો રિપોટ ગૃહ માં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ ખોટ કરતું ઉપક્રમોમાં GSPCએ (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) રૂ.1564 કરોડની ખોટ કરી છે. સરદાર સરોવર નિગમે રૂ 1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂ 617 કરોડની ખોટ, GSRTCએ રૂ. 264 કરોડની ખોટ કરી છે. ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે.


તો બીજી તરફ કેગ ના રિપોટ માં કરોડ રૂપિયા ની યોજના અધૂરી હોવાનું સામે આવ્યું છે જેમાં ખાસ કરી ને માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. રૂ 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગે ટિપણી કરી અને રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર પણ કરી હતી.તદ ઉપરાત 2017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ 22,431 કરોડનું નુકસાન થયું છે.Conclusion:નોંધનીય છે કેરાજ્ય સરકારે ગેરરીતિ નુકસાન અને ઉચપતના 14.40 કરોડની સંડોવાયેલી રકમ અંગેનાં 157 કેસોમાં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલાં લીધા નથી. રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2017-18માં 5.44 ટકાનાં દરે વધી રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી તે 9.01 ટકાનાં સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.