ETV Bharat / state

છત્રાલ મર્ડર કેસ : એક મોબાઈલને લઈ 3 શખ્સે યુવકને રહેંસી નાખ્યો હતો

author img

By

Published : Jul 19, 2019, 7:10 PM IST

Updated : Jul 19, 2019, 9:23 PM IST

ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલમાં લૂંટ, ધાડ અને હત્યા જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગર LCBએ ગત 10 જુલાઈના રોજ થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં LCBએ લૂંટ, હત્યા અને ધાડના 3 આરોપીની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

છત્રાલ મર્ડર કેસ : એક મોબાઈલને લઈને 3 શખ્સે યુવકને રહેંસી નાખ્યો હતો

જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના છત્રાલમાં લૂંટ, ધાડ અને હત્યાના બનાવ બનવા પામ્ય હતા. ત્યારે આ મામલાની બાતમી ગાંધીનગર LCBના PI નીરજ પટેલ અને તેમની ટીમને મળી હતી. જેના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આરોપીની મોડાસા ઓપરેન્ડી મુજબ આરોપીઓ ખાસ કરીને પરપ્રાંતીય વ્યક્તિને ટાર્ગેટ બનાવતા હતા. ખાસ કરીને છત્રાલ, કડી અને કલોલ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂંટ કરતા હતા. આરોપી પલ્સર બાઈક લઈને રસ્તે ચાલતા વ્યક્તિને છરી વડે ડરાવતા હતા. જો વ્યક્તિ મોબાઈલ આપવાનો ઈનકાર કરે તો તેના પર હુમલો કરતા હતા. આ આરોપી વ્યક્તિ પાસેથી માત્ર મોબાઈલની જ લૂંટ કરતા હતા.

છત્રાલ મર્ડર કેસ : એક મોબાઈલને લઈને 3 શખ્સે યુવકને રહેંસી નાખ્યો

ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, અજય, શાહરુખ ચૌહાણ અને વસીમ ઉર્ફે શાહીલ ધોરી ફેક્ટરીમાં કામ અને રીક્ષા ચલાવતા હતા. તેઓ ફેક્ટરીમાંથી કામ ન મળવાના કારણે બેરોજગાર બન્યા હતા. બેરોજગારીને કારણે આ ત્રણેય આરોપીએ પૈસા કમાવવાનો શોર્ટ કટ અપનાવ્યો હતો. જેમાં આરોપી એકાંત વ્યક્તિને છરી બતાવીને તેની પાસેથી મોબાઈલની લૂંટ કરતા હતા. બાદમાં લૂંટ કરેલા મોબાઈલને 3થી 7 હજારની કિંમતમાં વેચી દેતા હતા. આ લૂંટના મોબાઈલથી જે આવક થાય તેને મોજશોખમાં વાપરતા હતા. અત્યાર સુધીમાં આ આરોપીઓએ 46 જેટલા મોબાઈલની લૂંટ કરી છે.

આ મામલામાં ત્રણ આરોપીઓની LCBની ટીમે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ છત્રાલ પોલીસ ચોકીથી 2 કિમી દૂર મોબાઈલ માટે કૃષ્ણા રામ બીસ્નોઈની હત્યા કરી હતી. સાથે જ માત્ર એક મોબાઈલને લઈને ત્રણ શખ્સો દ્વારા એક યુવકને રહેંસી નાખવામાં આવ્યો હતો.

પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી મોબાઈલ ખરીદનાર દુકાનદારની અને વચ્ચેટિયા વ્યક્તિની પણ માહિતી મેળવી તાપસ હાથ ધરી છે. પોલીસે હાલ હત્યાના 3 આરોપીની ધડપકડ કરી છે. હજુ મોબાઈલ લૂંટમાં પોલીસને શંકા પ્રમાણે આ ગેંગના અન્ય 3 આરોપીઓ હોવાનું પણ સામે આવ્યું છે. આ આરોપીઓના ગુના કરવાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટની ફરિયાદના આધારે જપ્ત મોબાઈલ મૂળ માલિક સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના છત્રાલમાં લૂંટ, ધાડ અને હત્યાના બનાવ બનવા પામ્ય હતા. ત્યારે આ મામલાની બાતમી ગાંધીનગર LCBના PI નીરજ પટેલ અને તેમની ટીમને મળી હતી. જેના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આરોપીની મોડાસા ઓપરેન્ડી મુજબ આરોપીઓ ખાસ કરીને પરપ્રાંતીય વ્યક્તિને ટાર્ગેટ બનાવતા હતા. ખાસ કરીને છત્રાલ, કડી અને કલોલ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂંટ કરતા હતા. આરોપી પલ્સર બાઈક લઈને રસ્તે ચાલતા વ્યક્તિને છરી વડે ડરાવતા હતા. જો વ્યક્તિ મોબાઈલ આપવાનો ઈનકાર કરે તો તેના પર હુમલો કરતા હતા. આ આરોપી વ્યક્તિ પાસેથી માત્ર મોબાઈલની જ લૂંટ કરતા હતા.

છત્રાલ મર્ડર કેસ : એક મોબાઈલને લઈને 3 શખ્સે યુવકને રહેંસી નાખ્યો

ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, અજય, શાહરુખ ચૌહાણ અને વસીમ ઉર્ફે શાહીલ ધોરી ફેક્ટરીમાં કામ અને રીક્ષા ચલાવતા હતા. તેઓ ફેક્ટરીમાંથી કામ ન મળવાના કારણે બેરોજગાર બન્યા હતા. બેરોજગારીને કારણે આ ત્રણેય આરોપીએ પૈસા કમાવવાનો શોર્ટ કટ અપનાવ્યો હતો. જેમાં આરોપી એકાંત વ્યક્તિને છરી બતાવીને તેની પાસેથી મોબાઈલની લૂંટ કરતા હતા. બાદમાં લૂંટ કરેલા મોબાઈલને 3થી 7 હજારની કિંમતમાં વેચી દેતા હતા. આ લૂંટના મોબાઈલથી જે આવક થાય તેને મોજશોખમાં વાપરતા હતા. અત્યાર સુધીમાં આ આરોપીઓએ 46 જેટલા મોબાઈલની લૂંટ કરી છે.

આ મામલામાં ત્રણ આરોપીઓની LCBની ટીમે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ છત્રાલ પોલીસ ચોકીથી 2 કિમી દૂર મોબાઈલ માટે કૃષ્ણા રામ બીસ્નોઈની હત્યા કરી હતી. સાથે જ માત્ર એક મોબાઈલને લઈને ત્રણ શખ્સો દ્વારા એક યુવકને રહેંસી નાખવામાં આવ્યો હતો.

પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી મોબાઈલ ખરીદનાર દુકાનદારની અને વચ્ચેટિયા વ્યક્તિની પણ માહિતી મેળવી તાપસ હાથ ધરી છે. પોલીસે હાલ હત્યાના 3 આરોપીની ધડપકડ કરી છે. હજુ મોબાઈલ લૂંટમાં પોલીસને શંકા પ્રમાણે આ ગેંગના અન્ય 3 આરોપીઓ હોવાનું પણ સામે આવ્યું છે. આ આરોપીઓના ગુના કરવાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટની ફરિયાદના આધારે જપ્ત મોબાઈલ મૂળ માલિક સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:હેડીંગ) છત્રાલ મર્ડર કેસ : એક મોબાઈલને લઈ 3 શખ્સે યુવકને રહેંસી નાખ્યો હતો

ગાંધીનગર,

કલોલ તાલુકાના છત્રાલ લૂંટ, ધાડ અને મર્ડર જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચે ગત 10 જુલાઇના રોજ થયેલી મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે.એલસીબીએ લૂંટ, મર્ડર અને ધાડના 3 આરોપીની બાતમી આધારે ધડપકડ કરી હતી. આરોપીઓ મોબાઈલ માટે લૂંટ કરતા હતા. હમણાં જ આરોપીએ છાત્રાલ પોલીસ ચોકી 2 કિમી દૂર મોબાઈલ માટે કૃષ્ણા રામ બીસનોઈની હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ 8 ગુનાની કબૂલાત કરી હતી. આરોપી કલોલ, નંદાસન, કડી અને છત્રાલ વિસ્તરમાં લોકોને છરી વડે ઇજા પહોંચાડી મોબાઈલ લૂંટ કરતા હતા. આરોપી પાસેથી પોલીસે 1,00,300ની કિંમતના 46 મોબાઈલ, એક હથિયાર અને પ્લસર બાઇક સહિત 15500 રોકડ રકમ જપ્ત કરી. પોલીસ દ્વારા હજી અન્ય સાથીદાર આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે. માત્ર એક મોબાઈલ ને લઈને ત્રણ શખ્સો દ્વારા યુવકને રહેંસી નાખવામાં આવ્યો હતો.Body:ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, કડીનો રહેવાસી અજય, કડીના રાજપુરનો રહેવાસી શાહરુખ મીરખાન ચૌહાણ અને કડીનો રહેવાસી વસીમ ઉર્ફે શાહીલ નિઝામુદ્દીન ધોરી. ફેક્ટરીમાં કામ અને રીક્ષા ચલાવતા હતા. ફેક્ટરીમાંથી કામ ન મળવાના કારણે બેરોજગાર બન્યા હતા. બેરોજગારીને કારણે આ ત્રણે આરોપીએ પૈસા કમાવવાનો સૉર્ટ કટ અપનાવ્યો હતો. આરોપી એકાંત વ્યક્તિને છરી બતાવી તેની પાસેથી મોબાઈલ લૂંટ કરતા હતા. લુટેલા મોબાઈલને 3 થી 7 હજારની કિંમતમાં વેચી દેતા હતા. લૂંટના મોબાઈલથી જે આવક થાય તેના મોજશોખમાં વાપરતા હતા. અત્યાર સુધીમાં આ આરોપીઓએ 46 મોબાઇલની લૂંટ કરી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ નીરજ પટેલ અને તેમની ટીમ દ્વારા બાતમીને આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આરોપીની મોડાસા ઓપરેન્ડી મુજબ, આરોપીઓ ખાસ કરીને પર પ્રાંતી વ્યક્તિને ટાર્ગેટ બનાવતા હતા. ખાસ કરીને છાત્રાલ, કડી અને કલોલ વિસ્તરમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂંટ કરતા હતા. આરોપી પ્લસર બાઇક લઈને રસ્તે ચાલતા વ્યક્તિ પર છરી વડે ડરાવતા હતા. જો વ્યક્તિ મોબાઈલ આપવાનો ઇનકાર કરે તો તેના પર હુમલો કરતા હતા. આ આરોપી વ્યક્તિ પાસેથી માત્ર મોબાઈલ જ લૂંટ કરતા હતા. આરોપી પાસેથી એન્ડ્રોઇડ અને એપલ જેવી કંપનીના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.Conclusion:પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી મોબાઈલ ખરીદનાર દુકાનદારની અને વચ્ચેટિયા વ્યક્તિની પણ માહિતી મેળવી તાપસ હાથ ધરી છે. પોલીસે હાલ મર્ડરના 3 આરોપીની ધડપકડ કરી છે. હજી મોબાઈલ લૂંટમાં પોલીસને શંકા પ્રમાણે આ ગેગના અન્ય3 આરોપીઓ  હોવાનું પણ સામે આવ્યું છે..આરોપીઓના ગુના કરવાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટની ફરિયાદ આધારે જપ્ત મોબાઈલ મૂળ મલિક સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Jul 19, 2019, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.