ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામ ચલાઉ અને હંગામી ધોરણે ASIમાંથી PSI માટેના પ્રમોશનની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે રાજ્યના અધિક પોલીસ મહા નિર્દેશક વહીવટી અધિકારી એવા નરસિંહ્મા કુમારે વેટિંગ લિસ્ટમાં જાહેર કર્યું છે. જેમાં 537 પીએસઆઇની જગ્યાએ 621 જેટલા એએસઆઈનું લિસ્ટ જાહેર કરાયું છે. 9 નવેમ્બર સાંજે છ વાગ્યા સુધી પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા અને રેન્જ ઐજિક દ્વારા વેટિંગ લિસ્ટ માં મુકવામાં આવેલ અધિકારીઓના અભિપ્રાય આવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર ASI માંથી PSI બનનારા અધિકારીઓની યાદી પણ જાહેર કરવામાં આવશે.
એસ.પી, રેન્જ આઈજીનો અભિપ્રાય જરૂરી: વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ભરતી માટે આવશ્યક બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું આયોજન કરી પરીક્ષાનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં યાદીમાં દર્શાવેલ બિન હથિયારી આ સિસ્ટમ સબ ઇન્સ્પેક્ટરના માંથી પૈકી તમામ પોલીસ કમિશનર અને તમામ એસપી અને રેન્જ આઈજી એ યાદીમાં દર્શાવેલ કર્મચારીઓ વિરુદ્ધ 1 જુલાઈ 2023 થી 8 નવેમ્બર 2023 સુધીના સમયગાળામાં ઉપસ્થિત થયેલ ખાતાકીય તપાસ, એસીબી કેસ, ક્રિમિનલ કેસ, કોર્ટ કેસ કે નાની મોટી શિક્ષાની સીધી કારણ દર્શક નોટિસ ચાલુ છે કે બાકી છે તે અંગે 9 નવેમ્બર 2023ની સાંજે 6 કલાક સુધી અભિપ્રાય આપવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જો કોઈ અધિકારી દ્વારા ખોટી માહિતી આપવામાં આવશે તો જે તે જિલ્લાના જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષક અથવા તો પોલીસ કમિશનર જવાબદાર રહેશે.
537 ASI ને મળતી બઢતી: ગૃહ વિભાગ દ્વારા 537 જાહેરાત કરવામાં આવી છે કે, વર્ગ ૩ ની જગ્યાઓ ખાતાકીય બઢતી હતી જે ભરવા વિભાગ 24 ઓગસ્ટ 2023 ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજૂરી અન્વયે ફેરવી વિચારણા કરવા દરખાસ્ત કરી હતી. જે અંતર્ગત સરકારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની 538 જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતી થી ભરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
ક્યાં નિયમો અનુસાર થશે બઢતી: રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અમુક શરતોને આધીન આ હંગામી ધોરણે બઢતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ બઢતી હાલમાં બિન હથિયારી પોલીસ સબ ઇસ્પેક્ટરની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાના કારણે અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થા વધુ સઘન કરવાના હેતુથી આ જગ્યા ભરવી હિતાવહ રાખવામાં આવી છે. જ્યારે હાલમાં સિનિયર એએસઆઈ ભરતી માટે લાયક ન થાય ત્યાં સુધી નિયત લાયકાત ધરાવતા જુનિયર એસઆઈને શરતી અને તદ્દન કામ ચલાવ હંગામી ધોરણે મળતી આપવાની રહેશે સાથે જ સિનિયર એસ આઈ કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા માટે લાયક બને કે તરત જ તેઓની ખાતાકીય પરીક્ષાનું આયોજન પણ કરવાનું રહેશે, અને બઢતી માટે લાયક ઠરે ત્યારે લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ સિદ્ધાંત મુજબ સૌથી જુનિયર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને એએસઆઇ સંવર્ગમાં રીવર્ટ કરવાના રહેશે.
કોર્ટ કેસ બાબતે સૂચના: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આવા તદ્દન કામ ચલાવ બઢતીથી નિમણૂક પામેલ જુનિયર બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રીવર્ડ કરવામાં આવે, ત્યારે કોર્ટ કેસ કે અન્ય કોઈ વહીવટી પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે બઢતી પામતા કર્મચારીઓ પાસેથી બાંહેધરી પણ મેળવવાની રહેશે. બઢતી આપતી વખતે હાલમાં નામદાર હાઇકોર્ટ સમક્ષ ન્યાયધીન કોર્ટ કેસમાં ભવિષ્યમાં સિનિયોરીટી બાબતે કે અન્ય કોઈ સેવા વિષયક બાબતે વહીવટી ગુચ કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટેની પણ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે, આમ બઢતી થી નિમણૂક આપવા અંગે ભરતી નિયમો મુજબ રેશિયો જાળવવા અને અનામત અંગેના નિયમો તથા રોસ્ટર અંગેના પ્રવર્તમાન નિયમોનો પણ પાલન કરવાનું રહેશે.